SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજાની મૃગયા ક્રીડાનું દૃષ્ટાંત મહત્વનું છે. ગર્દભાલી મુનિના વચનોથી રાજા સંયમ સ્વીકારે છે તે પ્રસંગ બહુ પ્રભાવશાળી છે. સંસારના પૌદ્ગલિક સુખ, કામભોગો વગેરે અનિત્ય એમ જણાવીને આત્માના શુધ્ધ સ્વરૂપને પામવા માટે ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ શ્રેયસ્કર છે. ચૌદમા પ્રકરણમાં આત્માના સ્વરૂપનો પરિચય કરાવવામાં આવ્યો છે. કવિએ આત્માના આઠ ભેદ જણાવ્યા છે. દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા, અને વીર્યાત્મા. બહિરાત્માનું આ સ્વરૂપ જાણીને મને અને ઈદ્રિયોનું દમન કરવું જોઈએ. અનાથી મુનિનું દૃષ્ટાંત આપીને નાથ થવાનો ઉપદેશ પ્રગટ કર્યો છે. ઉપરાંત કેશી મુનિનું દૃષ્ટાંત આપીને દુષ્ટ મનને વશ કરવા, જીતવા જણાવ્યું છે. નમિરાજર્ષિના દૃષ્ટાંત દ્વારા બહારના યુદ્ધ કરતાં આત્માને લાગેલાં કર્મો સામે યુધ્ધ ખેલીને વિજય પ્રાપ્ત કરવાનો છે. એમ જણાવ્યું છે. આ પ્રકરણમાં વિવિધ દૃષ્ટાંતો હોવાથી આત્મા વિશેની અવનવી માહિતી પ્રાપ્ત થાય છે અને તેનો સંસ્પર્શ થયા વગર રહેતો નથી. પંદરમાં પ્રકરણમાં બ્રહ્મચર્યનો મહિમા ગાવામાં આવ્યો છે. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ પ્રકારના કામભોગનો ત્યાગ કરવો જોઈએ. આસક્તિ એજ દુઃખ છે. બ્રહ્મચર્ય વ્રત શિરોમણિ છે. બ્રહ્મચર્યથી અપૂર્વ શક્તિ મળે, દેવો અને દાનવોથી પૂજાય છે. નેમનાથ ભગવાનના લગ્નનો પ્રસંગ દર્શાવીને બ્રહ્મચર્યનો મહિમા પ્રગટ કર્યો છે. સોળમા પ્રકરણમાં બ્રાહ્મણનો વિશિષ્ટ અર્થ સમજાવ્યો છે. જે દેવતા મનુષ્ય કે તિર્યંચ સંબંધી મન, વચન અને કાયાએ કરી મૈથુન સેવતો નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. કામભોગથી અલિપ્ત અને રસ લોલુપતા રહિત હોય તે બ્રાહ્મણ છે. ક્રોધ, માન, મોહ, હિંસા, અસત્ય, અદત્ત અને પરિગ્રહ વગેરે દોષો જેનામાં છે તેવા બ્રાહ્મણો જાતિ અને વિદ્યા બન્નેથી રહિત છે. સમતાથી બને સાધુ, બ્રાહ્મણ બ્રહ્મચર્યથી તપથી તો બને તાપસ, જ્ઞાનથી મુનિ પુંગવ. આ ઉપરથી ફલિત થાય છે કે બ્રાહ્મણ એટલે સાધુ મુનિ. સત્તરમાં પ્રકરણમાં બ્રાહ્મણ ગુણનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. શ્રમણ સાધુને મન નિર્વાણપદ એજ મુખ્ય ધ્યેય હોવું જોઈએ. શ્રમણ સમ્યક ચારિત્ર ધર્મનું નિરતિચારપણે પાલન કરે, સદા ઉપયોગમય પ્રવૃત્તિ કરે એજ બ્રાહ્મણ ગુણ સમજવો. વૈરાગ્ય અને કર્મફળનો વિચાર કરતાં પ્રવ્રજયા ગ્રહણ કરનાર સમુદ્રપાલ મુનિની કથા બ્રાહ્મણગુણની પુષ્ટિ કરવામાં સફળ નીવડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy