SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલમચી માક્ષમાળાની અદ્દભુત સંક્લના છે' એમ સર્વ જીવની રક્ષાને બોધ અભયકુમારના રેચક દષ્ટાંતથી એર બહલા છે. સર્વ જીવની રક્ષા જે પ્રાણાતિપાતના-હિંસાના પચ્ચખાણ કરે તે કરી શકે છે, તે પરથી પ્રત્યાખ્યાન કરવાને હેતુ મહા ઉત્તમ અને સૂક્ષ્મ છે” એમ કહી પ્રત્યાખ્યાનથી થતા લાભ વર્ણવી દેખાડી, વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે, એમ શ્રેણિક રાજા અને ચડાળના સુબેધક દૃષ્ટાંતથી સમજાવીને કહ્યું છે કે—“વિનય એ ઉત્તમ વશીકરણ છે. ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યો છે.” પછી ઉત્તમ ગૃહસ્થને આદર્શરૂપ એવા એકપત્નીવૃત્ત દઢપણે પાળનારા સુશીલસંપન્ન સુદર્શન શેઠનાં સચ્ચારિત્ર પરથી સશીલને બંધ કરી, ચોત્રીશમા પાઠમાં બ્રહ્મચર્ય વિષે સુભાષિત ભાખ્યું છે. પછી મુમુક્ષુને મોક્ષમાર્ગે પ્રયાણમાં પરમ આલંબનભૂત પરમ ઉપકારી પંચ પરમેષ્ઠિનું પરમ ભક્તિપૂર્ણ સ્વરૂપ વર્ણવી, અનાનુપૂર્વીની સુંદર ભેજના ધ્યાન એકાપ્રતાર્થે પ્રશંસી છે. આ પરમ સામ્યસ્થિત શુદ્ધ સ્વરૂપસ્થ પંચ પરમેષ્ઠિના સ્મરણ– ભક્તિપૂર્વક મુમુક્ષુએ સામાયિક કરવા ગ્ય છે, કારણ કે “આત્મશક્તિને પ્રકાશ કરનાર, સમ્યજ્ઞાનદર્શનને ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાને અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાવૃત્ત છે,” તે સામાયિક બત્રીશ દેષથી રહિતપણે કેવી રીતે સમ્યફપણે કરવું તે માટે સામાયિક વિચાર કરી, સામાયિકીકાળ સ્વાધ્યાયાદિમાં કેવી રીતે વ્યતીત કરે તેનું માર્ગદર્શન આપી, પ્રતિકમણ વિચાર પણ કર્યો છે. પછી વૈરાગ્ય ભાવનાની એર વૃદ્ધિ અર્થે અનિત્ય ભાવના દર્શાવતે “ભીખારીને ખેદ' એક મહાકવિને છાજે એવી અદ્ભુત સ્વભાક્તિથી વર્ણવી દેખાડે છે, અને કોને પ્રતિપક્ષ “ક્ષમા એ અંતર્શત્રુ જીતવામાં પડ્યું છે, તે ગજસુકુમારની અનુપમ ક્ષમાના દષ્ટાંતથી સમજાવી, મહાવીર ભગવાન જેવા પરને મેહ ગૌતમ જેવા ગણધરને દુઃખદાયક થયે—કેવળજ્ઞાનમાં આવરણરૂપ પ્રતિબંધક થયો એ પરથી રાગનું અનિષ્ટપણું બેઠું છે. પછી ગૃહસ્થગ્ય સામાન્ય મનોરથનું સુંદર ભાવવાહી હૃદયંગમ કાવ્ય લલકારી, લાભ વધે તેમ લોભ વધે એમ તૃષ્ણની અનંતતા અને અનિષ્ટતા દર્શાવતું કપિલ મુનિનું ચરિત્ર એક મહાકવિની છટાથી અદ્દભુત સ્વભાક્તિમય તાદશ્ય ચિત્રથી આલેખ્યું છે, અને આ જ ભાવના સંવર્ધનાર્થે તૃષ્ણની વિચિત્રતાનું કાવ્ય એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણના સ્વભાક્તિમય ચાર તાદશ્ય આબેહુબ શબ્દચિત્ર દેરી ઉત્તમ કવિત્વપૂર્ણ ચમકથી અને ઝમકથી લલકાર્યું છે. પછી પ્રમાદનું સ્વરૂપ દર્શાવી “માં જોમ ના માથs”—એ પ્રસિદ્ધ ઉક્તિથી સમયને પણ પ્રમાદ કરવા યોગ્ય નથી એમ બંધ કરી, વિવેક એટલે શું? તે સમજાવ્યું છે, અને જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોળે? એ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે –“વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભેમિયો છે.” ગ્રન્થની મધ્યમાં-પ૩ મા પાઠમાં મંગલમૂર્તિ ભગવાન મહાવીરનું પવિત્ર નામ સ્મરણ કરવારૂપ મધ્ય મંગલ કરી મહાવીર શાસન અંગે અનુપમ શાસનદાઝથી બ-૧૨
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy