SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. ઈશાવાસ્યોપનિષદ્ ભાવાર્થ શ્રુત જ્ઞાનરૂપી ગંગામાં આત્માને શુચિ સ્નાન કરાવનાર અર્વાચીન કાળના મહાન આચાર્ય ભગવંત પૂ. બુદ્ધિસાગરસૂરિની જ્ઞાનયાત્રાની વિશદતા અને ગહન વિચારોનો પરિચય કરાવતી સમન્વયવાદી, સ્યાદ્વાદની દૃષ્ટિએ અર્થઘટન કરતી ઈશાવાસ્યોપનિષદ્ની રચના હિંદુધર્મના ગ્રંથ તરીકે નહિ પણ જિનેશ્વર ભગવંતની વાણી નયવાદની અપેક્ષાએ સર્વદર્શનોનું તત્ત્વજ્ઞાન વિચારતાં એમ લાગે છે કે ‘ષગ્દર્શન જિન અંગ ભણી જે' એવો વિચાર અધ્યાત્મ યોગી આનંદઘનજીએ નેમિનાથના સ્તવનમાં દર્શાવ્યો છે તે અપેક્ષાએ ઈશાવાસ્યોપનિષદનું અર્થઘટન કરીને તેના વિચારોમાં જૈન દર્શનના વિચારો સાથે તુલનાત્મક અર્થઘટન કર્યું છે. આ પ્રમાણે અર્થઘટન કરવાની એમની શાસ્ત્રજ્ઞાનની સૂક્ષ્મતા તેજસ્વીતા અને સર્વધર્મ સમભાવની વિચારધારાનો પરિચય થાય છે. એક વખત પૂ. શ્રીને વિચાર સ્ફુર્યો કે ચાર વેદ, શ્રુતિઓ અને દશ ઉપનિષદ્ બ્રહ્મસૂત્ર અને ભગવદ્ગીતા ઉપર સર્વજ્ઞ મહાવીર દેવના સિદ્ધાંતાનુસાર સ્વાાદ ટીકાઓ રચવી, પણ શારીરિક અશક્તિને કારણે પ્રયત્ન થઈ શકયો નહી તેમ છતાં ઈશાવાસ્યોપનિષદ્ ભાવાર્થ રચનારૂપ યત્કિંચિત્ આત્મપ્રયાસ કર્યો છે. આ પ્રકારનાં એક અથવા અનેક પુસ્તકોનું સર્જન થાય તો પણ સર્વનો સાર એ છે કે આત્માને જાણવો અને આત્માની પૂર્ણ શુદ્ધિ કરી પરમાત્મા પદ પ્રાપ્ત કરવું. આત્મ જાણ્યો એટલે સર્વ જાણ્યું. આત્માને જાણવા માટે સર્વ શાસ્ત્રો છે. જૈન દર્શનના વિચારોનું વાંચન શ્રવણ મનન, નિધ્ધિાસનથી આત્માનું સમ્યક્ સ્વરૂપ સમજાયું અને તેથી વેદો ઉપનિષદાદિ અન્ય શાસ્ત્રોમાંથી સ્યાદ્વાદ દૃષ્ટિએ સાપેક્ષ સત્ય બ્રહ્મના વિચારો ગ્રહણ કરીને શબ્દ શાસ્ત્રોની મદદથી આત્માને આત્મ સ્વરૂપે અનુભવ્યો. પ્રભુ મહાવીરનાં વચનામૃતનું પાન કરતાં દેહાધ્યાસ ને મોહભાવ દૂર થતાં આત્મદશામાં જીવવાનો પુરૂષાર્થ કર્યો છે. જૈન શાસ્ત્રોના અધ્યયનથી મૂળ રહસ્ય સમજાયું તેથી અન્ય દર્શનોમાંથી પણ સમ્યક્ દૃષ્ટિ વડે સત્ય અવલોકન કરવાની શક્તિ પ્રાપ્ત થઈ છે. પરિણામે ધર્મ-મત-પંથ-કદાગ્રહથી મુક્ત થઈને આત્મસ્વરૂપ સમજાયું. અને ધ્યાન સમાધિ શુદ્ધોપયોગ બળે આત્મસ્વરૂપે આત્માનુભૂતિ થઈ છે. આવા અપૂર્વ જ્ઞાનાનંદ રસાસ્વાદથી સર્વધર્મ પ્રત્યે સમભાવ પ્રગટ થયો છે. શ્રદ્ધા અને પ્રેમથી આત્માભિમુખ થવાથી આત્મા પોતે આત્માનાં દર્શન કરે છે. આત્મા તેજ ત્રિગુણાતીત આત્મા સિદ્ધ પરમાત્મા છે એમ હિંદુશાસ્ત્રો માને છે. કર્મવાદ, આત્માની શુદ્ધિ માટે યોગનાં આઠ અંગ, જગત અનાદિ અનંત, આત્મા ૨૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy