SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલમયી મોક્ષમાળાની અદભુત સંકલના ૯૩ તે શુભ સંખ્યા જાણે પંચપરમેષ્ઠિના એકસો આઠ ગુણનું સહજ સ્મરણ કરાવે છે. એવી મંગલમયી આ કમેક્ષમાળા છે. કર્તાની કૃતિમાં તેના વ્યકિતત્વનું પ્રતિબિંબ પડે છે એ સામાન્ય ન્યાયે શ્રીમદની આ બાલવયની કૃતિમાં તેમનું વિકસતું વ્યક્તિત્વ કેવું ઉપસી આવે છે, તે દર્શાવવા આ ગ્રંથની વિષયસંકલનાનું અત્રે સંક્ષેપે દિગદર્શન કર્યું. પ્રકરણ પંદરમું મોક્ષમાળાની મહાદર્શનપ્રભાવનાનું દિગ્દર્શન આમ આ જિનદર્શનની-વીતરાગદશનની મહાપ્રભાવના કરનારા આ મોક્ષમાળા (બાલાવબોધ) ગ્રંથમાં પદે પદે શ્રીમદ્દની અનન્ય વીતરાગભકિત નિર્ઝરે છે, વીતરાગદર્શનને અપૂર્વ તત્ત્વવિનિશ્ચય પિોકારે છે, નિગ્રંથ વીતરાગ શાસન પ્રત્યેને પરમ પ્રેમ ઉલ્લસે છે, અદ્ભુત વૈરાગ્ય વિલસે છે, અલૌકિક તત્ત્વજ્ઞાનના ચમત્કાર ચમકે છે, ન્યાયવાદિતા–સત્યવાદિતાના રણકાર રણકે છે, મધ્યસ્થ નિષ્પક્ષપાત ન્યાયષ્ટિ ઝબકે છે, પરમ કરુણામય હૃદય ધબકે છે, સમદર્શી–વિશ્વબંધુત્વ ભાવ ભપકે છે, અનુપમ સશીલની સૌરભ મહકે છે. આ મહાદર્શનપ્રભાવક ગ્રંથમાં શ્રીમદે અનન્ય શાસનદાઝથી પદે પદે વીતરાગ શાસનની મહાપ્રભાવના કરી છે, પણ કેટલાક વિશિષ્ટ સ્થળોએ તો જગતુના ચોગાનમાં જિનદર્શનની મહાપ્રતિષ્ઠા કરી જગમાં જિનશાસનનો કે વગડાવ્યો છે. જેમકે-જિનેશ્વરની ભકિત નામના ૧૩ મા પાઠમાં શ્રીમદ્દ પ્રકાશે છે અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શેક, જુગુપ્સા, દાનાંતરાય, લાભાંતરાય, વીર્યંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય, કામ, હાસ્ય, રતિ અને અરતિ એ અઢાર દૂષણમાંનું એક દૂષણ હોય તે પણ તે અપૂજ્ય છે. ત્યારે પૂજ્ય કોણ? આ મોક્ષમાળાની ચાર ભાગમાં યોજવાની શ્રીમદુની ધારણું હતી; (૧) બાલાવબોધ મેક્ષમાળા, (૨) ભાવનાબોધ, (૩) વિવેચન, (૪) પ્રજ્ઞાબેધ મેક્ષમાળા. તેમાં પ્રથમ બે ભાગ–બાલાવબોધ મોક્ષમાળા અને તેના ઉપહારરૂપ ભાવનાબોધ મોક્ષમાળા એ બન્નેની રચના તેઓશ્રીએ ૧૬-૧૭ વર્ષની વયે ૧૯૪૧-૪૨માં કરી; વિવેચનરૂપ ભાગનો ખાસ સ્પષ્ટ નિર્દેશ નથી મળતો, પણ તે ઉપરોક્ત બન્ને પર વિસ્તારથી વિચારરૂપ હો સંભવે છે, અથવા તો સદ્. શ્રી મનસુખભાઈ કિરતચંદે “જીવનરેખા’માં સરહ્યું છે તેમ શ્રીમદ રાજચંદ્રનો અં. પ૫ (ાની આવૃત્તિ) સંભવે છે; અને ચોથા ભાગપ્રજ્ઞાવબોધ મોક્ષમાળાની વિષયકુચિરૂપ (Index) સંકલના શ્રીમદે આ જીવનના ૩૩મા વર્ષમાં-છેલ્લા વર્ષમાં સં. ૧૯૫૬ના આશ્વિન માસમાં લખાવી, પણ આયુઅભાવે તે ગ્રંથ તેમના વરદ હસ્તે લખાવાનું શકય ન બન્યું. આ મહાગુરુએ પ્રદર્શિત કરેલી આ વિષયસચિરૂપ સંકલના પ્રમાણે એમની આ યોજના નિર્વાહવાનું–આ મહાસંતની આજ્ઞા-ઇચ્છાનુસાર પાર ઉતારવાનું કાર્ય કરવા થકિંચિત નમ્ર પ્રયાસ આ ચરિત્રાલેખકે શ્રીમદ્દ દેહાવસાન પછી પચાસ વર્ષે કર્યો છે.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy