________________
પ્રકરણ બારમું આવ્ય અપૂર્વ અનુસાર રે ઓગણીસસેને એકતાલિસે આવ્ય અપૂર્વ અનુસાર રે” –શ્રીમદ રાજચંદ્ર
અપૂર્વ પૂર્વ સંસ્કારને લીધે શ્રીમદ્રની પ્રજ્ઞા અસામાન્ય હતી, પ્રતિભા અસાધારણ હતી, સ્મૃતિ અદ્દભુતાદભુત હતી; શ્રીમદનું આત્મબળ અલૌકિક હતું, એ આત્મબળથી પ્રેરિત એમનું મનોબળ (વિચારબળ)–વચનબળ અનન્ય હતું. એમની વિચારશક્તિ વિવેકશક્તિ, પ્રહણશક્તિ, ધારણશક્તિ, અવધાનશક્તિ, અનુકરણશક્તિ વસ્તૃત્વશક્તિ (વામિત્વ), કવિત્વશક્તિ, કલ્પનાશક્તિ, નવસર્જનશક્તિ એ આદિ અનેકવિધ ક્ષશમશક્તિઓ પરમ આશ્ચર્યકારક હતી. ટૂંકામાં તેમનું ઉપયોગબળ-ગબળ અપૂર્વ હતું. એમના અંતમાં બે પ્રકારની વિચારધારાઓ પ્રવર્તતી હતી. એક તરફ સમર્થ તત્વજ્ઞાનીઓએ કરેલા વિચારો જેવા વિચારે તરંગિત થતા હતા, તો બીજી તરફ સમર્થ નાસ્તિકોએ કરેલા વિચારો જેવા વિચાર પ્રસંગત થતા હતા; એક તરફ ચકવત્તી જેવા તૃષ્ણાના વિચારે ઉદ્ભવતા હતા, તો બીજી તરફ પરમ નિઃસ્પૃહી ત્યાગી મહાત્મા જેવા વિચારો પ્રભવતા હતા; એક તરફ વૈભવવિલાસના વિચાર વિલસતા હતા, તો બીજી તરફ વૈરાગ્યવિલાસના વિચારે ઉલ્લસતા હતા; એક તરફ કવચિત્ લેકાર્થ વિચારે આવી જતા હતા, તો બીજી તરફ શુદ્ધ આત્માથે લોકોત્તર વિચારે પ્રાયઃ સ્થિર થતા હતા. આમ નાના પ્રકારના વિચિત્ર વિષમ વિચારોનું ધમસાણ શ્રીમદ્દના ચિત્તમાં ચાલતું હતું, વિરોધી પ્રતિસ્પધી વિચારનું તુમુલ યુદ્ધ શ્રીમદૂના અંતમાં મચતું હતું. આ અંગે શ્રીમદે જ સ્વયં સમુચ્ચયવયચર્યાવાળા “આત્મકથા પત્રમાં સ્વસંવેદન આલેખ્યું છે કે બાવીસ વર્ષની અ૫વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, અને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારના સંસારી મજાં, અનંત દુઃખનું મૂળ એ બધાને અનેક પ્રકારે મને અનુભવ થયો છે. સમર્થ તત્ત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે વિચાર કર્યા છે, તે જાતિના અનેક વિચારો તે અલ્પવયમાં મેં કરેલા છે; મહાન ચકવત્તીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિસ્પૃહી મહાત્માએ કરેલા નિસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અલ્પ વયમાં મહત્ વિચાર કરી નાખ્યા છે; મહતું વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગંભીર ભાવથી આજે હું દષ્ટિ દઈ જોઉં છઉં, તો પ્રથમની મારી ઉગતી વિચારશ્રેણી, આત્મદશા અને આજને આકાશપાતાળનું અંતર છે, તેને છેડે અને આનો છેડો કેઈ કાળે જાણે મળ્યા મળે તેમ નથી.” તેમજ બીજા એક સ્વસંવેદનરૂપ પત્રમાં (સં. ૮૯) તેઓ પિતાની સ્વસંવેદના પ્રકાશે છે કે–“નાનપણની નાની સમજણમાં કોણ જાણે કયાંયથી એ માટી કલ્પનાઓ આવતી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી;