SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ નિરૂપણ વિવિધ ઉપમા - ઉત્પ્રેક્ષા જેવા અલંકારોથી વર્ણન ક૨વામાં આવ્યું છે. લેખના મહત્વના વિચારો નીચે પ્રમાણે છે. હે પ્રીતમજી, આપશ્રીને ઘણા સંદેશો મોકલ્યા તે ધ્યાનપૂર્વક સાંભળ્યા હશે. વિરહાવસ્થામાં સ્વામીનું વારંવાર સ્મરણ થાય છે. કવિ જણાવે છે કે એક ઘડી મનથી ન વિસરાઈ, જો હોઈ ઘટમેં સાનનો વાલેસર II | | ૬૪ દીવનો પ્રકાશ અને ૧૨ સૂર્ય ઝળહળત પ્રકાશ હોય તેવી શેય્યા હોવા છતાં નાથ વિના કોઈ સુખ નથી. દેવી વૈભવના સૂચન દ્વારા ગર્ભિત રીતે સ્વામી વિરહનો ઉલ્લેખ થયો છે. વિરહિણી નાયિકાનું ચિત્ત તો મન હિંડે મલવા ભણી, પ્રીયુ વસ્યું પરદેશ અહીં પરદેશ નો અર્થ સિદ્ધશિલા ઉપર બિરાજમાન વીતરાગ દેવનો છે. વિરહાવસ્થાને વર્ષાઋતુનો સંબંધ શરીર અને આત્મા સમાન અવિભાજ્ય છે. સંસ્કૃત, પ્રાકૃત અને અન્ય કાવ્યોમાં આ સંબંધનો એક યા બીજી રીતે ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આવ્યો વર્ષા ઋતુ આજે કામની કંત વિઠ્ઠણી દુઃખ સહે, સુની સેજ. ન રાજે વાલેસર. ||૨|| નાયિકાના ચિત્તની વેદનાને વાચા આપતા કવિના શબ્દો છે. મન મંથર પીડે હો પ્રીતમ, અતિ ઘણું રે, તે દુ:ખ મે ન ખમાય, વિરહાનલ વ્યાપે ઘણો રે, તે મેળવ્યો નવિ જાય, વાલેસર. મનડું મુઝે રે તુમ પાસ ભમે રે, રાત દિવસ સુવિચાર કુડ કહું તો તુમ બહુ વચ્ચે રે સાક્ષી એક કરતાર. વાલેસર.।।૪।। વિરહિણી નાયિકા સ્વામીને લેખ લખીને વિનંતી કરે છે કે આ પત્ર સાચા દિલથી વાંચજો અને કોઈ દુશ્મનના હાથમાં ન Jain Education International ૧૨૯ 113 11 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy