SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ જીવનાં જો આ લક્ષણા છે તે જીવ સંસારમાં ફેરા ફરે છે, સુખદુ:ખ અનુભવે છે, તેનું કારણ શું? ઉન્નતિ કરતા હોય છે. મોટા ભાગના જીવો તે અનભિજ્ઞ હાય છે અને આકાર તેમ જ દેહ ધારણ લપટાય છે, જન્મ-મૃત્યુના જગતમાં બહુ ઓછા જીવા પેાતાના સાચા સ્વરૂપથી કરીને રહે છે. આ બધી સમસ્યાઓનું કારણ એક જ છે—કર્મદ્રવ્યની પ્રવૃત્તિ. એને કારણે જ જીવના સ્વાભાવિક ગુણા પર આવરણ આવી જાય છે અને ગુણાની શક્તિ કુંઠિત થઈ જાય છે. જૈન ધર્મ એવી પૂર્વધારણા સાથે ચાલે છે કે અનંત કાળથી જીવ કર્મદ્રવ્યને વળગેલા છે. ધર્મનું પહેલું કાર્ય એ છે કે કર્મના પ્રવાહ ક્ષીણ કરવા, જીવ સાથેના તેના સંબંધ શમાવી દેવા અને મેાક્ષમાર્ગ બતાવવા તેમ જ જીવ જે રીતે પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે તે રીત બતાવવી. કર્મના સ્વભાવ કેવા છે? સામાન્ય ભાષામાં કર્મ એટલે કાર્ય અથવા કામ. કેટલીક વખત તેના અર્થ, ‘ધર્મગ્રંથાએ નિયોજેલાં ધાર્મિક કર્મકાંડ ' એવા પણ થાય છે. જૈન ધર્મમાં એ પુદ્ગલનું એક સ્વરૂપ છે. તે નિષ્ક્રિય, નિર્જીવ, અણુરૂપ અને સૂક્ષ્મ છે. આપણી કોઈ પણ ઇન્દ્રિય તેને ગ્રહણ કરી શકતી નથી. અત્યંત સૂક્ષ્મ, સૌથી વધુ આવર્ધનશક્તિ ધરાવતા સૂક્ષ્મદર્શક યંત્ર વડે પણ તેને જોઈ શકાતું નથી. કોઈ રસાયણશાસ્ત્રી કે ભૌતિકશાસ્ત્રી તેને ઓળખી શકતા નથી કે તેનું પૃથક્કરણ કરી શકતા નથી, અને કરવા જાય, તે ગુંચવાઈ જાય છે. ધ્વનિ, પ્રકાશ કે વિદ્યુતના તરંગો કરતાં કે આધુનિક વિજ્ઞાને કલ્પેલાં વિદ્યુદણુ કરતાં પણ તે લાખાગણું સૂક્ષ્મ અને બારીક છે. આપણને તે દરેક બાજુએથી હમેશાં ઘેરનું રહે છે અને અવકાશમાં તેમ જ વાતાવરણમાં પણ તે વ્યાપેલું હોય છે. એ જ વિશ્વની ગતિનું કારણ છે. સૃષ્ટિની બધી ઘટના કર્મના પરિણામના જ આવિર્ભાવ છે. કર્મના જીવ સાથેને સંબંધ શી રીતે અસ્તિત્વમાં આવે છે? જીવના આંદાલનને ‘યોગ ’કહેવામાં આવે છે. આ ‘યોગ’ અથવા પ્રવૃત્તિ દેહ, વાણી કે વિચારને કારણે હોઈ શકે. શરીરની પ્રવૃત્તિને કારણે કે વાણીની ઇન્દ્રિયોનાં અણુઓની પ્રવૃત્તિને દારણે કે મનને રચતાં આણુઓની પ્રવૃત્તિને કારણે જીવમાં આંદોલના ઉત્પન્ન થાય છે. જેવી રીતે ઝરણાંઓ દ્વારા પાણી સરોવરમાં વહે છે તેવી રીતે યોગ અથવા પ્રવૃત્તિના માધ્યમ દ્વારા કર્મદ્રવ્ય જીવમાં વહે છે. તેથી પ્રવૃત્તિ, જે કર્મના પ્રવાહનું કારણ છે તેને આશ્રવ કહેવામાં આવે છે. વિચારની પ્રવૃત્તિને ભાવકર્મ કહેવામાં આવે છે જ્યારે જીવમાં વહેતાં અને તેને બંધનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy