SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ અધ્યાત્મ રાજ અને ભકિત કેાની કરવી કે જે વડે આત્મા સ્વશક્તિને પ્રકાશ કરે? શુદ્ધ સચ્ચિદાન દ સ્વરૂપ જીવનસિદ્ધ ભગવાન તેમજ સદૂષણરહિત ક`મલહીન, મુકત, વીતરાગ, સકળ ભય, રહિત, સર્વજ્ઞ, સદશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે. તેમજ-ધર્મના મતભેદની સૂક્ષ્મતમ મીમાંસા કરતા પાઠમાં નિષ્પક્ષપાત ન્યાય– મૂત્તિની જેમ ન્યાયતુલાથી તુલના કરતા-શુદ્ધ મધ્યસ્થ નિષ્પક્ષપાત ન્યાયથી તત્ત્વપરીક્ષાપ્રધાની શ્રીમદ્ અદ્દભુત આત્મનિશ્ચયથી ગજે છે— એ ત્રીજા ધર્મોંમતેામાં તત્ત્વજ્ઞાન સંબંધી યથાર્થ સૂક્ષ્મ વિચાર નથી. કેટલાક જગત્કર્તાનેા મેધ કરે છે, પણ જગત્ કર્તા પ્રમાણ વડે સિદ્ધ થઈ શકતા નથી. કેટલાક જ્ઞાનથી મેક્ષ છે એમ કહે છે તે એતિક છે, તેમજ ક્રિયાથી મેાક્ષ છે એમ કહેનારા પણ એકાંતિક છે, જ્ઞાન, ક્રિયા એ બન્નેથી મેાક્ષ કહેનારા તેના યથાર્થ સ્વરૂપને જાણતા નથી; અને એ બન્નેના ભેદ શ્રેણિબંધ નથી કહી શકયા એ જ એમની સજ્ઞતાની ખામી જણાઈ આવે છે. એ ધમ મતસ્થાપકે સદ્દેવતત્ત્વમાં કહેલાં અષ્ટાદશ દૂષણાથી રહિત નહેાતા, એમ એએએ ઉપદેશેલાં શાસ્રા અથવા તેમના ચિત્રા પરથી પણ તત્ત્વની દૃષ્ટિએ જોતાં દેખાય છે. ×× જે પૂર્ણ દર્શીન વિષે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નિરાગીનાં સ્થાપન કરેલાં દર્શીન વિષે છે. એના બેાધદાતા સન અને સદશી હતા; કાળભેદ છે તે પણ એ વાત સિદ્ધાંતિક જણાય છે. દયા, ખાચ, શીલ, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, ક્રિયાદિ એનાં જેવાં પૂર્ણ એકેએ વહુબ્યાં નથી. તેની સાથે શુદ્ધ આત્મજ્ઞાન, તેની કેાટિએ, જીવનાં ચ્યવન, જન્મ, ગતિ, વિમહગતિ, ચેાનિદ્વાર, પ્રદેશ, કાળ, તેનાં સ્વરૂપ—એ વિષે એવા સૂક્ષ્મ મેધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશ`કતા થાય. કાળભેદે પર પરાસ્નાયથી કેવળજ્ઞાનાદિ જ્ઞાના જોવામાં નથી આવતાં, છતાં જે જે જિનેશ્વરનાં રહેલાં સિદ્ધાંતિક વચનો છે તે અખંડ છે. તેઓના કેટલાક સિદ્ધાંતા એવા સૂક્ષ્મ છે કે જે એકેક વિચારતાં આખી જીંદેંગી વહી જાય. જિનેશ્વરનાં કહેલાં ધમ તત્ત્વથી કોઈપણ પ્રાણીને લેશ પણ ખેદ ઉત્પન્ન થતા નથી. સવ આત્માની રક્ષા અને સર્વાત્મશક્તિના પ્રકાશ એમાં રહ્યો છે. એ ભેદો વાંચવાથી, સમજવાથી અને તે પર અતિઅતિ સૂક્ષ્મ વિચાર કરવાથી આત્મશક્તિ પ્રકાશ પામી જૈનદનની સર્વજ્ઞતાની, સર્વોત્કૃષ્ટપણાની હા કહેવરાવે છે. બહુ મનનથી સ`ધ`મત જાણી પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે.' ઇત્યાદિ. આ ગ્રંથના કીર્ત્તિ કળશરૂપ તત્ત્વાવાધના સત્તર પાઠમાં તેા શ્રીમદ્દે જિનદર્શીનપ્રભાવનાની અવધિ જ કરી છે. પદે પદે જ્યાં અનન્ય વીતરાગભક્તિ અને અપૂર્વ વીતરાગદશ નવિનિશ્ચય નિઝરે છે એવા આ અચિંત્યચિ'તામણિ સમા પાઠમાં શ્રીમદે જિનદર્શનના મુખ્ય અંગભૂત સારસČસ્વરૂપ નવતત્ત્વવિજ્ઞાનના અપૂર્વ મહાપ્રભાવ વિસ્તા છે. ત્યાં તેઓશ્રીએ પ્રકાશ્યું છે તેના સ્થળસ કૈાચથી માત્ર બે-ચાર નમુનારૂપ વચને અત્ર ટાંકી સતેાષ માનશું— આત્મા અનાત્માનું સત્ય સ્વરૂપ નિગ્રંથ પ્રવચનમાંથી જ પ્રાપ્ત થઈ શકે છે. અનેક અન્ય મતામાં એ બે તત્ત્વા વિષે વિચારો દર્શાવ્યા છે,
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy