SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વધર્મ અંતર્નાદ થકી જાણે, માનવી જે સ્વધર્મને; તેવો સ્વધર્મ બીજાં કો, સાધનોથી જણાય ના. હર્ષ-શોક તરંગો-શા, ઊઠીને શમતા બધા; રહે છે શેષ આનંદ, ત્યાં સ્વધર્મ ગણો સદા. આપ મૂઆ વિના સ્વર્ગ, કો'થી જવાય ના કદી; તેમ સ્વધર્મ પોતાથી, પળાય ન કદી અન્યથી. ખાંડાની ધાર સ્વધર્મે, સહેલું છે જાવું એકલું; કિંતુ સમાજ સાથે લૈ; દોહ્યલું તોય તે ભલું. પ્રતિષ્ઠા પ્રાણ ને બીજાં, સાધનો સર્વ ત્યાગવાં; સદા તૈયાર જે તેઓ, નક્કી સ્વધર્મ સાધતાં. સમાજધર્મ પરિગ્રહ જ રહે માત્ર, મહાજન સુપાત્રોમાં; એ માર્ગે ચાલે સૌ તો, પડે સમાજ ખાડમાં. સમાજધર્મ રક્ષો તો, થશે રક્ષા તમામની; વ્યક્તિ, કુટુંબ, રાજ્યાદિ, શોભતાં સર્વ સમાજથી. સમાજે સ્થાપવા ધર્મ, સંતો કદી કરે ક્ષતિ; પ્રાયશ્ચિત્ત લઈ પાછું, સાધશે શીધ્ર ઉન્નતિ. રાજાશાહી પ્રજાને પૂજ્ય માની જે, ચલવે રાજ્ય રાજવી; રાજાશાહી થશે ખાખ, તો પ્રજાયજ્ઞમાં જલી. સત્તા ને સંપદા પામી, નમ્ર નિર્લેપ જે રહે; સર્વ દેશે તથા કાળે, રાજવી તે જીતી જશે. તજીને મદ પોતાનો, પરનો મદ તોડવો; સમ્રાટપદ તે સાચું, સાધે તે રાજવી ખરો. રાજા ન થાય સત્તાથી, કે બાહ્ય વિજયો થકી; ૧૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy