SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ नाऽहं पृथ्वी नचाकाश मग्निर्वायु न वार्यहम् । नाऽहं स्वर्गव पाताल मेकोहं विश्वसङ्ग यपि ॥ ४४७ ॥ नाऽहंनरो न नारी वा नपुंसको न वेदम्यहम् । अवर्णो न च वर्णोऽहं मुच्चनीचो न वस्तुतः ॥ ४४८॥ गृहस्थोऽहं न संन्यासी सर्वरुप विर्वजितः । नाऽहं रागो न रोषोऽहं नाऽहं क्रोधो न लोभवान् ॥४४७ ॥ नाऽहं मानं न दम्भोऽहं नाऽहं कामोन वैरवान । न शत्रु र्नास्मि वा मित्रं पिता माता न बालकः ।। ४५०॥ વ્યસન મુક્ત આત્મા સુખ પામે છે. દુર્ગુણો વ્યસનો અને દુષ્ટાચારોથી વિમુક્ત થયેલા આત્માના જીવનમાં પ્રભુનો દિવ્ય પ્રકાશ પ્રગટે છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિનું લક્ષ્ય રાખીને મોહ રહિત થઈ સમભાવથી સાધના કરવાથી ક્ષણ માત્રમાં આત્મ સ્વરૂપનું સત્ય દર્શન થાય છે. આત્મ સાધના કરનાર મનુષ્ય અહંકાર મમતાની ગ્રંથિ ભેદવી પડે છે. જેને સમતા મેળવી તેને ત્યાગ સહજ બને છે. જ્ઞાન, વૈરાગ્ય અને આસક્તિ રહિત થવાથી સમતા આવી એટલે મોક્ષ નજીક થાય છે. આત્મસ્વરૂપ સાધવા માટે સદ્ગુરુનો સત્સંગ બીજ સ્વરૂપ છે. इत्येवमाऽत्मबोधस्य बीजं सद्गुरु सेवनम् । सर्वोपायेषु मुख्यंतत्त्सद्गुरोः पाद्ीवनम् ॥ ५१४॥ અધ્યાત્મ વિદ્યાના અભ્યાસના અનુભવ વિશે કવિ કહે છે કે – अध्यात्मयोग शास्त्राणा - मभ्यासाद्धयानतो मयि। स्वाभाविकी समुत्पन्ना स्फुरणा ज्ञान सम्भवा ॥५२० ॥ અધ્યાત્મ ગીતાના પર ૯ શ્લોકોના સારરૂપે એવો નિષ્કર્ષ તારવવામાં આવે છે કે આત્મસ્વરૂપ પામવા માટે મોહનીય કર્મની સત્તા નષ્ટ કરવી જોઈએ. રાગ-દ્વેષ કષાયનો ત્યાગ, બહિરાતમની સ્થિતિથી અલગ થઈને આત્મલક્ષી થવું. પૌગલિક પદાર્થોના સુખની આસક્તિનો ત્યાગ, રત્નત્રયની આરાધના, ગુરુ પ્રત્યેની અવિચળ શ્રદ્ધા અને માર્ગદર્શન હેઠળ સાધના પથમાં પ્રયાણ કરવું. આત્મસ્વરૂપનું જ્ઞાન સમતા અને સહિષ્ણુતા, ચાર અને બાર ભાવનાનું ધ્યાન ધરવું, દેહાધ્યાસથી મુક્ત થવું, સત્ય જ્ઞાન પ્રાપ્તિ, નવધા ભક્તિ, આત્મા પ્રત્યે પ્રીતિ વગેરે હકીક્તોનો સમાવેશ કરીને આ ગીતાની રચના કરી છે. લગભગ બધાજ શ્લોકો સ્વતંત્ર રીતે પણ ચિંતન મનન કરવાથી આત્મસ્વરૂપ પર પ્રકાશ પાડે છે. /૧૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy