SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ લિંગ ત્રણ, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ અને વેશ્યા તે આ છે; એમ એકવીશ થાય છે. પથમિક ભાવના બે ભેદ - મિથ્યાત્વનો ઉપશમ (ઉપશમ , ( સમકિત) કષાયનો ઉપશમ (ઉપશમ ચારિત્ર). લયોપશમીક ભાવના અઢાર ભેદ – મતિ, શ્રુતિ, અવધિ, મનપર્યવ, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, વેદક સમીકીત, (ક્ષયોપશમ સમકિત) સરાગ ચારિત્ર, દેશવિરતિ. એ અઢારનો ક્ષય ઉપશમ થાય છે. લાયકના નવ ભેદ - લાયક સમીકીત, જ્ઞાન, ચારિત્ર, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય. પરિણામિકના ત્રણ ભેદ – જીવ પરિણામીકતા, ભવ્ય પરિણામીકતા, અભવ્ય પરિણામીકતા. વિષયો અને પરિસતો આદિથી ચલવું નહીં. તાહારા અખંડ અંગને અને ધનને કોઈ લેવા, હલાવવા, ચલાવવા સમર્થ નથી. પણ પોતે ચૂકવું નહીં. સંવેગ રાખવાથી પૂર્વ કર્મના વેગનો વહેલો અંત આવશે. ભવ વૈરાગ્ય ભવ ભ્રમણને મટાડશે; તું જે અનંત જંતુનું પર કરુણા કરીશ તે સર્વે કરુણા તાહારા ઉપર થશે. તત્ત્વ દાતારનાં વચન બહુ સન્માન અને વિનયથી ધારવાં. દ્રવ્ય ગુણ પર્યાયના વિચારથી મત ધારીનના ફંદોને તું તોડી શકીશ. તું અનંતા સંયોગમાં પોતે જ્ઞાનમય અખંડ એક શુદ્ધ છે. એમ એકતાની ટેક રાખજે. મતધારીનું દેવાદિકની ઋદ્ધિનું લબ્ધિજીની લાલચ બતાવે તે લાલચમાં આપણે પડવાની જરૂર નથી, માત્ર આત્મા પોતાનું અખંડ આનંદમય આત્મ તત્ત્વ પામે એટલું જ બસ છે. તો પણ હું માહારા તરફથી એટલું જ કહેવાનું કે બત્રીશ દોષ રહિત અને અનંત જ્ઞાને ભરેલાં પરમ દયા વરસાવતા અરિહંતનાં વચનને (૧૦૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy