SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ હિન્દુ ધર્મનાં ઉપનિષદો ગદ્ય અને પદ્યમાં છે તેમ છતાં તેની શૈલીમાં કાવ્યત્વ રહેલું છે. પદર્શન અને વેદાંત તત્ત્વજ્ઞાનનું મૂળ ઉપનિષ છે. ઉપનિષદ્વી સંખ્યા ૧૦છે. ઇશ, કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, નૈત્તિરીય, ઐતરીય, છાંદોગ્ય, બૃહદારણ્યક. ઉપનિષદ્રના વિવિધ અર્થો ઉપરથી એટલું ફલિત થાય છે કે તેમાં અધ્યાત્મ અને મોક્ષ, સંસારમાંથી મુક્તિ મેળવવા વિશેના વિચારોનો સંબંધ છે. ગુરુ ધર્મોપદેશક હોવાની સાથે મોક્ષમાર્ગમાં જવા માટે પથદર્શક છે. ગુરુકૃપા એ શિષ્યને માટે મોક્ષ પ્રાપ્તિના માર્ગમાં એક આવશ્યક પરિબળ છે એટલે ગુરુ શિષ્યના સંબંધથી અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મુક્તિ માર્ગમાં પહોંચવાની મૂળભૂત વિચારધારાને ઉપનિષદ્ સાથે સંબંધ છે. જૈન ધર્મના ઉપનિષદોમાં પણ અધ્યાત્મ માર્ગ કેન્દ્ર સ્થાને છે. ગુરુ શિષ્યના સંબંધોને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ઉપનિષદ્ જૈન દૃષ્ટિએ ઉપનિષદ્ શબ્દની વ્યુત્પત્તિ “માનિ અધ્યાત્મમ્' આમ સાતમી વિભક્તિના અર્થમાં અવ્યયીભાવ સમાસ થયેલો છે. ઉપનિષદ્ શબ્દનો યોગાર્થ આ મુજબ છે. - ઉપ = વિશુધ્ધ બ્રહ્મ તત્ત્વની પાસે, જેના દ્વારા શ્રોતા બેસે = પહોંચે તે ઉપનિષદ્ અર્થાત્ પરમ બ્રહ્મની પાસે પહોંચવાનું સાધન તે ઉપનિષદ્ એટલે કે પરબ્રહ્મ તુલ્ય બનાવે તે ઉપનિષદ. (પ્રસ્તામાં અધ્યાત્મનું ઉપનિષદ્ અભિપ્રેત હોવાથી આવું અર્થઘટન અહીં કરેલું છે.) અથવા ઉપ = ગુરુની પાસે બેસીને જ જે યથાર્થ રીતે જાણી શકાય તે ઉપનિષદ ઉપનિષદ્ ઉપનિષદ્ શબ્દનો રૂઢ અર્થ આ મુજબ છે. - ગૂઢ અને અંતિમ રહસ્ય સ્વરૂપ એવું શાસ્ત્રનવનીત = શાસ્ત્રોનો અર્થ = સાર. કાઠોપનિષત્ના ભાષ્યમાં શંકરાચાર્ય એમ જણાવે છે કે – “ઘ' અને “નિ' ઉપસર્ગ યુક્ત “સ ધાતુને ક્વિપ, પ્રત્યય લાગવાથી “ઉપનિષદ્ શબ્દ બનેલ છે. “સદ્ ધાતુનો અર્થ વિનાશ, ગતિ અને અવસાદન થાય છે. જે ગ્રન્થની વ્યાખ્યા કરવાનું અભિમત હોય તે ગ્રન્થથી પ્રતિપાદ્ય એવી વેદ્ય વસ્તુ સંબંધી વિદ્યા એ “ઉપનિષત્' શબ્દનો અર્થ છે. કયા અર્થના યોગથી ઉપનિષત્ શબ્દનો અર્થ તથાવિધ વિદ્યા થાય છે? આ પ્રશ્નનો જવાબ એ છે કે આ લોક અને પરલોકની તૃષ્ણાથી રહિત બનેલા જે મુમુક્ષુઓ ઉપનિષદ શબ્દથી પ્રતિપાદ્ય વિદ્યાને પામીને તેમાં સ્થિર થઈને નિશ્ચયથી તેનું શીલનપરિશીલન કરે છે તેઓનું અવિદ્યાસ્વરૂપ સંસારબીજ નાશ પામે છે. આમ “ઉપનિષ શબ્દમાં “ઉપ” અને “નિ' ઉપસર્ગયુક્ત સ ધાતુનો યોગાર્થ તથાવિધ વિદ્યામાં રહેલા હોવાથી તે વિધા એ ઉપનિષદ્ શબ્દ દ્વારા પ્રતિપાદ્ય છે. આ લોક અને પરલોકની ૧૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy