SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ tr આપણાં કર્મ હજી આપણી સાથે આવ્યાં કરે છે; આપણે જેવું આચરણ કર્યું છે તેને પરિણામે અત્યારે આપણે જે છીએ તે છીએ.” પ્રકરણ ૭ કર્મોના સિદ્ધાંત -જ્યાર્જ ઇલિયટ બીજાં હિન્દુ દર્શન કરતાં જૈન ધર્મમાં કર્મના સિદ્ધાંત વધુ મહત્ત્વના છે. સુખ કે દુ:ખનું કોઈ દેખીતું કારણ હોતું નથી તે સૌના અનુભવની વાત છે. સજ્જના દુ:ખ અનુભવતા હોય છે અને દુર્જના જરા પણ મુશ્કેલી વગર આગળ વધે છે અને મેાજ ઉડાવતા દેખાય છે. ઉજજવળ કારકિર્દી અને ઊંચી શૈક્ષણિક ગુણવત્તાવાળી વ્યક્તિ નીચે સબડે છે તેમ જ પવિત્ર ચારિત્ર્ય ધરાવતા મનુષ્યો મુશ્કેલી વેઠે છે અને દુ:ખ ભાગવે છે. આ બધી અસમાનતાઓનું કારણ સામાન્ય રીતે નસીબ અથવા દૈવને ગણવામાં આવે છે. બીજા કહે છે : “કોઈ દિવ્ય તત્ત્વ આપણું ભાવિ ઘડે છે, આપણી તેની આગળ કોઈ વિસાત નથી.” શું મનુષ્યો સાવ અસહાય પ્રાણી છે અને તેમને કોઈ જાણ્યાં કે અજાણ્યાં તત્ત્વને આધીન કરી દેવામાં આવ્યાં છે? કર્મના સિદ્ધાંત, જન્મ અને મૃત્યુ, સુખ અને દુ:ખ, શારીરિક અને માનસિક અસમાનતા અને જીવાના ઉચ્ચાવચ પ્રકારને બુદ્ધિપૂર્વક અને સંતાષજનક રીતે સમજાવે છે. એ જ તેની મહત્તા છે. જૈન ધર્મના પાયાના સિદ્ધાંત છે કે પ્રત્યેક જીવ ચેતન છે, અને દર્શન અને જ્ઞાનરૂપી ‘ઉપયોગ ' ધરાવે છે; તેને આકાર નથી, પણ તે બધાં કાર્યાના કર્તા છે; જે શરીરમાં પેાતાના નિવાસ હોય તે શરીરનાં પરિમાણ જેટલે પેાતાના વિસ્તાર કરવાની તેનામાં શક્તિ છે; તે કર્મફળના ભાકતા છે અને તેને પરિવર્તનશીલ સંસારમાં મૂકવામાં આવ્યા છે; તેની વૃત્તિ ઊર્ધ્વગતિ કરવાની હોય છે અને પૂર્ણત્વની દશા પ્રાપ્ત થતાં તે સિદ્ધ બને છે. વ્યવહારનય પ્રમાણે તેને ચાર પ્રાણ છે : ઇન્દ્રિય, બળ, જીવનકાળ અને શ્વસનક્રિયા. યથાર્થનય પ્રમાણે જીવ અને ચૈતન્ય એકરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy