________________
હિંસાદિ દોષથી રહિત અનુષ્ઠાનોને સાંખ્યાચાર્યો પણ ચિત્તની વિશુદ્ધિ કરનારા માને છે માટે અહીં ઉપરની વાતોનો વિસ્તાર રહેવા દેવો. નિરવદ્ય અનુષ્ઠાન ચિત્ત શોધક છે.)
अबध्धं परमार्थेन बध्धं च व्यवहारतः ।
ब्रुवाणो ब्रह्मवेदान्ती नानेकान्तं प्रतिक्षिपेत् ॥ ४० ॥ (पा. १०६) બ્રહ્મતત્ત્વ ૫૨માર્થથી બંધન રહિત છે અને વ્યવહારથી બંધાયેલું છે આ પ્રમાણે બોલનાર વેદાંતી અનેકાન્તવાદનો અનાદર કરી ન શકે. महावाक्यार्थजं यत्तु सूक्ष्मयुक्तिशतान्वितम् ।
तद्वितीयं जले तैल बिन्दुरात्या प्रसृत्वरम् ॥ ६६ ॥ (पा. १२९) જે જ્ઞાન મહાવાકયાર્થથી ઉત્પન્ન થયેલું હોય તથા સેંકડો સૂક્ષ્મ યુક્તિઓથી ગર્ભિત હોય તેમજ પાણીમાં તેલનું બિન્દુ પ્રસરી જાય તે ચારેબાજુ વ્યાપ્ત હોય તે બીજું ચિંતાજ્ઞાન જાણવું.
त्रिविधं ज्ञान मारव्यातं श्रुतं चिन्ता च भावना ।
आद्यंकोष्ठगबीजामं वाक्यार्थ विषयं मतम् ॥ ६५ ॥ (पा. १२७)
જ્ઞાન ત્રણ પ્રકારનું જણાવે છે. શ્રુત, ચિન્તા અને ભાવના. પ્રથમ શ્રુતજ્ઞાન કોઠીમાં રહેલ બીજ સમાન છે તથા તે વાક્યાર્થ માત્ર વિષયક છે, તેવું મનાયેલ છે. ऐदम्पर्यगतंयश्च विध्यादौ यत्नवच्य यत् ।
तृतीयं तद शुध्धोश्च जात्यरत्न विभानिमम् ॥ ६७ ॥ (पा. १३०)
જે જ્ઞાન એદંપર્ય વિષયક હોય તથા વિધિ વગેરેમાં જે જ્ઞાન પરમઆદર વાળું હોય તે ભાવનાજ્ઞાન અશુદ્ધ હોવા છતાં પણ ઉંચા પ્રકારના શ્રેષ્ઠ રત્નની કાન્તિ સમાન છે.
(એદંપર્ય - સર્વ જ્ઞેય વિષયને સ્વીકારવામાં સર્વજ્ઞની આજ્ઞાએ જે પ્રધાન કારણ છે આ પ્રમાણે જે તાત્પર્ય તેને એદંપર્ય કહેવાય છે)
माध्यस्थ्यमेव शास्त्रार्थो येन तच्चारु सिध्यति ।
स एव धर्मवादः स्यादन्यद् बालिशवल्गनम् ॥ ७१ ॥ (पा. १४४) માધ્યસ્થ એજ શાસ્ત્રાર્થ છે. સુંદર એવું માધ્યસ્થ જેનાથી સિધ્ધ થાય તે જ ધર્મવાદ છે. તે સિવાયનો વાદ તો મૂર્ખના બકવાસ જેવું છે.
पुत्र दारादि संसारो धनिनां मूढ चेतसाम् ।
पण्डितानां तु संसार: शास्त्र मध्यात्म वर्जितम् ॥ ७२ ॥ (पा. १४५)
Jain Education International
For Private & Personal Use Only
૨૦૩
www.jainelibrary.org