SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ આશુપ્રજ્ઞ' શ્રીમની ત્વરિત મૃતપાસના ચક્કસ સાંભરે છે.” શ્રીમદે સ્વયં આલેખેલું આ તે વખતનું પિતાનું શબ્દચિત્ર તેમના સ્ફટિક સમા સ્વચ્છ હૃદયનું પ્રતિબિંબ પાડે છે. અત્રે પ્રશ્ન થ સહજ છે કે શ્રીમદ્દને અભ્યાસ વધારવાને બદલે આટલી નાની વયમાં દુકાને કેમ બેસવું પડ્યું? તેને ઉત્તર તે વખતની કૌટુંબિક પરિસ્થિતિમાં છે. પંચાણુભાઈએ વવાણીમાં વહાણવટું આદર્યું, ત્યારે તેમની સ્થિતિ સારી હતી, પણ આગળ જતાં વવાણી આ બંદર ભાંગી પડ્યું ને વેપારધંધે ગુટતો ચાલ્ય, એટણે પંચાણભાઈના ધંધાને પણ ધક્કો લાગ્યો અને સ્થિતિ પણ ઉત્તરોત્તર નબળી પડતી ગઈ. પછી રવજીભાઈ એ વવાણીઆમાં દુકાન પણ માંડી, ગામડા ગામના પ્રમાણમાં વ્યાપાર સાધારણ ચાલતું. તેમાં વળી તેમને (રવજીભાઈન) કુટુંબવિસ્તાર વધતો ચાલ્યું. શ્રીમદથી ત્રણ વર્ષ પૂર્વે જન્મેલા એક હેન-શિવકર બહેન તો હતા જ, શ્રીમદના જન્મ પછી બીજી બે બહેનોમીનાબહેન-ઝબકબહેનને, પછી મનસુખભાઇને અને પછી સૌથી નાના છજીન્ટેનનો એમ અનુક્રમે જન્મ થયે. આમ બે પુત્ર અને ચાર પુત્રીઓને કુટુંબ પરિવાર રવજીભાઈને હતે. ઉપરાંત વૃદ્ધ માતા-પિતા પણ હતા. એક બાજુથી આવા મોટા બહોળા કુટુંબ પરિવારનો ઉદરનિર્વાહ કરવાને મહાભાર તેમના પર આવી પડયો હતો અને બીજી બાજુથી આવકના સાધનો ઘટતા ગયા હતા. આવી વિષમ પરિસ્થિતિનો તેમને સામનો કરવો પડ્યો; કૌટુંબિક સ્થિતિ કેટલી બધી સાંકડી બની ગઈ હતી તેને ખ્યાલ એક જ પ્રસંગ પરથી આવશે. પંચાણભાઈના ૧૯૩૪માં દેહત્યાગ પછી તે વખતના પ્રચલિત રૂઢિ-રિવાજ પ્રમાણે બાપદાદાની આબરૂ ને આગલો મોભે જાળવી રાખવા તેમનું કારજ કરવાની જરૂર પડી, ત્યારે કારજ કરવા માટે મહાદેવી દેવમાએ પિતાના અલંકારાદિ ઉતારી પિતાની મહાનુભાવતા દાખવી અપૂર્વ સ્વાર્થ ત્યાગ દર્શાવ્યો હતો. આ પ્રસંગ પરથી આડકતરી રીતે કુટુંબની આર્થિક ભીડને કંઈક ભાસ થાય છે. આ વિષમ કૌટુંબિક પરિસ્થિતિને ખ્યાલ શ્રીમના બાહ્ય સ્થલ જીવનની તેમજ આંતરૂજીવનની પશ્ચાદ્ભૂમિકા ( Back-ground) વિચાર કરતાં દૃષ્ટિ સમક્ષ રાખવાની ખાસ જરૂર છે. મનુષ્ય ગમે તેટલે મહાન્ હોય તો પણ તેને અમુક પૂર્વ પ્રારબ્ધાનુસાર પ્રાપ્ત પરિસ્થિતિની મર્યાદામાં વર્તવું જ પડે છે, અને તે સંજાગોના વર્તુલમાં વર્તાને જ પોતાને આત્મવિકાસ સાધવાનું રહે છે. બાહ્ય સંજોગોની–બાહ્ય વાતાવરણની (Environment ), જીવનઘડતર પર કંઈ ને કંઈ અસર થયા વિના રહેતી નથી, એટલે કેટલીકવાર “Man is creature of circumstances'-મનુષ્ય સંજોગવશ પ્રાણી છે મનુષ્યને સગાધીન થવું પડે છે,-એ ઉક્તિ ચરિતાર્થ બને છે. એટલે શ્રીમદને પણ પ્રારબ્દાનુસાર પ્રાપ્ત સંયોગોની મર્યાદામાં વર્તવાનું હતું, પણ તે સંયોગના વર્તુળમાં વર્તાને પણ જે અપૂર્વ આત્મપરાક્રમથી તેમણે અપૂર્વ આત્મવિકાસ સાથે એ જ એમનો અપૂર્વ મહિમાતિશય છે. આવી સાંકડી કૌટુંબિક પરિ. સ્થિતિના સંદર્ભમાં શ્રીમદ્રને નાની વયમાં જ અભ્યાસ છોડી દેવાનું અને પિતાની
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy