SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજશ્ચંદ્ર ચમત્કાર, માનવ દેહ, અનાથી મુનિ, ઉત્તમ ગૃહસ્થ, જિનેશ્વરની ભક્તિ, બાહુબલિ, ચાર ગતિ, સંસારને ચાર ઉપમા, બાર ભાવના, કામદેવ, સત્ય, સત્સંગ, પરિગ્રહ સંકોચવે, યાતના, રાત્રીભોજન, સર્વ જીવની રક્ષા, પ્રત્યાખ્યાન, સુદર્શન, બ્રહ્મચર્ય, ભિખારીને ખેદ, અનુપમ ક્ષમા, રાગ, સામાન્ય મનોરથ, કપિલ મુનિ, તૃષ્ણ, પ્રમાદ, જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બેધ્યો?, અશુચિ કોને કહેવી ?, સામાન્ય નિત્ય નિયમ, ક્ષમાપના, વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે, જિતેંદ્રિયતા, બ્રહ્મચર્યની નવવાડ, સનત્ કુમાર, સમાજની અગત્ય,–એ આદિ વિષયો સત્વશીલ વિભાગમાં સમાય છે. આમ તત્વજ્ઞાન-સશીલ દ્વિવિભાગમાં વિભક્ત વિષયની તત્ત્વકલામય સંકલના છે. અથવા પ્રકારાંતરે સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રિવિભાગમાં વિભક્ત વિષચેની સંકલના અંગે શ્રીમદ્દના એક ચરિત્રાલેખક સદ. શ્રી મનસુખભાઈ કિરતુચંદ મહેતાએ સુંદર મીમાંસા કરી આ પ્રકારે વિશદ તારવણી કરી છે – “નોક્ષમા (શ્રીતત્વાર્થ સૂત્ર, ૧) અર્થાત્ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ મોક્ષમાર્ગ. આ મોક્ષમાર્ગના પ્રથમ અંગ સમ્યગદર્શનના બોધ અર્થે સદેવ, સદગુરુ, સધર્મ, જિનેશ્વરની ભક્તિ, આદિના પાઠ જ્યા. દ્વિતીય અંગ સમ્યગજ્ઞાનના બેધ અર્થે તસ્વાવબોધ, જ્ઞાનસંબંધી બે બેલ, અમૂલ્ય તાત્વિક વિચાર આદિ પાઠ જ્યા. ત્રીજું અંગ સમ્યક્રચારિત્રના બોધ અર્થે અનિત્યાદિ બાર ભાવના, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, સત્સંગ, પરિગ્રહને સંકેચો, જયણ, રાત્રિ જન નિષેધ, પ્રત્યાખ્યાન, સામાયિક, પ્રતિક્રમણ, ક્ષમા, તૃષ્ણ છાંડવી, પ્રમાદત્યાગ, રાગ ત્યજવો, ક્ષમાપના, અશુચિ ટાળવી, ચાર ગતિ, મનોનિગ્રહ આદિના પાઠની યોજના કરી. વચ્ચમાં વચ્ચમાં તે ત્રણે અંગના પુષ્ટ અને સ્પષ્ટ બેધ અર્થે અનાથી મુનિ, કામદેવ શ્રાવક, બાહુબળ, સુદર્શન શેઠ, શ્રેણિક અને અભયકુમાર, ગજસુકુમાર, સનત્કુમાર, કપિલ કેવલી, ગૌતમ સ્વામી આદિનાં પવિત્ર સંબોધક ચરિત્ર ગોઠવ્યાં; સુખ વિષે વિચાર, ભીખારીને ખેદ ઈત્યાદિ બોધપ્રદ કથા છે; અને એ ત્રણે અંગને પુષ્ટ કરે એવા બીજા–ખરી મહત્તા, ઉત્તમ ગૃહસ્થ, ધર્મના મતભેદ, માનવદેહ, સર્વમાન્ય ધર્મ, કર્મના ચમત્કાર, મહાવીર શાસન, સામાન્ય નિત્ય નિયમ, ધર્મધ્યાન, પંચમકાળ, સમાજની અગત્ય, સ્મૃતિમાં રાખવા ગ્ય વચને, જિનેશ્વરની વાણી, બત્રીશ ચેગ, સામાન્ય મનોરથ, પૂર્ણ માલિકા, ઇત્યાદિ–બોધપૂર્ણ પાઠ એજ્યા. આમ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગની અપૂર્વ વાટની ગુંથણી કરી. આખો બંથ સાયંત વિવેક અને મધ્યસ્થતાપૂર્વક અવલોકવાથી આ અપૂર્વ વાત સમજાય તેમ છે. આત્મહિનૈષિએ એ પાઠ મધ્યસ્થ બુદ્ધિથી, મતાંતરને પરિહાર કરી અભ્યાસવા ચોગ્ય છે.”—શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા. આમ આ પરમ પ્રજ્ઞાનિધિ બાલ મહાત્માએ ૧૬-૧૭ વર્ષની લઘુવયે અપૂર્વ પ્રજ્ઞાતિશયથી ગૂંથેલ આ બાલાવબોધ મોક્ષમાળા ગ્રંથની વિષયસંકલના છે. આ મંગલમયી મોક્ષમાળામાં નકારવાળીની જેમ એકસો આઠ પાઠરૂપ ૧૦૮ મણકા છે,
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy