________________
૯૦
અધ્યાત્મ રાજચંદ્ર
ઉત્તમ વિચારો અને ભાવનાઓ પ્રદર્શિત કરી છે, અને ભાવથી પરમ શુચિ જૈન મુનિએના આચારની પ્રશંસા કરી ‘અનુચિ કોને કહેવી?' એ અંગે સુંદર ખુલાસેા કરી, (ગૃહસ્થચેાગ્ય) સામાન્ય નિત્યનિયસ દર્શાવ્યા છે. પછી જેમાં છએ આવશ્યકના ભાવ અદ્ભુત ચમત્કૃતિથી અતર્ભાવ પામે છે, ભક્તિ વૈરાગ્ય આદિ ભાવા અદ્ભુતપણે સભૃત કર્યાં છે, એવા આ ગ્રંથના હૃદયરૂપ મધ્યસ્થાને બિરાજતા સુપ્રસિદ્ધ ક્ષમાપના પાઠ પ્રકાશ્યા છે; અને વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે’ એમ સ્પષ્ટ બતાવી આપ્યું છે. આના અનુસંધાનમાં આ જગમાં પ્રવર્તી રહેલા નાના પ્રકારના ધર્મના મતભેદ અંગે મધ્યસ્થ નિષ્પક્ષપાતપણે પરમ પ્રૌઢ ગભીર તાત્ત્વિક મીમાંસા કરી, નિષ્પક્ષપાત ન્યાયથી સિદ્ધ પૂર્ણ સત્ય જિનદનની મુક્તક કે સ્તુતિ કરી તેની મહાપ્રતિષ્ઠા કરી છે. પછી સુખની શેાધમાં નિકળી પડેલા ગૃહસ્થનું તાદૃશ્ય કાલ્પનિક ચિત્ર આલેખતા સુખ વિષે વિચારમાં આ દૃષ્ટા શ્રીમના આદર્શોનું અને આદ’લક્ષી અદ્ભુત ભવ્ય વ્યક્તિત્વનું પ્રતિબિંબ પ્રત્યક્ષ થાય છે.
પછી ‘ અહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવના મળ્યા' અને હું કાણુ હું કાંથી થયા ? શું સ્વરૂપ છે, મારૂં' ખરૂ? ઇ. સુપ્રસિદ્ધ પંક્તિએથી ગૂંજતા અમર અનેલા અમૂલ્ય તત્ત્વવિચાર કાવ્યમાં ખરેખર ! મહાન્ તત્ત્વજ્ઞાનીને છાજે એવા અનુભવવિચારાના નિચેાડ આપી, આ અમર કાવ્યપંક્તિઓમાં પરમ ભાવવાહી ઉધન કયુ`' છે રે આત્મ તારા ! આત્મ તારા! શીઘ્ર એને ઓળખા! સર્વાત્મમાં સમષ્ટિ ઘો, આ વચનને હૃચે લખેા ! ' (શાહી ઢાળાઇ જવાથી જે ૬૭ મેા પાઠ રદ્ કરવા પડચા, તેને સ્થાને જોગાનુજોગ મૂકવામાં આવેલું જે અમર કાવ્ય થવાને સાચું તે આ જ કાવ્ય.) જે આ ‘મહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવના મન્યા,’ તેને વિષય-કષાયમાં વેડી ન નાંખતાં, જિતેન્દ્રિયતા અભ્યાસવા ચાગ્ય છે, અને તે માટે મનેાજ્ય કેવા પ્રકારે કરવા તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપી, બ્રહ્મચર્યની નવ વાડમાં બ્રહ્મચર્ય જેવા ગભીર વિષયનું સ્વરૂપ સંક્ષેપમાં અતિ ચમત્કારિક રીતે આપ્યું છે. પછી અશુચિ ભાવના અદ્ભુત રીતે બેધતું સનતકુમાર ચક્રવતીનું ચરિત્ર સુદર શબ્દવૈભવથી આલેખી વૈરાગ્યભાવનાની આર વિવૃદ્ધિ કરાવી, એક એક પશુ મેાક્ષ આપવા સમર્થ એવા મેાક્ષસાધક અત્રીશ યાગનું સ્વરૂપ દર્શાવી, અનુપમ મેાક્ષસુખ ભીલના દૃષ્ટાંતથી વવી દેખાયુ છે. આ મેાક્ષના સાધનરૂપ ધ ધ્યાનનું તાત્ત્વિક સ્વરૂપ સવિસ્તર વર્ણવી, ‘જ્ઞાન સબંધી એ મેલ' માં જ્ઞાન સંબંધી તાત્ત્વિક મીમાંસા કરી ‘આ દુઃષમ પાઁચમ કાળમાં પરમાધિ મનઃપ`વ અને કેવળ એ પવિત્ર જ્ઞાન પર પરાસ્નાય જોતાં વિચ્છેદ છે' એમ જણાવી, ૮૧ મા પાઠમાં પંચમ કાળનું સ્વરૂપ સંક્ષેપમાં પ્રકાશ્યું છે.
છેવટે આ ગ્રંથની કલગીરૂપ—આ શાસ્ત્રમંદિરના કળશરૂપ તત્ત્વાવાધના પરમ અદ્ભુત, પરમ અનુપમ, પરમ અલૌકિક સત્તર પાઠ અપૂર્વ તત્ત્વકલાથી આલેખી આ સત્તર વર્ષોંના રાજચ તત્ત્વના પરમ અદ્ભુત પ્રકાશ રેલાવ્યા છે; એટલું જ નહિ