________________
s
અધ્યાત્મ રાજચંદ્ર જાળવીને, કેવળ શુદ્ધ તત્ત્વગવેષકપણે સ્વચ્છ અંતઃકરણથી પરીક્ષા કરતાં જોઈ જોઈને જોયું તે ભગવંત વીતરાગપ્રણીત ધર્મ જ આદિ મધ્ય ને અંત એ ત્રણે કટિમાં, પહેલેથી તે છેલ્લે સુધી, અથથી તે ઈતિ સુધી પૂર્વાપર અવિરુદ્ધ (most consistent) અને સુસંવાદવાળે (most rational) પ્રતીત થયે. તેમજ સોનાની જેમ કષ-છેદ -તાપ એ ત્રિકોટિરૂપ ત્રિવિધ પરીક્ષાથી પણ તેમણે તત્વની ચકાસણી કરી જઈ, તો તે અગ્નિપરીક્ષામાંથી પણ ભગવાન વીતરાગપ્રણીત ધર્મ જ શુદ્ધ સુવર્ણવત્ સમુત્તીર્ણ થ. આમ બંને પ્રકારે વિકેટિપરિશુદ્ધતા વડે કરીને પરીક્ષાપ્રધાનીપણે પરીક્ષા કરતાં ન્યાયમૂર્તિ શ્રીમદના અંતરમાં નાદ ઊઠયો કે ભગવંત વીતરાગનું આ ધર્મચક્ર જ અન્ય અપેક્ષાએ “વર’–પ્રધાન છે; અને તે જ અંતરને નાદ–આપણે હવે પછી
શું તેમ–તેમની પરમ દર્શનપ્રભાવક અમર કૃતિ મોક્ષમાળા (બાલાવબોધ)માં ડિડિમ નાદથી ઉગે.
આમ શ્રીમદ્ જિનદર્શનના–વીતરાગદર્શનના વજલેપ દઢનિશ્ચયી બન્યા, આ ઉપરથી રખેને કઈ એમ ન કલ્પી ત્યે કે શ્રીમદ જિનદર્શનના આગ્રહી બન્યા; પરંતુ અત્ર એમ સ્પષ્ટ જાણી ચે કે સર્વત્ર અત્યંત નિરાગ્રહી બન્યા. કારણ કે આગ્રહ અને ગ્રહણ અને જુદી વસ્તુ છે, આગ્રહ અને ગ્રહણમાં માટે તફાવત છે, કઈ મતને આગ્રહ કરવો તે અભિનિવેશરૂપ ખેંચતાણ છે, પણ સત્ વસ્તુનું પ્રહણ” કરવું તે સત્ય આત્મપ્રતીતિથી સત્ય વસ્તુને મુક્ત કંઠે મુક્ત હૃદયે સ્વીકાર છે. શ્રી યશેવિયજીએ રમુજી શૈલીમાં કહ્યું છે તેમ-મધ્યસ્થનું મનરૂપ વાછડું યુક્તિરૂપ ગાયને અનુસરે છે,–તેની પાછળ પાછળ જાય છે અને તુચ્છ આગ્રહવંતનું મનરૂપ વાંદરું તે યુક્તિ-ગાયને પૂંછડેથી ખેંચે છે !—મનોવતો યુવ, ચરસ્થાનુઘાવતા તાજાતિ ગુન, તુરછાદરાઃ ” આમ “જ” એમ આગ્રહરૂપ એકાંતવાદ એ જ અન્ય દર્શનનું દૂષણ છે અને નિરાગ્રહરૂપ અનેકાંતવાદ એ જ જિનદર્શનનું ભૂષણ છે. સ્વાદુવાદી જિનદર્શન એ જ નિરાગ્રહ ને નિરાહ એ જ જિનદર્શન–એ એના સર્વ સમન્વયકારી સ્યાદુવાદની પરમ અદ્ભુત ચમત્કૃતિ છે; સર્વ દર્શનને પિતાના વિશાળ અંગમાં–પટમાં સમાવી લ્ય એવી એની અદ્ભુત વિશાળતા છે. કારણ કે અનેકાંતી જિનદર્શનનું સર્વદર્શનષ્પાપકપણું તેના સ્વાદુવાદદર્દીપણાને લઈને છે. એટલે યથાયોગ્ય નયવિભાગ પ્રમાણે તે તે દર્શન પોતપોતાના નયની અપેક્ષાએ કર્થચિત-કેઈ અપેક્ષાએ સાચા છે એમ “સ્યા' પદને ન્યાસ કરીને તે સમાધાન-સમન્વય (Reconciliaton) કરે છે. આમ જિનદર્શન સર્વ દર્શનેમાં વ્યાપક (allpervaiding) થાય છે ને સર્વ દર્શને જિનદર્શનના અંગભૂત બને છે; પણ અન્ય દર્શને એકાન્તવાદના આગ્રહરૂપ દૂષણથી દૂષિત હોવાથી એકદેશીય હાઈ સર્વદેશીય જિનદર્શનમાં વ્યાપક થઈ શકતા નથી. સાગરમાં સર્વ સરિતાઓ સમાય છે, પણ સરિતામાં સાગર સમાતો નથી, તેમ જિનદર્શન-સાગરમાં સર્વદર્શન-સરિતાઓ સમાય છે, પણ સર્વદર્શન-સરિતામાં જિનદર્શન-સાગર સમાને નથી. આમ સર્વ