SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ નાખતાં દ્રવ્યોને દ્રવ્યકર્મ કહેવામાં આવે છે. જીવ શુદ્ધ અને પૂર્ણ છે પણ કર્મદ્રવ્યના કાના પ્રવાહ તેના સ્વાભાવિક ગુણાને ઝંખવી નાંખે છે—જેમ સૂર્યના પ્રકાશને ધૂળના ગાટ કે ઘેરાં વાદળાં ઝંખવી નાંખે છે તેમ. કોઈ પૂછી શકે કે જીવ તો અમૂર્ત છે, તે મૂર્ત કણાથી શી રીતે ઝંખવાય? અનુભવ આપણને કહે છે કે સ્વચ્છતા, સંયમ અને સુસંગત વાણી જેવા મનુષ્યના ઘણા ગુણા કેફી ઔષધા કે પીણાંને કારણે ઢંકાઈ જાય છે. અહીં પણ એવું જ છે. ૮૧ પ્રવૃત્તિ શુભ કે અશુભ હાય, તેના અનુસાર, કર્મ, પુણ્ય કે પાપના પ્રવાહને ઉત્પન્ન કરે છે. પ્રવૃત્તિ પાછળ રહેલા આશય, અને તેનાં પરિણામ બંનેની ગણતરી થાય છે. કોઈને ઈજા પહોંચાડવી, ચોરી કરવી, એ બધી અશુભ શારીરિક પ્રવૃત્તિ છે. તેવી જ રીતે કઠોર વાણી, અસત્યભાષણ, વગેરે વચનની અશુભ પ્રવૃત્તિઓ છે. શત્રુતા, ધિક્કાર, ઇર્ષ્યા, એ બધી મનની અશુભ પ્રવૃત્તિઓ છે. જીવને વિશુદ્ધ કરે કે સુખ આપે તે પુણ્ય. દુ:ખ, આપત્તિ, અસ્વસ્થતા વગેરેનું કારણ પાપ છે. કર્મા બીજા દૃષ્ટિબિંદુથી પણ જુદાં પડે છે- પ્રકૃતિ અને પરિણામમાં તેઓ ભિન્ન હોઈ શકે. તેમની અસરની ગહનતા (અનુભાગ) અથવા તેમના જથ્થા (પ્રદેશ)માં ભિન્નતા હોઈ શકે. આ બધું પ્રવૃત્તિના સ્વભાવ પર, અને પ્રવૃત્તિમાં પ્રેરતા સંજોગા અને કારણા પર પણ આધાર રાખે છે. પ્રવૃત્તિ નિર્બળ કે પ્રબળ હોય, તે પ્રમાણે આમ્રવનું સ્વરૂપ બદલાય છે. આંતર અને બાહ્ય સંજોગા ભેગા થઈને પ્રવૃત્તિને પ્રબળ કે નિર્બળ બનાવે છે. કેટલીક વખત કાર્યો ઈરાદાપૂર્વક કરવામાં આવે છે. કેટલાંક કાર્યો બેદરકારીપૂર્વક થાય છે. ધારો કે એક માણસ બદલા લેવાની ઇચ્છાથી બીજાને મારી નાંખે છે. આ કાર્ય જાણીબુઝીને કરવામાં આવ્યું તેથી ઉદ્ભવેલા આવેગની ઘનતા પ્રબળ છે. બીજી બાજુ, કોઈ કીડી પર થઈને ચાલતા હોય અને અજાણતાં કીડીને મારી નાંખ, તેની પાછળના ઈરાદા મારી નાંખવાના હોતા નથી. ક્રોધ, ગર્વ, કપટ અને લાભ એવા ચાર કષાયાથી પ્રેરાઈને મનુષ્ય કાર્ય કરે કે ન કરે તેને કારણે પણ કર્મપ્રવાહની ભિન્નતા ઉદ્ભવે છે. પાંચ ઇન્દ્રિયો અને ચાર કષાયો ઉપરાંત પાંચ પ્રકારનાં વ્રતો ન લેવાથી પણ કર્મપ્રવાહ ઉત્પન્ન થાય છે. હિંસા, અસત્યભાષણ, ચૌર્ય, અબ્રહ્મચર્ય અને આસક્તિ આ પાંચેયને કારણે દેહ, વચન, અને મનની પ્રવૃત્તિઓ ઉદ્ભવે છે. પરિણામે કર્મપ્રવાહ ઉત્પન્ન થાય છે, જે જન્મ-મૃત્યુનાં ચક્રનું કારણ છે. જૈ.—૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy