SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ર૦ છે. દિનફીટી થાઈ વરસડાં ઘડી ટલી થઈ માસ સજન તાહરઈ વિયોગડઈ ઝરો થઈ પલાસ પા૨૨૧૬I MA મેઘ અને મોર, હરિન અને સારંગ, નો સ્નેહ છે તેમ હું તમારું પ્રતિક્ષણ સ્મરણ કરું છું. સ્વામી મિલનના પ્રસંગની કલ્પના કરતાં કવિ જણાવે છે કે તે દિન વેલા કહાં હસઈ તુમ્હો મિલ સઉ જણિવાર સુખ દુઃખ કહી નઈ મન તણઉ, કરસિઉ પ્રેમ અપાર રિ૨૨૧TI * કમલપત્રમાં બીડાયેલો ભ્રમર સૂર્ય કિરણોની રાહ જુએ છે તેમ શીલવતી સ્વામીના મિલનની રાહ જોઈ રહી છે. કવિના શબ્દો છે. કમલિ બંધાણક ભ્રમર લઉ જિમ સહિર કિરણેણ જોઈ સૂરય વાટડી, તિમહૂતુહ નયણેણ ||૨૨૨૩|| જેમ ભૂખ્યો માણસ અન્નની ઈચ્છા કરે, હાથી વિંધ્યાચલ પર્વત પર જવા ઈચ્છે, દરિદ્ર માણસ ધનની ઈચ્છા કરે, કોયલ મધુમાસની પ્રતીક્ષા કરે, ચંદ્રમા ચકોરને ઈચ્છ, હંસલો માનસરોવરને, ગાય વાછરડાંને, ઊનાળામાં તરસ્યો પથિક પાણીની ઈચ્છા કરે તેવી રીતે હું આપનું સ્મરણ કરું છું. કવિએ વિવિધ દૃષ્ટાંતોની હારમાળા આપીને શીલવતીની સ્વામી મિલન સ્મરણની ભાવનાને આકર્ષક અને રસિકવાણી વ્યક્ત કરી છે. અંતે કવિ કહે છે કે તૂ એક સમય ન વીસારી થોડાઉઘણું સજોઈ, સ્વામીના ગુણો પત્રમાં લખીને વ્યક્ત થઈ શકે તેમ નથી. એ થોડામાં ઘણું સમજી જજો. લગભગ પ્રણય ભાવનાના નિરૂપણમાં ' પ્રેમિકા આવા શબ્દોમાં પોતાની પ્રણયભાવના વ્યક્ત કરે છે. તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy