SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્રપાલ મુનિ દયાના પાલક, કષાય કરતાં સહનશીલતા, બ્રહ્મચર્યનું પાલન, મન, વચન અને કાયાના શુભયોગોમાં લીન રહેવું, સમાધિમય ભિક્ષુક જીવન જીવવું વગેરે ગુણોથી બ્રાહ્મણ ગુણનું પાલન કરતા હતા. અઢારમા પ્રકરણનો વિષય ભાષા છે. ભાષા જીવને હોય છે, અજીવને નહિ. અજીવની ભાષા સંભળાય તો તે જીવની જ છે એમ જાણવું. ભાષાની ઉત્પત્તિ દારિક, વૈક્રિય અને આહારક શરીરથી થાય છે. ભાષાના પુદ્ગલો વજસસ્થાનવાળા હોવાથી ખૂબ વિચારપૂર્વક બોલવા જોઈએ. નહિતર તે પ્રાણઘાતક નીવડે છે. ટૂંકમાં ભાષા એટલે ભાષા સમિતિનું પાલન. હિત મિત અને પથ્ય વચન. અસત્ય અને મિશ્ર ભાષાના પ્રયોગથી વસુરાજા નરકે ગયો એ કથામાં “અજ' શબ્દના બે અર્થમાંથી સાચો અર્થ નક્કી કરવાને બદલે બન્ને અર્થ સાચા છે એવો રાજાનો ન્યાય રાજાને નરકે લઈ ગયો. “અજ' એટલે બકરો અને “અજ' ફરીથી ન ઊગે તેવી ડાંગર.. ધર્મોપદેશ આપનાર વ્યક્તિએ જિનોક્ત શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્ર પાઠ અને અર્થ સંભળાવવા જોઈએ. સિધ્ધાંત અનુસાર તપ, જપ, જ્ઞાન, ધ્યાન વગેરે પ્રાપ્ત કરવું. ધર્મને જેવો અને જેટલો જાણે તેવો અને તેટલો રજુ કરી સર્વગ્રાહી વચનો ઉચ્ચારવા જોઈએ. સૂત્ર જાણકાર હોય તો જ સાચો સર્વગ્રાહી ઉપદેશ આપી શકે છે. - ઓગણીસમા પ્રકરણમાં કર્મવાદના વિચારો વ્યક્ત થયા છે. કર્મના આઠ પ્રકાર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, અંતરાય, નામ, ગોત્ર અને આયુષ્ય. કર્મ બંધન અને ફળ વિશેષ વિસ્તારથી સદષ્ટાંત માહિતી આપી છે. કર્મબંધનમાં આસક્તિ રસલોલુપતા મોટો ભાગ ભજવે છે. એટલે તેનાથી દૂર રહેવું. મન, વચન અને કાયાથી કર્મબંધ થાય છે માટે આ ત્રણ યોગોને શુભ પ્રવૃત્તિમાં જોડવા જોઈએ જેથી કર્મબંધ અટકે. સાચો માર્ગ સંયમનો રત્નત્રયી દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાનો છે કે જે મુક્તિ અપાવે છે. તેમાંજ પુરૂષાર્થ કરવો ઈષ્ટ છે. વીશમા પ્રકરણમાં દેવનું સ્વરૂપ સમજાવ્યું છે. વૈમાનિક, ભવનપતિ, જયોતિષિ અને વ્યંતર એમ ચાર પ્રકારના દેવો છે. દેવો દીર્ઘ આયુષ્ય ઋદ્ધિવાળા, ઇચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારા દેદીપ્યમાન અને સૂર્યસમાન કાંતિવાળા હોય છે. ભવિષ્યમાં મરીને દેવ થનાર ભવ્ય દ્રવ્યદેવ, મનુષ્યમાં દેવની સમાન પૂજ્ય તે નરદેવ, શ્રુતાદિ ધર્મવડે પૂજય તે ધર્મદેવ, કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરનાર બીજા દેવોથી અધિક હોવાથી દેવાધિદેવ કહેવાય છે. દેવલોકમાં દેવોનું ઓછામાં ઓછું આયુષ્ય દશ હજાર વર્ષ અને વધારેમાં વધારે તેત્રીસ સાગરોપમનું હોય છે. કવિએ અહીં ચાર પ્રકારના દેવોના વિવિધ પ્રકારો વ્યવહાર અને સમૃદ્ધિની વિગતો આપી છે. ૧૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy