SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. અધ્યાત્મોપનિષ જૈન ધર્મમાં ઉપનિષદ્ નામથી કેટલીક કૃતિઓ પ્રાપ્ત થાય છે તે દૃષ્ટિએ ઉપનિષદ્રી વ્યાખ્યા અને શબ્દાર્થ વિશે જૈન અને હિંદુ દર્શન શાસ્ત્રના વિચારો અત્રે નોંધવામાં આવ્યા છે. (જૈન પરંપરાનો ઈતિહાસ) નિગમ ગચ્છવાળાનો અધ્યાત્મ શબ્દ ગૂઢાર્થયુક્ત છે. અધ્યાત્મોપનિષદ્ધાં યશોવિજયજી ઉપા.એ નય અને નિક્ષેપથી વિસ્તારપૂર્વક અર્થ કર્યો છે. તે પણ જિજ્ઞાસુ માનવોને માટે વધુ ઉપકારક નીવડે તેમ છે. અહીં તેની પ્રાથમિક નોંધ આપી છે. ઉપનિષદ્ શબ્દાર્થ ઉપનિષદ્ વિશેના હિંદુધર્મના વિચારો નીચે પ્રમાણે છે. • ઉપનિષએટલે ગુરુ શિષ્યની મંડળી એકાંતમાં મનન કરવા મળેલી બ્રહ્મ નિષ્ઠાની સભા. • ગુરુની પાસે નીચે બેસીને શીખી શકાય એવું ઊંચું અને ઊંડું તત્ત્વજ્ઞાન. શોક-મોહ દૂર કરનારી બ્રહ્મવિદ્યા. • પરમાત્મા સંબંધી જ્ઞાન આપી અજ્ઞાન ટાળી સંસાર બંધનથી છોડાવનાર વિદ્યા. યજ્ઞ સભા અથવા પરિષદમાં ચર્ચી ન શકાય એવા બ્રહ્મજ્ઞાનની શાંત અને એકચિત્તવાળા દીકરા અથવા શિષ્યોને જંગલમાં એકાંતમાં ગુરુ શીખવાડે. (ભગવદ્ ગો મંડળ-ભા. ૨ પા. ૧૫૧૨). ઉપનિષદ્ એટલે બ્રહ્મવિદ્યા. બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરનાર. • વેદના શિરોમણિ ભાગરૂપ વેદનું અંતિમ ધ્યેય રહસ્ય - (શબ્દ રત્ન મહોદધિ ભા. ૧ પા. ૩૫૭) • વેદવિદ્યાની ચરમ સીમા મળે છે તે વેદના અંતિમ ભાગમાં નિરૂપિત જ્ઞાન. • વેદના પ્રથમ ચરણમાં એટલે કે સંહિતામાં પ્રાર્થના મંત્ર-ઉપાસના છે. • જ્ઞાન કે મોક્ષની વિચારણાવાળો ગ્રંથ. • અધ્યાત્મની વિવિધ ઉપાસના પદ્ધતિની વિચારણા એ ઉપનિષદ્ છે. • ઉપનિષદ્ એ અધ્યાત્મ વિદ્યાનું આલંબન છે. • શ્રદ્ધા અને ભક્તિપૂર્વક લઈ જાય તેવી બ્રહ્મ વિદ્યા. (વિશ્વકોશ - ભાગ ૩ ગુજરાતી) ૧૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy