SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજચંદ્ર પ્રતિભાસંપન્ન શ્રીમદ્ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટિના પરીક્ષાપ્રધાન પુરુષ હેઈ, આગમ અનુમાન ને અનુભવની કસોટીએ ચઢાવી તત્વની યથાવત્ નિષ્પક્ષપાત પરીક્ષા કરવાને પરિપૂર્ણ સમર્થ હતા. શ્રીમદ્દના આ પરીક્ષાપ્રધાનીપણાના ઝપાટામાં આત્માને નહિં માનનાર નાસ્તિક દર્શન (ચાર્વાક) પણ આવી ગયું ને એના ઝપાટામાં એકવાર શ્રીમદ્દ પણ આવી ગયા ! પણ આ પરીક્ષાપ્રધાનીપણાના પરમ પ્રભાવે તેમાંથી અણીશુદ્ધ પાર ઉતરી જઈ શુદ્ધ આત્મવિજયી બન્યા. તે આ પ્રકારે–આત્મા જેવી કે વસ્તુ છે નહિં, આ ભવ વિના બીજે ભવ છે નહિં, પુણ્ય નથી, પાપ નથી, પરલેક જેવું કે એવું તેવું કાંઈ છે નહિં, ઈ. પ્રકારે નાસ્તિકતાથી વિચારની શ્રેણી શરૂ કરતાં, એ તકને અનુકૂળ–અનુસરતો વિચાર કરતાં–એ તર્કને અનુકૂળપણે તત્ત્વવિચાર પર ચઢતાં, ખરેખરા અંતરંગ તત્વજિજ્ઞાસુને તે તર્કનું મિથ્યાપણું સિદ્ધ થાય છે, દેહાદિથી ભિન્ન એવી કઈ વસ્તુ –“આત્મા” છે એવું ભાન થાય છે અને આત્મધર્મનું મૂળ હાથ લાગે છે. આ અંગે શ્રીમદનું પિતાનું સ્વાનુભવસિદ્ધ વચન છે કે-“આ ભવ વિણ ભવ છે નહિં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ.” તેમજ એક પત્રમાં (અં. ૮૨) શ્રીમદ્જી આ અંગે સ્પષ્ટ ઉલ્લેખે છે કે –“× ૪ મેટી કલ્પના તે આ બધું શું છે? તેની હતી. તે કલ્પનાનું એકવાર એવું ફળ દીઠું પુનર્જન્મ નથી, પાપે નથી, પુણ્ય નથી; સુખે રહેવું, અને સંસાર ભગવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહીં પડતાં ધર્મની વાસનાઓ કાઢી નાખી. કેઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહીં. થડે વખત ગયા પછી એમાંથી ઓર જ થયું. * * કઈ એર અનુભવ થયે અને જે અનુભવ પ્રાચે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તે હતે.” ઈ. આમ તત્ત્વમંથનકાળમાં એકવાર તે શ્રીમદ્દને નાસ્તિકતાને વિચાર પણ આવી ગયો, પણ “તત્વવિચાર સુધારસ ધારા” આગળ ચાલતાં અનુભવની કસોટીએ કસનારા પરીક્ષાપ્રધાન શ્રીમદને તે વિચાર મિથ્યા જણાયે અને તેમાંથી આ આત્મધર્મનું મૂળ તેમને હાથ લાગ્યું ને આત્માને અમૃતાનુભવ થ. આવા પરીક્ષાપ્રધાન પુરુષ કષછેદ-તાપ પરીક્ષાથી સુવર્ણની જેમ તત્વની અગ્નિપરીક્ષા કરે અને તે અ ગ્નપરીક્ષામાંથી શુદ્ધસુવર્ણવત્ જે સમુત્તીર્ણ થાય તેનો જ મુક્ત હૃદયે સ્વીકાર કરે એ સહજ સ્વાભાવિક છે એમાં આશ્ચર્ય શું? જેમકે—(૧) કષ પરીક્ષા–સેનાને જેમ પ્રથમ તો ઉપર ઉપરથી કસોટીપત્થર પર કસી જુએ છે, તેમ કોઈ એક ધર્મશાસ્ત્રના વિધિ–નિષેધ એક મેક્ષતત્વને ગોચર અધિકારવાળા છે કે નહિં, તેની પરીક્ષા કરવી તે કષ પરીક્ષા છે. દાખલા તરિકે –“પ્રાણવધ આદિક, x “ आग्रही बत निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशं ॥" –શ્રીહરિભદ્રસુરિક્ષત લોકતત્ત્વનિર્ણય
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy