SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ મનુષ્ય મન ધરાવે છે. મનનું કાર્ય શુભની પ્રાપ્તિના અને અશુભના નિવારણના ઉપાયો શોધવાનું છે. મન ધરાવતાં પ્રાણીઓને ‘સંશી ’ પણ કહેવામાં આવે છે. . સ્વર્ગના અને નરકના જીવાને જન્મ વિશિષ્ટ શય્યામાં તત્કાળ થતા હોય છે. તત્ત્વાર્થસૂત્ર માં કહેવામાં આવ્યું છે કે પૃથ્વી પરના જીવાના જન્મના ત્રણ પ્રકારો છે. (૧) ગર્ભનાળ સાથેનાં બાળકો (૨) સેવાઈને જન્મ લેતાં, ઈંડાં, મરઘીનાં બચ્ચાં વગેરે. (૩) નાળ વગરનાં — સિંહનાં બચ્ચાં, હરણનાં બચ્ચાં વગેરે. આ ત્રણ પ્રકારના જન્મે ગર્ભાશયમાંથી થએલા હોય છે. સ્વર્ગના જીવા પેટીરૂપી શય્યામાં જન્મેલા છે જયારે નારકી જીવા નરકની છતના છિદ્રોમાંથી લટકતી કોથળીમાં જન્મેલા હોય છે. સ્વર્ગના જીવા અથવા દેવાની આવી સ્થિતિ અને આવા જન્મ તેમનાં પુણ્યાને કારણે હોય છે. તે હંમેશાં આનંદમાં હોય છે અને “ વૈકિયિક શરીર ” કહેવાતુ પ્રકાશિત શરીર ધરાવે છે. તે શરીર પ્રવાહી હોય છે તેથી દેવા પોતાની ઇચ્છામાં આવે તેવું રૂપ લઈ શકે છે. તેમના દેહને માંસ, હાડકાં, કે લેાહી હોતાં નથી પરિણામે તેમના દેહમાંથી વાસ મારતા કોઈ ઉત્સર્ગ બહાર આવતા નથી. તેમના દેહ તેજસ્વી હાય છે. કુદરતી રીતે જ દેશને આઠ સ્વર્ગીય પ્રાપ્તિ થઈ હોય છે. ( ૧) અણિમા—શરીરને સંકોચવાની કે નાનું બનાવવાની શક્તિ (૨) મહિમા— શરીરને ગમે તે પરિમાણમાં વિસ્તારવાની શક્તિ (૩) લઘિમા—શરીરને હળવું બનાવવાની શક્તિ (૪) ગરિમા—શરીરને ભારે બનાવવાની શક્તિ (૫) સકામરૂપિત્વ— એટલે એક જ સમયે કોઈ પણ એક કે અનેક દેહાના આકાર ધારણ કરવાની શક્તિ (૬) વાસિતા—બીજાને તાબે કરવાની શક્તિ (૭) ઈશિતા—બીજા પર અધિકતા બતાવવાની શક્તિ ( ૮ ) પ્રકામ્ય—પોતાની ઇચ્છા મુજબ વર્તન કરવાની શક્તિ. કર્મના ઉદયને પરિણામે સ્વર્ગમાં જન્મ થતાં દેવા મુક્તપણે વિહાર કરે છે અને અંતરિક્ષના પર્વત કે સાગર જેવા વિવિધ ભાગેામાં આનંદ કરે છે. તેમને ભવ્યતા, શાભા અને અદ્ભુત શક્તિ મળેલી હોય છે. તેમની પદવી અને જીવનકાળ અંગે વિભિન્ન મતો છે. તત્ત્વાર્થસૂત્રના ચોથા પ્રકરણમાં ઉમાસ્વામીએ સ્વર્ગના જીવા વષે વિગતવાર ચર્ચા કરી છે. સ્વર્ગના જીવા ચાર પ્રકારના હોય છે: (૧) ભવનવાસી અથવા સ્થાનિક (૨) વ્યંતર અથવા ભ્રમણશીલ (૩) જ્યોતિષ્ક અથવા તારાકાર (૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy