SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ गुरु गमं विना ज्ञानम् कदापि नैव जायते । गुरु कृपा विना सत्यम् ज्ञायते नैव पण्डितैः ॥ १४१ ॥ પુદ્ગલનો રાગ છોડી દેવો જોઈએ, આ જગત સ્વપ્નવત્ છે. સંસારનું સુખ સાચું માનીશ નહિ. પૌદ્ગલિક સુખદાયક પદાર્થો સ્ત્રી, પુરુષ, વર્ણ, ગંધ, રૂપ, સ્પર્શ વગેરેમાં મોટાઈ જવું નહિ. આ પદાર્થો સુખને બદલે પાછળથી દુઃખદાયક બને છે. આત્માને બાહ્ય જગતમાં સુખ મળતું નથી સાચું સુખ આત્મ પ્રદેશમાં છે. તે જ્ઞાનચક્ષુથી જોઈ શકાય છે. આત્મા જન્મ જરા મૃત્યુ રહિત સ્વતંત્ર છે. સદા નિર્ભય, નિશ્ચલ, નિરાકાર, નિરંજન, પૂર્ણસ્વરૂપી નિર્મળ છે. આત્માનું સામ્રાજય જ્ઞાન, ધ્યાન અને સમાધિથી પ્રાપ્ત થાય છે. આત્માને અનાદિ કાળથી કર્મો લાગ્યાં છે. એટલે પોતાનું સ્વરૂપ નિહાળી શકતો નથી. શુધ્ધ ઉપયોગથી આત્માનુભૂતિ થાય છે. કવિએ ભરત ચક્રવર્તિનું દૃષ્ટાંત શુદ્ધ ઉપયોગ માટે નીચેના શ્લોકમાં જણાવ્યું છે. भारतस्य महासम्राट् भरतो राज्य भोग्यऽपि । आत्मोपयोगतो जातः केवली गृह संस्थितः ॥ १६९ ॥ આત્મસિદ્ધિ માટે મહાભયંકર કષ્ટદાયક મોહનો ત્યાગ કરવો જોઈએ. તેના કારણે સ્મૃતિ ભ્રશ થાય છે. કવિના શબ્દોમાં આ વાત જોઈએ તો - मा कुरु मोह विश्वासं मोहेन स्वाऽत्म विस्मृतिः ॥ भवेत्यैव हृदि ज्ञात्वा कुरु मोह पराजयम् ॥ १७२ ॥ अनेक वृत्ति रुपेण मोहश्चिते प्रजायते । आत्मोपयोग भावेन जायते मोह संक्षयः ॥ १७३ ॥ પુર્વકર્મના ઉદયે મોહની તીવ્રતા થાય છે ત્યારે વૈરાગ્ય ભાવના ભાવવી જોઈએ. અને આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવું. અંતરદૃષ્ટિમાં રાચતો આત્મા જ્ઞાની છે. બાહ્યદૃષ્ટિમાં રાચતો આત્મા મિથ્યાત્વી છે. જ્ઞાની મુક્તિ માટે જીવે છે. મિથ્યાત્વી ભવોભવ ભ્રમણ કરે છે. આત્મશક્તિ જાગૃત થતાં મોહનું સામ્રાજય નાશ પામે છે. જૈને આત્મા અંગે શ્રદ્ધા છે તે સાચું ચારિત્ર પાલન કરીને અવશ્ય મુક્તિ પામે છે. આત્મા સાથે જ પ્રીતિ કરવી અને તે જ રીતે બીજા આત્માઓ પર પ્રેમભાવ રાખવો. આત્માનું સામ્રાજય શાંતિ પ્રદાન કરે છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રી સગુણો પ્રત્યે આદર અને મધ્યસ્થ ભાવના ભાવવાથી આત્માની શાંતિમાં વૃદ્ધિ થાય છે. - ક્રોધ મહાભયંકર કર્મ બંધ કરાવે છે. તેનો ત્યાગ કરીને સમભાવ કેળવવો જોઈએ. આત્માર્થીએ કોટિ (કરોડો) કાર્યો છોડીને જ્ઞાનીનો સંગ કરવો જોઈએ. ૧૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy