SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશમાં પ્રકરણમાં “નરક'ના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હિંસા, અસત્ય, બહારવટીયા, માયાવી, અધર્મનું ખાનાર, સ્ત્રીઓમાં આસક્ત, ઈદ્રિય લોલુપતા, મહાઆરંભ-સમારંભ, મહાપરિગ્રહ, માંસભક્ષણ, પરપીડનવૃત્તિ, પાપી પશુભક્ષક વગેરે પ્રકૃતિવાળો જીવ નરક ગતિમાં જાય છે. દેવલોક ઊર્ધ્વ લોકમાં છે તેમ નરકનું સ્થાન અપોલોકમાં ક્યાં છે. નારકીનાં નામ, તેનું પ્રમાણ પ્રસ્તરા, આંતરા અને આવાસ વિશેની માહિતી આપી છે. નારકીના જીવોની અપરંપાર વેદના છેદન, ભેદન, બાળવું જેવી પીડા આપે. પરમાધામી દેવો આપે છે. એમનાં વચનો સાંભળીને મહાભય પામે છે. આ સમયે જીવાત્મા ક્યાંય જઈ શકતો નથી. પારાવાર વેદના ભોગવવી પડે છે. કવિએ મૃગાપુત્રની અનુભવ વાણી દ્વારા નરકના દુઃખોનો પરિચય કરાવ્યો છે. જૈન દર્શનની કર્મવાદ માન્યતા પ્રમાણે પુણ્યથી દેવલોક અને અધમ પાપાચરણથી નરકમાં કર્મો ભોગવવા જીવો આયુષ્ય બંધ કરે છે. નવતત્ત્વના પૂણ્ય-પાપ-બંધ, આશ્રવ - સંવરની સાથે આ નરકની માહિતી સંદર્ભથી વિચારવી જોઈએ તો આત્માની સ્થિતિનો ખ્યાલ આવે ને મુક્તિ માર્ગમાં પુરુષાર્થ થાય. બાવીશમા પ્રકરણમાં કષાયના સ્વરૂપનો પરિચય કરાવ્યો છે. ક્રોધ અને માનને વશ નહિ કરવાથી, માયા અને લોભને વધારવાથી જીવાત્મા પુનર્જન્મરૂપ વૃક્ષનું સિંચન કરે છે. ક્રોધ પ્રેમનો, માન-વિનયનો, માયા-મિત્રતાનો અને લોભ સર્વગુણોનો નાશ કરે છે. કષાય સંસાર વૃધ્ધિના પરિણામવાળો હોવાથી તપ, ત્યાગ જ્ઞાન અને ધ્યાન દ્વારા સમતા ગુણ કેળવવો જોઈએ. ઉપશમભાવની વૃદ્ધિથી જ આત્મિક શાંતિ ને સુખનો માર્ગ નિશ્ચિત થાય છે. તેવીશમા પ્રકરણમાં કવિએ નાસ્તિકતા એટલે કે મિથ્યાત્વની માહિતી આપી છે. કવિએ નાસ્તિકતા શબ્દ પ્રયોગ કરીને મિથ્યાત્વમાં માનનાર વ્યક્તિ સંસારના પૌદ્ગલિક સુખની આસક્તિમાં જીવે છે. વીતરાગના ધર્મમાં શ્રદ્ધા નથી એમ જણાવ્યું છે. આ જગત અનાદિ છે. એમ નાસ્તિક મતવાળા માનતા નથી પણ ઈશ્વર કતૃત્વ માને છે. જૈન દર્શનમાં આ વાત માન્ય નથી. - મિથ્યાત્વનો ત્યાગ કર્યા વગર ભવભ્રમણના ફેરા ટળે તેમ નથી એવું જાણીને વીતરાગના દેવ-ગુરૂ અને ધર્મમાં શ્રદ્ધા રાખીને આચરણ કરવું જોઈએ તો સમકિત પામીને જીવ આરાધનાથી કર્મ ખપાવી મુક્તિમાં જાય છે. ચોવીશમાં પ્રકરણમાં શ્રાવક ધર્મનો ઉલ્લેખ કર્યો છે. સર્વવિરતિ એટલે સાધુજીવન-ધર્મ અને દેશવિરતિ એટલે શ્રાવક ધર્મ. કવિએ શાસ્ત્રીય સંદર્ભો દ્વારા ૧૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy