________________
૫૦
અહનિસિ પખિ ચઉમાસી કુટું, સવછરી મિરછા-દુક્કડું, અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ-સાખે તે મુજને હજો. (૩૧)
ચારિત્રાચારના આઠ અતિચાર, તેને વિષે જે કોઈ પખી, (ચીમાસી, સંવરી) દિવસને વિષે અતિકમ, વ્યતિકમ,અતિચાર, અનાચાર લાગે છે, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
(સમક્તિના પાંચ અતિચાર ) હવે વિશેષ શ્રાવકનો ધર્મ, સમકિત-તત્ત્વ ૯હે લઘુ-કર્મ, સમકિત લથે સર્વ પ્રમાણ, તપ જ સંજમના વિનાણ. (૨) સમકિત રતન જતન કરી ગ્રહો, જાસુ પ્રસાદે શિવ સુખ લહ, સમકિત પાખે શિવપદ દૂર, ચઉ ગઇ જીવ ભવ-ભૂર. (૩૩) ચારિત્ર પાળે વાર અનંત, તે પણ ન હુ પામે ભવ અંત, ઈમ જાણી સમકિત આદર, સમકિત આદરી કિરિયા કરો. (૧૪) સમકિત કિરિયા છે જે મીલે, તે ભવ ભમવાના ભય ટળે, સમકિત સુધા દંસણ નાણ, દેવ-ગુરુ-ધર્મ વિષે તે પ્રમાણ. (૩૫) દેવ એક અરિહંત વિદિત, રાગ-દ્વેષ વૈરી જિણે જીત, દેષ અઢાર રહિત હિતકાર, ત્રિભુવન જનને તારણ હાર. (૩૬)" નામ –ઠવણ–દ્રવ્યભાવક વિચાર, નિક્ષેપ અનુગ-દ્વાર, ચિંહુ પ્રકારે ઈણિ પરે અરિહંત, ચઉથે ભેદ નમું જયવંત. (૩૭) ચોવીસ ભણતાં નામ, જિન નામે તસુ કરૂં પ્રણામ, ઠવણારે તે જિન-પ્રતિમા કહી, જિન ભાવે તે વંદુ સહી. (૩૮) પંચમ-ઝયણ આવશ્યક તણે, અધિકારે યતિ શ્રાવક ભણે, પઢમ-ઉવગે દશમે અંગ, પ્રગટ સાખી જાણે મન રંગ. (૩૯) આવતી ચઉવીસી હશે, લહી કેવળ જિન ધર્મ ભાખશે, આગમ-ભાખ્યા દ્રવ્ય જિર્ણદ, તે પ્રણમું મન ધરી આણંદ. (૪૦) ઈમ ચૌવીસી જે જિન યદા, એહિ જ ચોવીસ તદા, વંદનિક ઈમ દ્રવ્ય જિનેશ, ગુરુ પૂછી જાણે સુવિશેષ. (૪૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org