SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનપ્રભાવક ભાવનાબેધનું સર્જન કરવાપૂર્વક, મહાસમુદ્ર અગ્નિ અંધકાર ને શકટચક એમ “સંસારને ચાર ઉપમા’નું વૈરાગ્યપ્રેરક સુંદર તાદશ્ય શબ્દચિત્ર આલેખી, વૈરાગ્યની ‘બાર ભાવનાનું સંક્ષેપ સ્વરૂપ વિરાગ્યવાહી શૈલીમાં દર્શાવ્યું છે. તેમાં–અનિત્ય ભાવના પર “ભીખારીને ખેદ દષ્ટાંતરૂપે જી તાત્પર્યબોધ આપે છે –“અહો ભવ્ય ! ભીખારીનાં સ્વપ્ન જેવાં સંસારના સુખ અનિત્ય છે. સ્વપ્નમાં જેમ તે ભીખારીએ સુખસમુદાય દીઠ અને આનંદ માન્યો તેમ પામર પ્રાણીઓ સંસારસ્વપ્નના સુખસમુદાયમાં આનંદ માને છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં મિથ્યા જણાયા તેમ જ્ઞાન પ્રાપ્ત થતાં સંસારનાં સુખ તેવા જણાય. છે. સ્વપ્નના ભંગ ન ભોગવ્યા છતાં જેમ ભીખારીને ખેદની પ્રાપ્તિ થઈ, તેમ મોહાંધ પ્રાણીઓ સંસારનાં સુખ માની બેસે છે; અને ભગવ્યા સમ ગણે છે. પરંતુ પરિણામે ખેદ, દુર્ગતિ અને પશ્ચાત્તાપ લે છે, તે ચપળ અને વિનાશી છતાં સ્વપ્નનાં ખેદ જેવું તેનું પરિણામ રહ્યું છે. એ ઉપરથી બુદ્ધિમાન પુરુષો આત્મહિતને શોધે છે. સંસારની અનિત્યતા પર એક કાવ્ય છે કે – વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિયે ત્યાં ક્ષણને પ્રસંગ ?” અને અશુચિ ભાવને પર “સનત્ કુમાર’ ચક્રવર્તીનું વિરાગ્યમય ચરિત્ર જ છેવટે ઉપદેશ કર્યો છે –“રક્તપિત્ત જેવા સદૈવ લેહી પરૂથી ગદ્ગદતા, મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાનો જેને સ્વભાવ છે, જે પ્રત્યેક રેમે પણ બબ્બે રેગવાળી હાઈ રોગનો ભંડાર છે, અન્ન વગેરેની ન્યૂનાધિકતાથી જે પ્રત્યેક કાયામાં દેખાવ દે છે, મળમૂત્ર, નર્ક, હાડ, માંસ, પરૂ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટક્યું છે, ત્વચાથી માત્ર જેની મનહરતા છે તે કાયાનો મોહ ખરે વિભ્રમ જ છે. સનત્કુમારે જેનું લેશમાત્ર માન કર્યું તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો પામર ! તું શું મેહે છે? એ મોહ મંગળદાયક નથી.” ઇત્યાદિ. આ ઉપરાંત “જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બે ?” એ મેક્ષમાળાના પાઠમાં તે વૈરાગ્યનું પ્રયોજન પ્રકાશતાં વૈરાગ્યમૂર્તિ શ્રીમદ્ વદે છે કે—“જ્ઞાનીઓએ એને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય કહ્યો છે. આ વિશેષણે લગાડવા પહેલાં એમણે સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરેલો જણાય છે. અનંત ભવનું પર્યટન, અનંતકાળનું અજ્ઞાન, અનંત જીવનને વ્યાઘાત, અનંત મરણ, અનંત શેક એ વડે કરીને સંસારચક્રમાં આત્મા ભમ્યા કરે છે. સંસારની દેખાતી ઈન્દ્રવારણ જેવી સુંદર મહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાંખે છે. ૪૪ જ્ઞાનીઓ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. એ સંસારની તલ જેટલી જગ્યા પણ ઝેર વિના રહી નથી. એક ભુંડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે, એટલે ચક્રવર્તીની સંસાર સંબંધમાં જેટલી માહિની છે, તેટલી જ બલકે તેથી વિશેષ ભુંડને છે.” ઇત્યાદિ પ્રકારે ભુંડ અને ચકવર્તીની સાંગોપાંગ તુલના કરી દેખાડી બોધ્યું છે કે–એ સુખ નથી, છતાં સુખ ગણે તો જે સુખ ભયવાળાં અને ક્ષણિક છે તે દુઃખ જ છે. અનંત તાપ, અનંત શેક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy