________________
અધ્યાત્મ રાજચંદ્ર
વૈરાગી વિરક્તચિત્ત સંત હતા; ઉચ્ચગ્રાહી–સારગ્રાહી–ગુણગ્રાહી દષ્ટિવાળા, શીઘગામી પ્રજ્ઞાવાળા “આશુપ્રજ્ઞ' હતા; અસાધારણ નિપુણ વિકસંપન્ન હતા. એમના સમકાલીન એક લેખકે–“સાક્ષાત્ સરસ્વતી'ના લેખકે લખ્યું છે તેમ “નવું નવું શીખવાની, નવું નવું સાંભળવાની, નવું નવું મનન કરવાની અને નવું નવું સુંદર ભાષણ બેલવાની એમની ઉત્કૃષ્ટ ઈચ્છા એ દશ વરસની જ વયમાં હદપાર થઈ ગઈ હતી. એટલે લઘુવયથી જ શ્રીમદ્ નવું નવું દેખે તે શીધ્ર શીખી લેતા, એટલું જ નહિં પણ હંસાક્ષીન્યાયે દોષ દૂર કરી ગુણ ગ્રહી જેનું અનુકરણ કરતા તેનાથી પણ તે. વિષયમાં શીઘ આગળ વધી જતા. જેમ કે-અષ્ટાવધાન, શતાવધાન આદિ. નાનપણમાં જ સ્મૃતિઅતિશય આદિસંબંધમાં જે ચમત્કારો દાખવ્યા, ધર્મ-વ્યવહાર-દેશદાઝ-સંસાર સુધારો–પરમાર્થ આદિ અંગે કાવ્યનું–સાહિત્યસૃષ્ટિનું સર્જન કર્યું, તે બધા આ તેમની નૈસર્ગિક ક્ષયે શમશકિતના સહજ ચમત્કારિક આવિષ્કાર હતા. પણ આ બધા ક્ષેપશમના બાહ્ય ચમત્કારોથી શ્રીમદ્દ અંતરાત્મા સંતુષ્ટ ન હતો. આત્માર્થલક્ષી એમના અંતરમાં એમ વેદાતું હેવું જોઈએ કે આવા પશમે તે કંઈક દીઠા, આ બધું તો પૂર્વાનુપૂર્વ છે, પૂર્વે આ જીવે અનંતીવાર કર્યું છે, અનંતવાર શ્રુતપૂર્વ છે, અનંતવાર પરિચિતપૂર્વ છે, અનંતવાર અનુભૂતપૂર્વ છે; આમાં અપૂર્વ કાંઈ નથી, અપૂર્વ કાંઈ જુદું જ હોવું જોઈએ. આવું સંવેદન તેમના અંતરમાં થયા કરતું. આમ “અપૂર્વ શોધમાં તેઓ હતા જ, ત્યાં પૂર્વે કહ્યા પ્રમાણે ગાનુયોગે (પ્રતિકમણ સૂત્રાદિ) વીતરાગ શાસ્ત્રોને એમને સુયોગ પ્રાપ્ત થયું. તેથી “અપૂર્વ વાતને-અપૂર્વ વાટનો તેમને ભાસ થયે, અને તેનો અનુસાર–અનુસરણરૂપ ભાવ ઉલ્લ. આ અંગે શ્રીમદના એક સમર્થ ચરિત્રાલેખક સદ્. શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાએ (આ લેખકના પૂ. પિતાશ્રીએ) સુંદર મીમાંસા કરી છે–
ઉચ્ચ અભિલાષવાળું મન પિતાને અપૂર્વ ઉચ્ચ આશય ફળીભૂત કરવા પગ વાળીને ન બેસે; સાચી ભાવના અને જિજ્ઞાસાપૂર્વક ખેજ કરે, અને એ ભાવના સિદ્ધ થાય જ. આમ સ્વયં અપૂર્વ વસ્તુની સિદ્ધિ, પરિતૃપ્તિ અર્થે ખેજના કરતાં ગાનુગ વીતરાગ શાસ્ત્રોને યોગ છે. શ્રી મહાવીરના બોધેલ ઉત્તરાધ્યયન, દશવૈકાલિક આદિ પવિત્ર, પરમાર્થદર્શક, તત્વબોધક સૂત્રે વાંચવામાં આવ્યાં. શ્રી હરિભદ્રસૂરિનાં લકતત્ત્વનિર્ણયાદિ, શ્રી સિદ્ધસેન દિવાકરના સંમતિ આદિ વાંચવામાં આવ્યાં.
સ્મૃતિ, પ્રતિભા અને ગ્રાહકશક્તિ અત્યંત સતેજ હોઈ તે એકવાર જ અને અ૫ સમયમાં વંચાઈ સાંગોપાંગ બધું પૂર્વાપર સમજાઈ અંતઃસ્થ થઈ ગયું. અપૂર્વ વાતને, અપૂર્વ વાટને ખ્યાલ આવ્યું, તેને અનુસરવા પ્રયત્ન થયું. આ વિ. ૧૯૪૧માં થયું. અને એ અંગે શ્રીમદ્ કહે છે કે –“ઓગણીસસેં ને એકતાલિસે આવ્યા અપૂર્વ અનુસાર રે. –શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા.
દુઃખ શું? દુઃખના મૂળ કારણ શું? દુઃખ કેમ મટે? તેની ચિકિત્સા કેમ થાય? ઈ. પ્રશ્નોનું યથાર્થ સમાધાન જીવને પૂર્વે પ્રાપ્ત થયું નથી, તેથી અત્યાર સુધી