SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ चिदानन्दं मयं शुध्धं परोवाय निरामयम् । અનંત સુણ સંપન્ન સર્વ સં. વિવર્ણિતમ્ II 8? I (પા. ૨૧) મુક્તાવસ્થામાં આત્મા નિત્ય, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ, ચિદાનંદમય પૂર્ણ અને શુધ્ધ સ્વરૂપમાં અનંત અવ્યાબાધ સુખનો નિરંતર ભોક્તા હોવાથી અને પૌદ્ગલિક સર્વસંગ વિનાનો હોવાથી રોગ શોક રૂપથી પર એટલે પુદ્ગલની પીડા વિનાનો છે. આત્મસ્વરૂપની દૃષ્ટિરૂપી અમૃત દૃષ્ટિ વડે આત્માને લાગેલો મોહનો તાપ નાશ પામે છે. ત્યારે કલ્યાણકારી આત્મધર્મનો ઉદય થાય છે. આત્માએ અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભયોગરૂપ કૃષ્ણપક્ષ સમાન અનંત કાળ વીતાવ્યો છે. પણ આ નિમિત્તો દૂર થતાં સમકિત પ્રાપ્ત થાય એટલે બીજના ચંદ્ર સમાન આત્મદર્શનની આછી ઝાંખી થાય છે. કવિએ કૃષ્ણ પક્ષ અને શુકલ પક્ષના રૂપક દ્વારા આત્મદર્શન વિશેનો મહત્વનો વિચાર પ્રગટ કર્યો છે. નિશ્ચય નયથી આત્મા સિદ્ધ-બુદ્ધ સ્વરૂપ છે એમ જણાવ્યું છે. આત્માનું અજ્ઞાનપણું સમ્યક જ્ઞાનરૂપી સૂર્યથી નષ્ટ થાય છે. આત્માએ બાહ્ય દૃષ્ટિથી જોવાને બદલે આંતરદૃષ્ટિથી જોવું જોઈએ. આત્માનો શુધ્ધ ધર્મ પ્રગટ થાય છે ત્યારે સ્થિરતા આવે છે અને બાહ્યદૃષ્ટિમાં લેવાતો નથી. જેને આત્મધર્મ ઓળખ્યો છે તે કદી પણ દુર્ગતિમાં જાય નહિ. કવિએ આષાઢાભૂતિના દષ્ટાંત દ્વારા આત્મધર્મની પ્રાપ્તિનો ઉલ્લેખ કર્યો છે. કુર્માપુત્ર ઘરમાં રહેવા છતાં કેવળજ્ઞાન પામ્યા. આત્મદષ્ટિને કોઈ રોકી શકતું નથી. ઉપરોક્ત દષ્ટાંત દ્વારા વિચારવાનું કે આષાઢાભૂતિ અને કુર્માપુત્રએ આત્માના સહજ સ્વરૂપનો આંતરિક દૃષ્ટિથી સાક્ષાત્કાર કર્યો છે. આત્મા પોતાના અસંખ્યાતા પ્રદેશોમાં રહેલો છે. તે શુદ્ધ દૃષ્ટિ, સ્થિરતા અને ધ્યાનથી અનુભવ કરતાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ આનંદ મહોદધિ સ્વરૂપ અનુભવ કરે છે. આત્મા ચંચળતાને દુર કરે તો જ સ્થિરતામાં પ્રવેશ પામી શકે. અંતરંગમાં સ્થિરભાવ રહે તે માટે જગતના સર્વ જીવો પ્રત્યે પ્રેમમય બનવું જોઈએ. તેનો ઉપાય છે મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થ ભાવનાનું આલંબન. આત્મદર્શન કરનાર વ્યક્તિએ સૌ પ્રથમ પાંચ મહાવ્રત અહિંસા સત્ય, અસ્તેય અબ્રહ્મ અને અપરિગ્રહ તથા રાત્રિભોજન-અભક્ષ્યાદિનો સર્વથા ત્યાગ કરવો જરૂરી છે. ઈશ્વરનું ધ્યાન, સદ્ગુરુનો ઉપદેશ, અનેકાંતવાદનું પ્રમાણ, નય-નિક્ષેપનું જ્ઞાન હોય તો આત્મસ્વરૂપનું દર્શન થાય છે. સર્વપ્રકારની પૌદ્ગલિક પરિણતિનો ત્યાગ આત્મદર્શનમાં ઉપકારક છે. આત્મા અરૂપી છે પણ તેના જ્ઞાન ગુણ વડે સર્વ પદાર્થોને જાણે છે. આત્મસ્વરૂપના દર્શન ૧૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy