SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર નિક્ષેપે સાત ન કરી રે, માંહી ભલી સપ્તભંગી વિખ્યાત; નિજનિજ ભાષાએ સહુ સમજાત. રૂડી. // ૩ / પ્રભુજીને ધ્યાતાં રે શિવપદવી લહેરે, આતમ ઋદ્ધિનો ભોકતા થાય; જ્ઞાનમાં લોકાલોક સમાય રૂડી. / ૪ છે. પ્રભુજી સરીખા હો દેશક કોનહિરે, એમ સહુ જિન ઉત્તમ ગુણ ગાય પ્રભુપદ પદ્મને નિત્ય નિત્ય ધ્યાય રૂડી. || પ . ईशावास्यमिद सर्वं यत्किञ्च जगत्यां जगत् ।। तेन त्यत्त्वेन भुञ्जीथा मागृधःकस्यास्विध्धनम ॥ શબ્દાર્થ – આ જગતમાં હાલતું ચાલતું જે કંઈ છે તે સર્વ ઈશનો આવાસ છે - સ્થાન છે, તેના ત્યાગ વડે તું ખા-ભોજન કર પણ કોઈના ધનને ઇચ્છ નહિ. ભાવાર્થ - આ જગતુમાં જે કંઈ જંગમ ચેતન્યવાળો દેહ છેઃ સર્વ પ્રાણીઓ મનુષ્યો, સુરો, અસુરો છે તે જંગમ જગત્ છે. અને તેઓનાં જંગમ શરીરનું વૈરાષ્ટ્ર જગત્ છે તે આત્મરૂપ ઈશ્વરનો આવાસ છે, પપ્પા સો પરમપ્પા-માત્મા જ પરમાત્મા, થોડીવ સ શ. શરીર છે તે ચાલે છે માટે જગત્ છે. આત્મા વિનાનું એકલું શરીર ચાલી શકતું નથી માટે શરીરને જગત્ કહે છે, અપેક્ષાએ જીવના સમૂહને જગત્ કહે છે. શરીર તે આત્મારૂપ ઈશ્વરનો આવાસ છે. જ્યાં જ્યાં આ સર્વ જે કંઈ પ્રાણ સહિત શરીર રૂપ આવાસ દેખાય છે તે સર્વ સત્તાની અપેક્ષાએ સત્ આત્મરૂપ શ નાં રહેવાના મંદિરો છે. સર્વ જીવો-સત્તાએ ઈશ્વરો છે અને તેમનાં રહેવાનાં શરીરો તે હાલતું ચાલતું જગત્ છે. તેઓના શરીરો, તેઓની વસ્તુઓને તું તેઓની માલીકી જાણીને ન વાપર ! ન ખા ! ન ભોગવ ! પણ તેઓ જ્યારે તે ત્યાગ કરે, તે આપે તે ખા ! તે દાન કરે તે ગ્રહણ કર ! તેઓની આપ્યા વિનાની કોઈ વસ્તુ તે અગ્રાહ્ય છે એમ જાણીને તેની ઇચ્છા, આસક્તિ, લોભ, મોહ ન કર ! આ શરીરરૂપ જગતુમાં રહેલા આત્મા ઈશ્વરનું જે કંઈ છે તેનાથી ત્યાગ કરાયેલ દાન કરાયેલ ભોગવ. બાકી બીજા કોઈના પ્રાણધનની આસક્તિ ન રાખ. પ્રથમ જ વેદાંત જ્ઞાનના ખરા અધિકારી થવાને આમાં આ કંડિકામાં ઈશ્વરનો બોધ આપવામાં આવ્યો છે. અન્યનું ધન ગ્રહણ કરવું નહીં એટલું તો નહિ પરંતુ અન્યોના શરીર, પ્રાણ, ધનની ગ્રહણ કરવાની ઈચ્છા પણ કરવી નહિ. શરીરમાં રહેલ આત્મા તેજ ઈશ્વર છે, માટે કોઈના પણ આત્માનું શરીર પ્રાણરૂપ વા લક્ષ્મીરૂપ ધન ગ્રહણ કરવું નહિ. આવી જેનામાં યોગ્યતા આવે છે તે બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. આ કંડિકાનો ભાવાર્થ, અસ્તેય, દયા અને સત્ય ગ્રહણ કરવા અને જડવાદરૂપ નાસ્તિક વાદને દૂર હઠાવવા તરફ પ્રેરણા કરે ૨૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy