SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાળાની બહાર્શનમભાવનાનું દિર્શન ૯૭ તવપરીક્ષાથી એમ જણાયું કે જગકર્તુત્વવાદ મિથ્યા છેટે છે ત્યારે શ્રીમદે તે રૂઢ ને મૂઢ માન્યતાને એકદમ તિલાંજલિ આપી તે જ જગકર્તુત્વવાદનું અત્યંત જોરશોરથી ખંડન કરી દેખાડયું; તે તેમની પરમ અદ્દભુત ન્યાયપ્રિયતા, સત્યવાદિતા, નિરાહિતા અને નૈતિક હિંમતને (Moral courage) અચૂક પૂરા અને ઉત્તમ નમૂનો છે. અને આમ જરા પણ અન્યાય ન સહન કરી શકે એવા આ પરમ ન્યાયમૂરિ શ્રીમદ્દ અને છેવટે પિતાને ઉગ્ર પુણ્યપ્રકોપ ઠાલવતાં નિષ્પક્ષપાતન્યાયી મહાવીરશાસનના મહાવીર સંરક્ષકની અદાથી અદ્ભુત આત્મવીરતાથી ગર્યા છે જે ન્યાયથી જય મેળવી શકતો નથી, તે પછી ગાળો ભાંડે છે, તેમ પવિત્ર જનના અખંડ તત્ત્વસિદ્ધાંતે શંકરાચાર્ય, દયાનંદ સંન્યાસી વગેરે જ્યારે તેડી ન શક્યા ત્યારે પછી જન નાસ્તિક હૈ, સે ચાર્વાકમૅસે ઉત્પન્ન હુઆ હૈ એમ કહેવા માંડયું; પણ એ સ્થળે કઈ પ્રશ્ન કરે, કે મહારાજ ! એ વિવેચન તમે પછી કરે. એવા શબ્દો કહેવામાં કંઈ વખત વિવેક કે જ્ઞાન જોઈતું નથી, પણ આનો ઉત્તર આપો કે જેન વેદથી કયિ વસ્તુમાં ઉતરતે છે; એનું જ્ઞાન, એનો બેધ, એનું રહસ્ય, અને એનું સતશીલ કેવું છે તે એકવાર કહે. આપના વેદવિચારો કયી બાબતમાં જૈનથી ચઢે છે? આમ જ્યારે મર્મસ્થાન પર આવે ત્યારે મૌનતા સિવાય તેઓ પાસે બીજું કંઈ સાધન રહે નહીં. જે સતપુરુષોનાં વચનામૃત અને ગબળથી આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્ત્વજ્ઞાન અને મહાશીલ ઉદય પામે છે, તે પુરુષો કરતાં જે પુરુષ શૃંગારમાં રાચ્યા પડ્યા છે, સામાન્ય તત્વજ્ઞાનને પણ નથી જાણતા, જેને આચાર પણ પૂર્ણ નથી, તેને ચઢતા કહેવા, પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્ય સ્વરૂપની અવર્ણ ભાષા બોલવી, પરમાત્મસ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બોલતાનું સૂચન કરે છે?” ઈ. (પાઠ ૧૭). આ તત્ત્વાવધ પાઠના કેટલાક નમુનારૂપ અવતરણો પરથી શ્રીમદે જિનદર્શનની વિતરાગદર્શનની કેવી મહાપ્રભાવના કરી છે તેને સુજ્ઞ વાચકને કંઇક ખ્યાલ આવશે. મત-દર્શન–સંપ્રદાયના આગ્રહને વિસર્જન કરી, કેઈ પણ સુજ્ઞ વિવેકી વિચક્ષણ આ મહાદર્શનપ્રભાવક મેક્ષમાળાના માત્ર આ તસ્વાવબોધના સત્તર પાઠોનું મધ્યસ્થ નિષ્પક્ષપાત દષ્ટિથી અવલોકન કરશે, તો તેને એકદમ આ ગ્રંથની મહાદશનપ્રભાવકતાની આત્મપ્રતીતિ થશે, અને અંતમાંથી સહજ ઉદ્ગાર નિકળી પડશે કે પૂર્વે પ્રાયે કદી પણ ન થઈ હોય એવી જિનદર્શનની અપૂર્વ મહાપ્રભાવના કરનાર આ ખરેખર ! મહાદર્શનપ્રભાવક ગ્રંથ છે, એમ અત્રે ડિડિમનાદથી ઉદ્દઘષવામાં આવ્યું છે તે યથાર્થ છે. આવા આ મહાદર્શનપ્રભાવક ગ્રંથના અંતે શ્રીમદે જિનેશ્વરની વાણીની સુક્તકંઠે બુલંદ સ્વરે પ્રસ્તુતિ કરી છે, તે મૃતકને પણ ઉભા કરી દે–જીવંત કરે એવી મહાપ્રાણવાન અને બહેરાને પણ સાંભળતા ને આંધળાને પણ દેખતા કરે એવું સામર્થ્ય દાખવતી હોઈ, જગમાં જિનવાણીને કે વગડાવનારી છે, તે સકણું જને સાંભળો!– અ-૧૩
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy