SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષદ્ યશોવિજયજી ઉપાધ્યાયની અધ્યાત્મ ઉપનિષદ્ની કોઈ ટીકા ઉપલબ્ધ નથી. ગુજરાતી અનુવાદ મળે છે, પણ વિસ્તૃત વિવેચન જોવા મળતું નથી. અધ્યાત્મ ઉપનિષદ્નાં શ્લોકોનું ભાષાંતરની સાથે તેમાં રહેલા વિચારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ વિવેચન માત્ર જૈન ધર્મના સિદ્ધાંતોને સ્પર્શતું નથી પણ અન્ય દર્શનોના સંદર્ભમાં સ્યાદ્વાદ દૃષ્ટિએ અધ્યાત્મ વિષયક માહિતી સભર છે. આ વિવેચનમાં સાત નય, ચાર નિક્ષેપ અને ચાર અનુયોગનો આશ્રય લેવામાં આવ્યો છે. કેટલાક વિચારોનો વિરોધ છે. તેનો પણ શાસ્ત્રીય રીતે પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે. વળી તેમાં શ્રી યશોવિજયજી મ. સાહેબે દીક્ષા જીવનના ૧૫ વર્ષમાં આવૃત્તિ પ્રકટ કરી છે, તેમાં પૂ. શ્રીના જ્ઞાનાવરણનો ક્ષયોપશમ, કુશાગ્રબુદ્ધિ, વિશાળ વાંચન અને ઊંડો શાસ્ત્ર અભ્યાસ જેવા ગુણોને કારણે ગ્રંથ વિવેચન થઈ શકયું છે. તદુપરાંત આ બધામાં મહત્વની એવી ગુરુકૃપા તો વિશેષ નોંધપાત્ર છે. આત્માને ઉદ્દેશીને, આત્માના પરિપૂર્ણ પાવન સ્વરૂપને ઉદ્દેશીને કે સ્વગત પરમાત્વ ભાવના પ્રાપ્તિને ઉદ્દેશીને જે નિર્મળ વિચાર, નિર્દોષ વાણી કે નિર્દભ વર્તન કરવામાં આવે છે તે બધું ય અધ્યાત્મ છે. આવા અધ્યાત્મની સાનુબંધ પ્રાપ્તિ સ્થિરતા અને ઉત્તરોત્તર વૃદ્ધિ માટે સૂક્ષ્મ બુદ્ધિ અને શુદ્ધ બુદ્ધિ આવશ્યક છે. સ્યાદ્વાદની વિચારધારાને આત્મસાત્ કર્યા વગર અધ્યાત્મની સ્થિરતા શકય નથી. આ ગ્રંથમાં કોઈ ન્યાયશાસ્ત્રના સિદ્ધાંત કે તર્કાપત્તિથી વિચારોનું ખંડન મંડન કરવામાં આવ્યું નથી પણ અધ્યાત્મ સંબંધી ચરમ રહસ્ય ઉપર વિશદ પ્રકાશ પાડવામાં આવ્યો છે. સ્યાદ્વાદનું અસલ સ્વરૂપ એટલે કદાગ્રહ કે હઠાગ્રહનો ત્યાગ અને ગુણગ્રાહી દૃષ્ટિનો સ્વીકાર. ધૂળમાં ઢંકાયેલું સુવર્ણ એ સુવર્ણ છે, અને અતિ ચળકાટવાળું પિત્તળ એ પિત્તળ છે. એમ કહેવામાં કોઈ રાગ દ્વેષ નથી પણ સત્યનું નિરૂપણ છે. સ્યાદ્વાદની સાચી સમજ કેળવવા માટે આ ઉપનિષદ્ માર્ગદર્શક બને તેવી અભૂતપર્વ ક્ષમતા ધરાવે છે. આ ટીકામાં અન્ય દર્શનોના સંદર્ભો આપવામાં આવ્યા છે. તેના સમર્થનમાં પૂ. શ્રીએ સ્યાદ્વાદનો આધાર લીધો છે. ષોડશક ઉપદેશ ગ્રંથમાં આ. હિરભદ્ર સૂરિશ્વરજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે પરદર્શનોનું વચન જો સાચું ને સારું હોય તો તે જિન વચનથી ભિન્ન નથી. માટે તેના ઉપર ભૂલેચૂકે પણ દ્વેષ ન કરવો પારમાર્થિક મોક્ષમાર્ગને અનુરૂપ એવા પરદર્શન ગ્રંથોનાં વચનો પ્રત્યે દ્વેષ ક૨વામાં દ્વાદશાંગીની આશાતના થઈ જાય છે. ૧૯૬| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy