SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય - ૧ મોક્ષ મૂળ જ્ઞાન અર્પગીતાના પહેલા અધ્યાયમાં મૃતદેવતાની સ્તુતિ કરવામાં આવી છે. અરિહંતના શાસનની સરસ્વતી નિર્દોષ છે અને જ્ઞાનનો પ્રકાશ કરનારી છે. અહીં તે વર્ણ માતૃકા અને પરમાતૃકા સ્વરૂપ છે. દ્રવ્યાનુયોગ, કથાનુયોગ ચરણકરણાનુયોગ અને ગણિતાનુયોગ એમ ચાર અનુયોગોવાળી હોવાથી તે ચાર ભુજાઓવાળી છે. આત્માનુશાસનને કારણે તે બ્રાહ્મી છે. તેનું સત્ત્વજ્ઞાન બ્રહ્મસ્વરૂપ છે. અને આવો આત્મા તે બ્રહ્માત્મા-પરમાત્મા છે. સરસ્વતી અને શ્રતવંદના કર્યા પછી એમ જણાવવામાં આવ્યું છે કે અહદ્ગીતા આગમના બીજ મંત્ર સમાન શાસ્ત્રોના રહસ્યસભર છે. મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને ધર્મની આરાધના કરવી એ પરમોચ્ચ કર્તવ્ય છે. આ વિચાર ગીતાનું બીજ છે. આત્મામાં વૈરાગ્યભાવનો ઉદય તે એની શક્તિ છે. સંસારી જીવો તેના ચિંતન અને મનનથી મુક્તિ પામી શકે છે. આ તેનું ફળ છે. દઢમૂલ કરનાર સિધ્ધાંત તે અહં છે. ત્યાર પછી અર્ધગીતામાં આત્મરક્ષાપક પંજર સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આ કલ્પના એમ પ્રગટ કરે છે કે ગીતાજ્ઞાન કવચરૂપ છે અને કર્મનો વિનાશ એ તેનું ફળ ગીતામાં કેવી રીતે અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને પોતાની શંકાઓનું સમાધાન પૂછે છે તેવી રીતે અર્પગીતામાં ઈન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરને સમસ્યાઓ પૂછે છે, ભગવાન તેનું સમાધાન કરે છે. પ્રથમ અધ્યાયમાં મન વશ કેવી રીતે કરવું તેનો ઉપાય પૂછવામાં આવ્યો છે. આ પ્રશ્નનો જવાબ આપતાં ભગવાન જણાવે છે કે મન વશ કરવાનું મૂળ જ્ઞાન છે. જ્ઞાનથી વૈરાગ્ય અને વૈરાગ્યથી શીવપદની પ્રાપ્તિ થાય છે. અધ્યાય - ૨ શાશ્વત આત્મજ્યોતિ શ્રી ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછયું કે અનાદિ સિદ્ધપદને ધારણ કરનાર આત્મજ્યોતિને કેવી રીતે પ્રગટ કરી શકાય ? શ્રી ભગવાને ધીરગંભીરવાણીમાં ઉત્તર આપ્યો કે આત્માનું લક્ષણ ૩૨ | ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy