SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ वीतरागप्रभोः श्रध्धा, भक्त्या तद्गुणसेवनमः। क्षमा शोचं च स्वाध्याय मात्मदर्शन हेतवः ॥ ३० ॥ વીતરાગ પરમાત્મા ઉપરની શ્રદ્ધા તથા ભક્તિ વડે તેમના ગુણોને પ્રાપ્ત કરવા ક્ષમા, શૌચ, સ્વાધ્યાય વગેરેનો અભ્યાસ તે આત્મદર્શનને પ્રાપ્ત થવામાં વિશેષ કારણરૂપ છે. आत्मैव परमात्मेति भावनाऽनन्दकारिणी। आत्मदर्शन प्राप्तव्यर्थ भावनीया मुमुक्षुभिः ॥ ३९ ॥ આત્મા પરમાત્મા છે તેવી ભાવના આપણને આનંદ ઉપજાવનારી છે. તેમજ આત્મદર્શનની પ્રાપ્તિ માટે મુમુક્ષુ જનોએ તે ભાવના નિરંતર ભાવવી. अनुभाव्यः सदात्मा वै ज्ञानिना शान्तचेतसा । मोहमायां परिह्यत्य देया दष्टिः सदात्मनि ॥ ४७ ॥ શાંત ચિત્તવાળા મહાજ્ઞાની પુરૂષોએ મોહમાયાનો ત્યાગ કરીને સર્વદા આત્મસ્વરૂપનો અનુભવ તેમાં એકાગ્રભાવે દૃષ્ટિને સદા સ્થિર કરવી તે આત્મદર્શનના ઉપાદાનનું ખાસ કારણ છે. यः कर्ता कर्मणामात्मा हर्ता सजीव उच्चते । કર્તા હર્તા વાત્મા નાન્ય: શોપ પર: પ્રમુ: | 48 I/ જે આત્મા પોતાના કર્મનો કર્તા હોય તે જ તેનો ભોક્તા કે હર્તા થાય છે તેથી તે આત્માને જિન કહેવાય છે. જ્યારે પોતાના કર્મનો કર્તા ભોક્તા અને હર્તા સ્વયં હોવાથી અન્ય કોઈ પણ તેને સુખ દુઃખ કે મુક્તિ આપવા સમર્થ નથી. आत्मज्ञानाग्निना कर्म प्रपंचे दह्यते ध्रुवम् । आत्मज्ञान सदाऽराध्यं त्यक्त्योपाधि विभावकम् ॥ ६० ॥ આત્મસ્વરૂપનું જ્ઞાન જયારે પ્રગટ થાય છે ત્યારે તે આત્મજ્ઞાનરૂપી અગ્નિ વડે નિશ્ચયથી સર્વકર્મ પ્રપંચ બળીને ભસ્મીભૂત થાય છે. આથી વિભાવમય સર્વ ઉપાધિને છોડીને હંમેશાં આત્મજ્ઞાનની આરાધના કરવી. सम्यक् श्रुत समालम्ब्य आत्म धर्म समाश्रय । મોભારામ સોપાસ્યઃ સોડહંગાપન તત્ત્વરી / ૬૪ સમ્પ્ટમ્ શ્રતનો આશ્રય લઈને આત્મધર્મનો આશ્રય કરવો. તત્ત્વનો રાજા આત્મારામ એવા જાપ વડે સદાય આરાધના યોગ્ય છે. ૧૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy