SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. સ્વામીએ ૧ થી ૯ પ્રકરણમાં જૈન દર્શનની, જીવ અને જગતના સ્વરૂપ વિશેની માન્યતાના સંદર્ભમાં નવતત્ત્વનો પરિચય કરાવ્યો છે. જીવ કર્મનો કર્તા, ભોક્તા છે. સુખ દુઃખના અનુભવ વાળો, ચૈતન્ય સ્વરૂપ છે. જે આઠ પ્રકારનાં કર્મો બાંધે છે અને જે તે કર્મજનિત પરિણામ-ફલને ભોગવે છે તથા જે કર્માનુસારે ગત્યંતર કરે છે અને જે કર્મોનો અંત પણ કરે છે તેવા લક્ષણવાળો જ આત્મા કહેવાય છે. જીવોની પર્યાપ્તિ, પૃથ્વીકાયાદિ જીવો, એકેન્દ્રિયથી થી પંચેન્દ્રિ જીવો, જીવના વિવિધ પ્રકારો, દેવ, જીવોના ભેદ વગેરે દ્વારા જીવોના પ૬૩ ભેદ વિશે માહિતી આપી છે. તિર્યંચના ૪૮ + નારકીના ૧૪ + ૩૦૩ મનુષ્ય + ૧૯૮ દેવ એમ ઉપરોક્ત ભેદ જાણવા. ઉત્તરાધ્યયન સૂત્રના આધારે જીવનું સ્વરૂપ દર્શાવતાં જણાવ્યું છે કે – नाणं च दंसणं चैव, चरितं च तवो तहा वीरियं उवओगोय, एवं जीवस्स लक्खणं ॥ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ છ જીવનાં લક્ષણો છે. જૈન દર્શનમાં આ રીતે જીવની ઓળખાણ આપવામાં આવી છે. બીજા પ્રકરણમાં અજીવ તત્ત્વ વિશે માહિતી છે. શબ્દ, અંધકાર, પ્રકાશ, તેજ, છાયા, તડકો વગેરે તેમજ વર્ણ, ગંધ, રસ, સ્પર્શએ પુદ્ગલ-જડનાં લક્ષણો છે. સમસ્ત વિશ્વ પદ્રવ્યાત્મક છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ પ્રમાણે છે દ્રવ્યો છે. અજીવના ૧૪ ભેદ છે. આ ભેદની વિસ્તૃત વિગતો આપતો Chartતત્ત્વની વાતને વધુ સ્પષ્ટ કરે છે. પ્રકરણ ત્રીજામાં બંધ તત્ત્વનો ઉલ્લેખ કર્યો છે. અજીવ દ્રવ્ય, શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, વર્ણ, ગંધ, રસ સ્પર્શ, એકત્વ, પૃથકત્વ, સંખ્યા, સંસ્થાન વગેરે લક્ષણોવાળું છે. તે પુગલના પ્રકાર છે. પુદ્ગલ એટલે કે પ્રકૃતિની માયાજાળમાં ફસાયેલો પુરૂષ આત્મા સંસારમાં પુદ્ગલની આસક્તિથી ભ્રમણ કરે છે. આત્માના પ્રદેશ અને કર્મના પુદ્ગલો દૂધપાણીની માફક ભેગાં મળે તે બંધ તત્ત્વ છે. કર્મના આઠ પ્રકાર છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય આ પ્રકરણમાં વિસ્તારથી જૈન ધર્મના કર્મવાદનો પરિચય આપીને આત્મા કર્મથી મુક્ત થાય તે અંગેના વિચારો પ્રગટ કર્યા છે. પ્રકરણ ચારમાં પુણ્યતત્ત્વનું વિશ્લેષણ કર્યું છે. જે કાર્યો કરવાથી અશુભ કર્મો ૧૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy