________________
“આ અપૂર્વ અનુસાર રે તેણે બધુંય પૂર્વાનુપૂર્વ કર્યા કર્યું છે, અપૂર્વ કાંઈ કર્યું નથી. “જન્મ જરા ને મૃત્યુ એ જ “મુખ્ય દુઃખના હેતુ છે, અને “રાગ દ્વેષ અણહેતુ’ તેના બે કારણ છે, “વચનામૃત વીતરાગના, પરમશાંતરસમૂળ” એ “ઔષધ છે ભવરોગના—ભવરગના અમેઘ ઔષધ છે. ભવરોગ નિવારવા માટે ચિકિત્સાશાસ્ત્ર પ્રસિદ્ધ ચાર વાનાં જાણવાં જોઈએ. પ્રથમ તે રેગ (Disease) શું ? એ જાણવું જોઈએ, આ રેગ હેય ત્યજવા ગ્ય છે. બીજુ રોગને હેતુ (aetiology) શું? એ જાણવું જોઈએ; આ હેય હેતુ છે. ત્રીજું આરોગ્ય (Normal healthy condition, cure) શું? તેનું સ્વરૂપ જાણવું જોઈએ, આ હાન છે. અને ચોથું રોગનું ઔષધ (Therapeutic treatment) શું? એ જાણવું જોઈએ ? આ હાનહેતુ છે. તેમ અત્રે (ભવરોગની બા.માં) (૧) અજીવ કર્મ અને તજજન્ય સંસાર એ રેગ છે, માટે હેય છે; (૨) હેય એવા આ કર્મવેગના હેતુ આશ્રવ અને બંધ છે, આ હે હેત છે; (૩) આ કમરેગના હાનહેતુ-મટાડવાના ઉપાય સંવર અને નિજર છે; (૪) અને કમરેગનું હાન–મટી જવું તે મોક્ષ અર્થાત્ આત્માનું આરોગ્ય છે. આવા પ્રકારે જીવન આ મહાભવરગની અમેઘ ચિકિત્સા ભવવ્યાધિના ભિષવરો વીતરાગેએ બતાવી છે. ઇત્યાદિ પ્રકારે બંધ-મોક્ષની તાત્વિક સંકલનાપૂર્વક ભવરગનિવારણને મોક્ષરૂપ સન્માર્ગ વીતરાગ શાસ્ત્રોના સહજ નિમિત્ત માત્રથી “આશુપ્રજ્ઞ શ્રીમને શીધ્ર સમજાઈ ગયે; અંતરાત્મામાં પ્રદેશ પ્રદેશ ઠસી ગયે; “અપૂર્વ વાટ તે આ જ છે એમ ચોક્કસ નિશ્ચય થ, અને અનુસરવા ગ્ય પણ આ જ એક અદ્વિતીય ક્ષસન્માર્ગ છે એમ નિર્ધાર થયે; કાયાની માયાને વિસારી દઈ જે સ્વરૂપમાં સમાઈ ગયા એવા “નિગ્રંથનો પંથ' એ જ “ભવતને ઉપાય છે એમ અપૂર્વ આત્મવિનિશ્ચય શ્રીમદના દિવ્ય આત્મામાં પ્રગટ્યો, અને તે “અપૂર્વ અનુસાર પ્રવર્તાવાને શ્રીમદને દિવ્ય આત્મા ઉજમાળ બને. વીતરાગ માર્ગને દઢ ભાવરંગ એમને મે રોમે લાગી ગયે-અસ્થિમજજા હાડોહાડ વ્યાપી ગયો; વીતરાગમાર્ગને–નિગ્રંથ માર્ગને વાલેપ દઢ વિનિશ્ચય એમના અંતરમાં સ્થિર થયો. આ જ પરમ સદ્ગુરુના સાક્ષાત્ ચરણોપાસનના પૂર્વ પ્રાપ્ત યોગને “આવ્યો અપૂર્વ અનુસાર.