SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ સૂમ, એક ઇન્દ્રિય ધરાવતા જીવોને આપણી ઇન્દ્રિય ગ્રહણ કરી શકતી નથી. આવા જીવો વિશ્વમાં સર્વત્ર હોય છે અને બધાં દ્રવ્યને ભેદીને રહે છે. તેઓ કોઈને હરકત પહોંચડતા નથી, તેમ કોઈ તેમને હરકત પહોંચાડતું નથી. કેટલાક વિકાસ માટે અસમર્થ હોય છે. નિગોદ અથવા વનસ્પતિજીવોમાં ઘણું વૈવિધ્ય હોય છે. છોડ, વૃક્ષો, ઝાડવાં, ઘાસ, શાક, ભાતભાતના પાક, લસણ, કાંદા, ફળ, ફૂલ વગેરે. પ્રયોગો દ્વારા શ્રી જગદીશચંદ્ર બોઝે દર્શાવ્યું છે કે વનસ્પતિને જીવ હોય છે અને તે અનુભૂતિની શકિત ધરાવે છે. આધુનિક પ્રયોગોએ દર્શાવ્યું છે કે પાક અને છોડના વિકાસ ઉપર સંગીતની ઘણી સારી અસર થાય છે. આપણને દૃષ્ટિગોચર થતાં બધાં નિગોદ ધૂળ હોય છે અથવા એવું બને કે વનસ્પતિને નિગદને એક પ્રકાર ગણવામાં આવ્યો છે. સૂક્ષ્મ નિગોદ વિશ્વમાં સર્વત્ર છે અને અદશ્ય છે. તેઓ જળકાય, અગ્નિકાય કે વાયુકાય જીવોથી ભિન્ન છે. કેટલીક વનસ્પતિને એક જીવ અને એક દેહ હોય છે. કેટલીક વનસ્પતિને ઘણા જીવ અને એક દેહ હોય છે. તેમને નિત્યનિગોદ કહેવામાં આવે છે. ઘણાખરા વનસ્પતિકાય જીવો પર્યાપ્ત હોય છે કારણ કે ખોરાક, પાણી વગેરે મળતાં તેમનું સંવર્ધન કે વિકાસ શકય બને છે. તેઓ ગતિની શકિત ધરાવતાં ન હોવાથી સ્થાવર છે. બે ઇન્દ્રિયોવાળાં પ્રાણીઓ સ્પર્શ અને દાણની શકિત ધરાવે છે. કીડા, છીપલાં, શંખ, જળ, આ પ્રકારના જીવ છે. ત્રણ ઇન્દ્રિયો ધરાવતા જીવો સ્પર્શ, દાણ અને દર્શનની ઇન્દ્રિયો ધરાવે છે. માંકડ, જ કીડી અને કુદાં તેનાં ઉદાહરણ રૂપે છે. ચાર ઇન્દ્રિય ધરાવતા જીવો સ્વાદ, પ્રાણ, દર્શન અને શ્રવણની ઇન્દ્રિય ધરાવે છે, તેમનાં ઉદાહરણરૂપે મધમાખી, માખી અને મચ્છર છે. પાંચ ઇન્દ્રિય ધરાવતા જીવોના ઘણા પ્રકાર હોય છે. તેમના ત્રણ વર્ગો હોય છે : (૧) જળમાં રહેતા જીવો, જેવા કે માછલી, મગર, વહેલ વગેરે. (૨) ભૂમિ પર રહેતા જીવો, જેવા કે ગાય, હાથી, ભેંસ વગેરે. (૩) હવામાં રહેતા જીવો, જેવા કે પક્ષીઓ ચામાચીડીયાં વગેરે. મનુષ્યના બે વર્ગો પાડવામાં આવ્યા છે : પૂર્ણવિકસિત અને અપૂર્ણવિકસિત અથવા અશક્ત. માનસિક અને શારીરિક બંને રીતે વિકાસ પામેલા જીવ જ જીવની સ્વભાવગત શકિત પ્રાપ્ત કરી શકે છે, તેમ જ પુનર્જન્મનાં ચક્રમાંથી મુકિત મેળવવાની આકાંક્ષા રાખી શકે છે. જેમની ઇન્દ્રિયો અને માનસિક શકિતઓ પૂર્ણવિકસિત હોય છે તેમનાં જ મન અને કાર્ય તંદુરસ્ત તેમ જ સમતોલ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy