________________
અધ્યાત્મ રાજર્ષિક અને અત્રે ૧૪મા પાઠમાં તો શ્રીમદ્ રાજચંદ્ર મહાન શ્રી હેમચંદ્રાચાર્યજીની જેવા અદ્ભુત આત્મનિશ્ચયથી ગર્યો છે ને ડિડિમનાદથી ઉદ્ઘોષે છે કે–જેનના એકેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તે પણ પાર પમાય નહીં તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મ-તેના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી. જેનામત જેણે જાણ્ય, અને સેવ્યું તે કેવળ નિરાગી અને સર્વજ્ઞ થઈ જાય છે. એના પ્રવર્તકે કેવા પવિત્ર પુરુષ હતા ! એના સિદ્ધાંત કેવા અખંડ સંપૂર્ણ અને દયામય છે! એમાં દૂષણ તે કાંઈ છે જ નહિં! કેવળ નિર્દોષ તે માત્ર જેનું દર્શન છે! એ એકે પારમાર્થિક વિષય નથી કે જે જેનમાં નહીં હોય અને અને એવું એકે તત્ત્વ નથી કે જે જનમાં નથી; એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈનદર્શન છે. પ્રજનભૂત તત્વ એના જેવું કયાંય નથી. એક દેહમાં બે આત્મા નથી; તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જૈનની તુલ્ય બીજું દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? તે માત્ર તેની પરિપૂર્ણતા, નિરાગિતા, સત્યતા અને જગદ્હિનૈષિતા.” આવા પરમ ભવ્ય શબ્દોમાં વીતરાગ દેવની અને વીતરાગ દર્શનની મહાપ્રતિષ્ઠા કરતી આત્મવીર શ્રીમદની આ વીરગજના સમગ્ર જૈનસાહિત્યમાં અને ઈતિહાસમાં અજોડ છે.
આગળ જતાં તત્ત્વાવબેધના છેવટના ત્રણ પાઠમાં (૧૫–૧૬–૧૭) તે આ મહાપ્રતિષ્ઠાને એર વાલેપ દઢ બનાવી છે. જિનદર્શનના પવિત્ર સિદ્ધાંતનું પિતાને લેશ પણ ભાન નહિ હોવા છતાં સમજ્યા વિના જે મહામેહમૂદ્ધ જનોએ પવિત્ર જૈનદર્શનને નાસ્તિક કહેવાની કુચેષ્ટા કરી છે, તેઓ પ્રત્યે શ્રીમદ્દ જેવા પરમ શાંતમૂતિને પણ પુણયપ્રકોપ ઊઠી આવ્યું છે કે – “છતાં મને બહુ આશ્ચર્ય લાગે છે કે કેવળ શુદ્ધ પરમાત્મતત્વને પામેલા, સકળ દૂષણ રહિત, મૃષા કહેવાનું જેને કંઈ નિમિત્ત નથી એવા પુરુષનાં કહેલાં પવિત્ર દર્શનને પોતે તો જાયું નહીં, પોતાના આત્માનું હિત તે કર્યું નહીં, પણ અવિવેકથી મતભેદમાં આવી જઈ કેવળ નિર્દોષ અને પવિત્ર દર્શનને નાસ્તિક શા માટે કહ્યું હશે? પણ એ કહેનારા એનાં તત્વને જાણતા નહતા. (પાઠ ૧૫) ૪ ૪ પવિત્ર જૈનદર્શનને નાસ્તિક કહેવરાવનારાઓ એક મિથ્યા દલીલથી ફાવવા ઈચ્છે છે, કે જેનદર્શન આ જગના કર્તા પરમેશ્વરને માનતું નથી.” (પાઠ-૧૬) આ જગકર્તવવાદીની મિયા દલીલને રદીઓ આપતાં શ્રીમદે આવા મિથ્યા માની લીધેલા કહેવાતા જગકર્તાને ઉધડો લઈ કુશળ ધારાશાસ્ત્રીની અદાથી અત્રે અજબ કુશળતાથી જગતકર્તુત્વવાદના કુરચે કુરચા ઉડાવી દીધા છે, અને છેવટે નિષ્કારણુકરુણાથી કહ્યું છે કે–“સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે, એક રજકણથી કરીને આખા જગના વિચારો જેણે સર્વભેદે કહ્યા છે તેવા પુરુષોનાં પવિત્ર દર્શનને નાસ્તિક કહેનારા કયિ ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે!” (પાઠ ૧૬) અત્રે શ્રીમની મધ્યસ્થ નિષ્પક્ષ તત્વપરીક્ષાદષ્ટિ પરાકાષ્ઠાને પામે છે. કારણ કે નાનાપણમાં સંગદોષથી જગકર્તુત્વવાદની શ્રદ્ધા પિતાને દઢ થઈ હતી તે જ્યારે મધ્યસ્થ