SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનનો શ્લોક નીચે પ્રમાણે છે. अलंकृतावतारेण अयोध्धानंततेजसा । યેન શ્રી સુમતિયા સ્તોડનરીમરસપૂ૮૬ / ૧ / (અ. ૩૨) જેમણે પોતાના અનંત તેજથી જન્મ ધારણ કરીને અયોધ્યા નગરીને અલંકૃત કરી છે એવા શ્રી સુમતિનાથ અજરામર સંપદા એટલે કે મોક્ષ પ્રદાન કરે. કવિએ ૩૬મા અધ્યાયમાં ધર્મનું સ્વરૂપ સમજાવવા માટે છંદ શાસ્ત્રના ગણનો આધાર લઈને ધર્માચરણ વિશે માહિતી આપી છે. वृत्ते ज्ञाने दर्शने वा सर्वस्मिन्नक्षरत्रये । यस्य गौरवमेवास्ति श्रियेस मगणोर्हताम् ॥ २ ॥ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ ત્રણેના પ્રથમ અક્ષરમાં જેમનું ગુરુત્વ છે એવા અહંતોના ગૌરવ વાચક સર્વગુરુ “મગણ રૂપ આપણા કલ્યાણને માટે થાઓ. છંદની રીતે “મંગણમાં ત્રણ અક્ષરો ગુરુ હોય છે. ઉપરોક્ત ત્રણે શબ્દના પ્રથમ અક્ષર ગુરુ છે એટલે ધર્મના સ્વરૂપમાં દર્શન જ્ઞાન અને ચારિત્રનો સમાવેશ થયો છે. લઘુ અને ગુરુના સંદર્ભ દ્વારા કવિ જણાવે છે કે નીતિ (છંદ) માર્ગ પર ચાલવાવાળા તીર્થકર ભગવાન સંસારમાં નયન સમાન પથપ્રદર્શક છે. એમણે સ્વપુરૂષાર્થથી લઘુતાથી પ્રગતિ કરીને મોટાઈ પ્રાપ્ત કરી છે. એટલે કે સર્વોચ્ચ મોક્ષપદ મેળવ્યું છે. અહીં લઘુતાનો “લ” મોટાઈ એટલે ગુરુના તેનો “ગુ' એ છંદશાસ્ત્રના લઘુ-ગુરુ અક્ષરનો સંકેત દર્શાવે છે. અહંદ ગીતામાં કવિએ વિવિધ રીતે અહંનો મહિમા ગાયો છે. કવિની બહુમુખી પ્રતિભાની સાથે વૈવિધ્યપૂર્ણ જ્ઞાન દૃષ્ટિનો ખ્યાલ આવે છે. ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy