________________
શ્રી જંબૂદ્દીપ ટ્રસ્ટ – પાલિતાણા
શ્રી જંબૂવ્હીપ ટ્રસ્ટના આદ્યસ્થાપક પ. પૂ. પં. શ્રી અભયસાગરજી મ.સા. હતા. પૂ. શ્રીએ જેનાગમગ્રંથો અને દર્શન શાસ્ત્રના ગ્રંથોનો અભ્યાસ કરીને ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેની સાથે જૈન ભૂગોળ – ક્ષેત્ર સમાસના અભ્યાસથી પૃથ્વી વિશે કેટલાક વિચારો ઉદ્ભવ્યા. તેને સાકાર કરવા માટે સંશોધનના હેતુથી ઉપરોક્ત ટ્રસ્ટનું નિર્માણ થયું છે. આ ટ્રસ્ટની કેટલીક મહત્વની પ્રવૃત્તિઓ નીચે જણાવ્યા પ્રમાણે છે. પ. પૂ. પં. શ્રી અભયસાગરજીએ તીર્થાધિરાજ પાલિતાણામાં પ્રચંડ પુરૂષાર્થ અને આગવસૂઝથી જૈન ભૂગોળ પ્રમાણે જંબૂદ્વીપની કલાત્મક રચના કરી છે. આજે આ સ્થાન યાત્રાળુઓ અને અન્ય પ્રવાસીઓને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કાર્યમાં પૂ. શ્રીએ દેશ-વિદેશના વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓ સાથે રૂબરૂ વાર્તાલાપ અને પત્ર ફોન દ્વારા સંપર્ક કરીને જૈન દર્શનની દષ્ટિએ પૃથ્વી અંગેના વિચારોનો વિનિમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org