________________
અનુસંધિ દર્શન શ્રીમદ્ રાજચંદ્રના મુખ્યપણે અધ્યાત્મચરિત્રનું દર્શન કરાવતા આ “અધ્યાત્મ રાજચંદ્ર”નું આલેખન કરતાં પ્રારંભમાં શ્રીમદૂના અધ્યાત્મ જીવનની પૂર્વભૂમિકા દર્શાવતા કેટલાક પ્રકરણનું આલેખન કર્યું. વિશ્વની વિરલ વિભૂતિ આ ભારતના જ્યોતિર્ધર રાજચંદ્ર વિશ્વમાં સૌમ્ય શાંત પ્રકાશ રેલાવી ગયા એ સામાન્યપણે ઉપોદ્દઘાત પ્રકરણમાં દર્શાવી, ભારતના ગગનાંગણમાં ઉગેલી આ દિવ્ય જ્યોતિને પ્રાદુર્ભાવ કયારે થયે, પૂર્વ સંસ્કારની રત્નમંજૂષા લઈને આ અવનિ પર અવતરેલે આ કુલગી કે આજન્મયેગી હતી, એને બાલ્યકાળ શી રીતે વ્યતીત થયો, એને બાલ્યવયમાં જાતિસ્મરણજ્ઞાન કયારે ઉપજયું, એણે અભ્યાસ કેવી ત્વરિત ગતિએ કર્યો, એને બાલ્યવયમાં કેવું સાહિત્ય સર્જન કર્યું, એણે બાલ્યવયના ધર્મસંસ્કાર કેવા થવા પામ્યા, એની સમુચ્ચયવયચર્યા કેવી હતી, એણે ધારશીભાઈ ને હેમરાજભાઈના અદ્ભુત પ્રસંગમાં અતીન્દ્રિય જ્ઞાનના કેવા ચમત્કાર દાખવ્યા, એ આશુપ્રણે શ્રુતજ્ઞાનની કેવી ત્વરિત ઉપાસના કરી, એણે બાલ્યવયના ધર્મમંથનકાળમાં કેવું તત્ત્વમંથન કર્યું , –એ આદિ પ્રકારનું આપણે આ પ્રકરણોમાં દર્શન કર્યું. અધ્યાત્મ જીવન બાહ્ય જીવનની સાથે ઓતપ્રેત-તાણાવાણાની જેમ વણાઈ ગયેલ હોવાથી શ્રીમદ્દનું અધ્યાત્મ જીવન સમજવા તેની પૂર્વભૂમિકા દર્શાવવા આ પ્રકરણોનું આલેખન કર્યું, અને તેની ગેડી પાભૂમિકા (Back-gound) જાણવાનું આવશ્યક હોવાથી તે દર્શાવતા બીજા તેવા કેટલાક પ્રકરણોનું હવે પછી આલેખન કરશું. આટલું પૂર્વાપર સંબંધ દર્શાવવારૂપ અનુસંધેિ દર્શન કરાવી, શ્રીમદના સમગ્ર જીવનને સામાન્ય નિર્દેશ કરી ક્રમશઃ આગળ વધશું.
શ્રીમદના અધ્યાત્મ જીવનનો સમગ્રપણે (as a whole, total) સામાન્ય વિચાર કરતાં અત્ર શ્રીમદ્દના અધ્યાત્મજીવન વિકાસના ત્રણ તબક્કા (Stages, milestones) પાડયા છે–(૧) સં. ૧૯૪૧ થી ૧૯૯૪૬ સુધીનો સમય,સં. ૧૯૪૧માં “આવ્યો અપૂર્વ અનુસાર છે ત્યારથી માંડી સં. ૧૯૪૭ પહેલાનો સમય. (૨) સં. ૧૯૪૭ થી ૧૯૫૩ના પૂર્વ ભાગ સુધીનો સમય,“ઓગણીસસેને સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાર્યું ?” ત્યારથી માંડી ૧૯૫૩ના ફા. વદ ૧૧ સુધીનો સમય. (૩) સં. ૧૯૫૩ના ઉત્તર ભાગથી ૧૯૫૭ના ચૈત્ર વદી ૫ સુધીને સમય,–“ધન્ય રે દિવસ આ અહે” એ ધન્ય કાવ્ય સંગીત કર્યું તે દિનથી (૧૯૫૩, ફા. વ. ૧૨) જીવનના અંતપર્યત સમય.—આ ત્રણ તબકકામાં શ્રીમદૂની અધ્યાત્મદશાને વિકાસ કેમ થતો ગયે તેનું અત્ર અનુક્રમે દર્શન કરશું, અને તેમના અધ્યાત્મજીવનવિકાસક્રમ પર યથાસ્થાને યથાસ્થિત પ્રકાશ નાંખશું. આ અધ્યાત્મ જીવનના ત્રણ તબકકાનું વિશેષ સ્પષ્ટીકરણ આગળ ઉપર તે જ નામના પ્રકરણમાં કરશું. એટલું સામાન્ય સૂચન કરી હવે આ અધ્યાત્મ જીવનના પ્રથમ તબક્કા પર આવીએ છીએ. સં. ૧૯૪૧ થી ૧૯૪૬ સુધીના આ પ્રથમ તબક્કાને અત્ર બે આંતરતબકકામાં વિભક્ત કરેલ છે
(૧) ૧૯૪૧ થી ૧૯૪૪ના પ્રારંભ સુધીનો સમય એ પહેલા તબકકાને પૂર્વભાગ અથવા પહેલે આંતરતબક્કો.
(૨) ૧૯૪૪ના ઉત્તર ભાગથી ૧૯૪૬ સુધીને સમય તે પહેલા તબકકાનો ઉત્તર ભાગ અથવા બીજો આંતરતબક્કો.
તેમાં—પહેલા તબક્કાના પૂર્વભાગનું અથવા પહેલા આંતરૂતબકકાનું વર્ણન હવે પ્રારંભીએ છીએ –