SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનપ્રભાવક ભાવનાબેધનું સર્જન ૧૦૧ લખાયેલી પુષ્પમાળામાં કેટલાક સૂક્ત સૂત્રમાં વૈરાગ્યના ઝબકારા દેખાય છે... જે તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારી સંસાર ભણી દષ્ટિ કરજે. રાજા હો કે રંક હ–ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજે કે માત્ર આ કાયાનાં પુદ્ગળ થોડા વખતને માટે સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે, * * કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે તે માટે હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું? એમ આજે વિચારજે. ૪ ૪ વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળમહિનાથી આજે અત્યંતર મોહિની વધારીશ નહીં.' ઈત્યાદિ. તેમજ-જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કઈને.”—એ પરમ ભાવવાહી કાવ્યમાં તેમજ દ્વાદશ અનુપ્રેક્ષાઅનુવાદ આદિ કૃતિઓમાં આ બાલ મહાત્માને અલૌકિક વૈરાગ્ય અક્ષરે અક્ષરે ફરે છે. એમનું વૈરાગ્યવાસિત ચિત્ત એટલું બધું વૈરાગ્યમાં વિલસી રહ્યું હતું એટલે બધે વૈરાગ્ય વિલાસ કરી રહ્યું હતું, કે તેના સહજ આવિષ્કાર માટે “સાક્ષાત્ સરસ્વતીમાં જણાવ્યું છે તેમ તેમણે વૈરાગ્ય વિલાસ' નામનું ચોપાનિયું પણ કાઢયું હતું. આ એમની વૈરાગ્યપરિણતિ કેવી ઉત્કટ હશે તેની સાક્ષી પૂરે છે. અને મોક્ષમાળાના રચનાકાળે તે આ વૈરાગ્ય ઉત્તરોત્તર ઓર વેગ પકડતો ગયો હતો, તે એટલે સુધી કે ૧૯૪રમાં ભાવનાબેધના સર્જનકાળે તો તે વૈરાગ્ય શ્રીમદને પિતાને પણ આશ્ચર્યકારક લાગે એ “અદભુત બની ગયું હતું, ઓગણીસસેને બેતાલીસે અદ્દભુત વૈરાગ્ય ધાર રે.' કારણ કે આપણે પૂર્વે તેમ તે વખતે તેમની વ્યાવહારિક સ્થિતિ સાંકડી હતી અને મોક્ષમાળાના પ્રકાશનમાં આર્થિક મુંઝવણ પડી હતી, છતાં તે સંજોગોમાં નહિં મુંઝાતાં શૌર્યભાવથી તેમનું આત્મવીર્ય એર ખીલી નિકળ્યું હતું અને પ્રાપ્ત સંજોગોમાં સમભાવ ભાવતું તેમનું સમભાવભાવ ચિત્ત વૈરાગ્યરસમાં ઝીલી રહ્યું હતું. આમ આ સાંકડે શ્રીમદ્દના વૈરાગ્યને ઓર “પુષ્ટ કર્યો હતો”—એર બળવાન બનાવ્યા હતા. એમના એક ચરિત્રાલેખક સદ્. શ્રી મનસુખભાઈએ કહ્યું છે તેમ–આ વૈરાગ્ય એટલે સુખ-દુઃખમાં, વિષમ સ્થિતિમાં પણ સમભાવ, ઉદાસીનતા; સારી સ્થિતિમાં છકી ન જવું, મન–વદનની પ્રસન્નતાપૂર્વક ઉદાસીનભાવે, સમભાવ, વિવેકપૂર્વક જે સ્થિતિ સાંપડે તે વેદી લેવી, નિર્વાહી લેવી, સતુ પુરુષાર્થ સેવ્યા કરે એ સાચો વૈરાગ્ય. આ વૈરાગ્ય જા.” સદાચાર ગ્રંથમાં શંકરાચાર્યે કહ્યું છે તેમ “ નવ વિના ખાતું મુક્ષાર સુમાશુમ”—રાગદ્વેષ વિના હું અત્ર પ્રાપ્ત શુભાશુભ ભેગવું છું,- આ વૈરાગ્ય. આમ વિશાળ અર્થમાં તે વૈરાગ્ય વચ્ચે જતો હતો, તેમાં મોક્ષમાળાના પ્રકાશનમાં થયેલા વિલંબને કારણે અગાઉથી સેંધાયેલા ગ્રાહકના કચવાટના પ્રસંગે ઓર વૃદ્ધિ કરી; અને તે કચવાટ દૂર કરવા શ્રીમદે સં. ૧૯૪રમાં અપૂર્વ વૈરાગ્યમુખ ભાવનાબોધ ગ્રંથનું સર્જન કરી ગ્રાહકોને જ ઉપહારરૂપ ભટણું કર્યું એટલું જ નહિં, પણ આ નિમિત્તે પિતાના અંતમાં ઊભરાતા-છલકાતા વૈરાગ્યસિંધુને આ ગ્રંથમાં ઠાલવી દઈ તેમણે વૈરાગ્યના આવા અનન્ય અનુપમ અમૃત-અમર ગ્રંથનું જગને ઉપહારરૂપ “પ્રાભૂત' ધર્યું. પરમ વૈરાગ્ય
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy