SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજચંદ્ર અને સુખમાં પણ મહાલય, બાગ, બગીચા, લાડીવાડીનાં કંઇક માન્યાં હતાં. મોટી કલ્પના તે આ બધું શું છે? તેની હતી. તે કલ્પનાનું એકવાર એવું ફળ દીઠું પુનર્જનમે નથી, પાપે નથી, પુણ્ય નથી; સુખે રહેવું અને સંસાર ભેગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહીં પડતાં ધર્મની વાસનાઓ કાઢી નાંખી. કેઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહીં. થોડો વખત ગયા પછી એમાંથી એર જ થયું.” ઇત્યાદિ. અત્રે એમાંથી ઓર જ થયું. ઈ.એ શ્રીમદના શબ્દો એવું સ્પષ્ટ સૂચન કરે છે કે શ્રીમદને કઈ “અપૂર્વ આત્માનુભવ થયે, કેઈ અપૂર્વ આત્મપ્રતીતિ આવી પૂર્વની કેઈ અપૂર્વ આત્મસ્મૃતિ થઈ આવી. સદ્દવૃત્તિઓ વર્ધમાન થઈ શુભ્ર-શુક્લ વૃત્તિઓ દિવિજયી થઈ. નાસ્તિકતાના વિચારો નષ્ટ થઈ સમર્થ તત્ત્વજ્ઞાનના વિચારે સ્પષ્ટ થયા; તૃષ્ણતરંગના વિચારે વિલીન થઈ, પરમ ત્યાગી નિઃસ્પૃહતાના વિચારો આત્મસંલીન થયા, વૈભવવિલાસાદિ વિચાર વિલય થઈ વૈરાગ્યવિલાસના વિચારો સમુદય પામ્યા; લેકાર્થ વિચારે સર્વનાશ થઈ આત્માર્થ લેકોત્તર વિચાર સર્વપ્રકાશ પામ્યા. કામાં થોડી ઘણી રહી સહી બાહ્યદષ્ટિ ઉન્મેલન થઈ, પૂર્ણ આધ્યાત્મિક દષ્ટિ ઉન્મેલન પામી. દેહાથ દષ્ટિને વિયેગ થઈ, શુદ્ધ આત્માર્થદષ્ટિને સંગ થયો. પૂર્વે કિંચિત ક્વચિત્ પરલક્ષી જીવન હવે સંપૂર્ણ સતત આત્મલક્ષી બન્યું. શ્રીમદને દિવ્ય આત્મા આત્માનુભવને દિવ્ય આનંદ અનુભવવા લાગે, પરમ નિઃસ્પૃહ ત્યાગ વિચારમાં રમવા લાગે, પરમ વૈરાગ્યરસતરંગિણીમાં ઝીલવા લાગ્યું. આમ શ્રીમદ્દના દિવ્ય આત્માને અપૂર્વ આત્મભાવ ઉલસવા લાગ્યા. જીવને અપૂર્વ ભાવને ઉલ્લાસ થવો પરમ દુર્લભ છે. આ જીવે પૂર્વાનુપૂર્વ ભાવ તે પૂર્વે અનંતવાર ભાવ્યું છે, પણ અપૂર્વ ભાવ કદી ભાવ્યા નથી. યથાપ્રવૃત્તકરણઅપૂર્વકરણ આદિ શાસ્ત્રપરિભાષા આ વસ્તુની પુષ્ટિ કરે છે. આ શાસ્ત્રપરિભાષા પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે ગ્રંથિભેદ કરી સમ્યગ્દર્શન પામવા માટે જીવે અપૂર્વ આત્મપુરુષાર્થરૂપ અપૂર્વકરણાદિ ફુરાવવા પડે છે, ત્યારે જ તેની પ્રાપ્તિ થાય છે. આ અપૂર્વ આત્મપુરુષાર્થ શ્રીમદે પૂર્વજન્મમાં કુરાવ્યું હતું, અને તેથી જ તેમને ગ્રંથિભેદ થઈ ક્ષપશમ-ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ હતી. અને તે સમ્યક્ત્વધારાના અપૂર્વ ઉલ્લાસમાં જ તેઓ પૂર્વે આઠમા ગુણસ્થાને દ્વિતીય અપૂર્વકરણ કરી ઉપશમશ્રેણી પર આરહ્યા હતા, અને અગીયારમા ગુણસ્થાન સુધી પહોંચી ત્યાંથી પાછા પડ્યા હતા. આ અનુભૂત વસ્તુસ્થિતિ તેમના પિતાના પત્ર પરથી જ સાબીત થાય છે. ઉપશમશ્રેણી બા. એમના સૌભાગ્યભાઈ પરના સુપ્રસિદ્ધ પત્રમાં આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે”-એ શબ્દ આનું સ્પષ્ટ સૂચન કરે છે. તેમજ તે દશા શાથી અવરાઈ?” છે. પત્રલેખ પણ આનું માર્મિક સૂચન કરી ઉક્ત વસ્તુનું એર સમર્થન કરે છે. આમ શ્રીમને પૂર્વે સ્થિભેદ થઈ વેદ્યસંવેદ્યપદ– ક્ષપશમવા ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હતું અને ઉપશમશ્રેણી પર પણ આરોહણ પ્રાપ્ત
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy