________________
અધ્યાત્મ રાજચંદ્ર અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી,
અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે, સકળ જગત હિત કારિણી હારિણી મેહ,
તારિણી ભવાબ્ધિ મેક્ષ ચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ,
આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહે ! રાજ્યચંદ્ર! બાલ ખ્યાલ નથી પામતા એ,
જિનેશ્વર તણી વાણી જાણે તેણે જાણી છે.
પ્રકરણ સોળમું દર્શનપ્રભાવક ભાવનાબોધનું સર્જન
ઓગણીસમેંને બેતાલીસે અદ્ભુત વૈરાગ્ય ધાર રે” આ દર્શનપ્રભાવક મોક્ષમાળાનું સર્જન શ્રીમદે ૧૬ વર્ષ ને ૫ માસની વચે કર્યું ત્યારે તેમના અંતમાં ઉગ્ર ઉત્કટ વૈરાગ્ય વર્તાતે હતે. તે મોક્ષમાળાના કેટલાક વૈરાગ્યવિષયક શિક્ષા પાઠો પરથી સહજ સમજાય છે. કર્તાની કૃતિમાં કર્તાના માનસનું તાદશ્ય પ્રતિબિંબ પડે છે અને તેના આત્માનું અંતર્ગત વ્યક્તિત્વ (Presonality) ઉપસી આવે છે, અને તે વિચક્ષણ વિવેકી જનને સ્વયં બુદ્ધિગોચર થાય છે. તેમ તેમની આ મહાન કૃતિમાં શ્રીમદ્દના પરમ વૈરાગ્યમય, કરુણામય, ભક્તિમય, શીલમય, જ્ઞાનમય દિવ્ય આત્માનું તથાદર્શન સુજ્ઞ વિવેકી સજજનેને થાય છે. શ્રીમદે જ સત્સમાગમપ્રસંગમાં એક વખત શ્રીમુખે પ્રકાર્યું હતું કે –“મેક્ષમાળા રચી તે વખતે અમારો વૈરાગ્ય ગવાસિષ્ઠના વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામચંદ્રજીને વૈરાગ્ય વર્ણવેલે છે તે હતો અને તમામ જૈન આગમે સવા વર્ષની અંદર અમે અવલોકન કર્યા હતાં. તે વખતે અદ્દભુત વૈરાગ્ય વર્તાતે હતો, તે એટલા સુધી કે અમે ખાધું છે કે નહીં તેની અમને સ્મૃતિ રહેતી નહી.” આમ પુરાણપ્રસિદ્ધ ભૂતકાલીન રામચંદ્રને આ વર્તમાનકાલીન રાજચંદ્ર કે સત્યકાર કરાવ્યું છે તે સ્વયં સુપ્રતીત થાય છે; અને ગુણસામ્યથી રામાયણ જેવા આ “રાજાયણમાં તેનું સહજ સ્મરણ થાય છે.
મોક્ષમાળામાં શ્રીમદે વિરાગ્યરસની કેવી હેલી વર્ષાવી છે તેના ઉદાહરણો – “સંસારમાં અશરણુતા અને અનંત અનાથતા છવાઈ રહી છે, તેને ત્યાગ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ શીલને સેવવાથી જ થાય છે, એ જ મુક્તિનાં કારણરૂપ છે'—એમ અનાથી મુનિના વીતક ચરિત્રથી બધી, “ચારે ગતિના દુઃખને તારશ્ય ચિતાર રજૂ