________________
૧૦૦
અધ્યાત્મ રાજ
એ સંસારને પુંઠ દીધી છે; તે સત્ય છે. એ ભણી પાછું વાળી જોવા જેવું નથી. ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે. દુઃખના એ સમુદ્ર છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભેામીએ છે.’ અને વૈરાગ્ય એ ધર્માનું સ્વરૂપ છે' એ પાઠમાં તેા શ્રીમદે પેાતાનું વૈરાગ્યમય હૃદય જ ઠાલવી દીધું છે— એક વસ્ત્ર લેાહીની મલિનતાથી રંગાયું તેને જો લેાહીથી ધાઈએ તેા તે ઉજળું થઇ શકે નહીં; પણ વધારે રંગાય છે. જો પાણીથી એ વસ્ત્રને ધેાઇએ તે તે મિલનતા જવાને સંભવ છે. આ દૃષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈએ. અનાદિ કાળથી આત્મા સંસારરૂપી લેાહીથી મિલન થયા છે. મલિનતા પ્રદેશે પ્રદેશે વ્યાપી રહી છે! એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવી ધારીએ તેા ટળી શકે નહીં. લેાહીથી જેમ લેાડી ધાવાતું નથી, તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી એ જાણે નિશ્ચયરૂપ છે. X x તત્ત્વજ્ઞાનીની દૃષ્ટિએ આત્મા સોંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાના ક્ષય વિશુદ્ધ ભાવજળથી હાવા જોઇએ. અ``તનાં તત્ત્વરૂપ સાબુ અને વૈરાગ્યરૂપી જળ વડે, ઉત્તમ આચારરૂપ પથ્થર પર, આત્મવસ્રને ધેાનાર નિગ્રંથ ગુરુ છે. આમાં જો વૈરાગ્યજળ ન હેાય તેા ખીજાં બધાં સાહિત્યા કઇ કરી શકતાં નથી; માટે વૈરાગ્યને ધનું સ્વરૂપ કહી શકાય. અહું તપ્રણીત તત્ત્વ વૈરાગ્ય જ ખાધે છે, તે। તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું.' આમ મેાક્ષમાળામાં સ્થળે સ્થળે શ્રીમના વૈરાગ્યમય હૃદયમાંથી અપૂર્વ વૈરાગ્યરસ ટપકી રહ્યો છે, તે આ કેટલાક અવતરણા પરથી સ્વયં સૂચિત થાય છે.
મેાક્ષમાળાની રચના પૂર્વે પણ શ્રીમમાં વૈરાગ્ય તેા હતેા જ અને તે ઉત્તરાત્તર વૃદ્ધિ પામ્યા જતેા હતા. શ્રીમને છ વર્ષની વયે જાતિસ્મરણજ્ઞાન ઉપજવાના પ્રસંગ બન્યા હતા તે આપણે જોયું હતું. જેને જાતિસ્મરણ જ્ઞાન ઉપજે છે તેને સામાન્યપણે પુનર્જન્મને ને આત્માના નિત્યપાનો નિશ્ચય સહેજે થઈ જાય છે, અને દેહાશ્રિત અર્હત્વ-મમત્વબુદ્ધિ સહેજે છૂટી જાય છે; એટલે ભિન્ન ભિન્ન અનિયત દેહેામાં નિયત વત્તતા શાશ્વત આત્મદ્રવ્ય પ્રત્યે તેનું લક્ષ કેન્દ્રિત થાય છે અને તે તે દેહપર્યાય અને તદાશ્રિત ભાવેા પ્રત્યેના તેના રાગ સ્વાભાવિક રીતે મ-મંદતર-મદ્રુતમ બનતા જાય છે, ઉત્તરાત્તર સહજ સ્વાભાવિક વૈરાગ્ય વધતા જાય છે. એટલે પૂર્વના મહા સંસ્કારી, આજન્મ વિરક્ત, આજન્મ ત્યાગી, આજન્મ આ દૃષ્ટા કવિ,—શ્રીમદ્ જેવા આજન્મ જ્ઞાની સંયતિ સંતના વૈરાગ્ય ઉત્તરાત્તર વૃદ્ધિંગત થતા ગયા હોય એમાં આશ્ચય નથી. સામાન્ય પ્રાકૃત જનનું મન ભલે રાગભરમાં રચ્યુંપચ્યું રહેતું હેા, પણ આજન્મ વિરક્ત જ્ઞાનીને તે। ત્રણે કાળ ખરેખરા અંતર’ગ વૈરાગ્ય વર્તે છે, એવા સાગરવરગંભીર જ્ઞાનીના ચિત્ત-સમુદ્રના કેઈ તાગ પામી શકતું નથી; અને તેવા પ્રકારે શ્રી યશેાવિજયજીએ પરમભાવથી સંગીત કર્યું છે—રાગ ભરે જન મન રહો, પણુ તિહું કાળ વૈરાગ્ય; ચિત્ત તુમારા રે સમુદ્રના, પ્રભુ કેઇ ન પામે હૈ। તાગ.' આવા આજન્મ વૈરાગી શ્રીમદ્ની ખાલવયની–સેાળમા વર્ષે પહેલાંની કૃતિઓમાં પણ એમના આ સહુજ વૈરાગ્ય વારવાર ડાકીઉ કરી જાય છે. જેમ કે—સેાળમા વર્ષ પહેલાં