SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ચાર કે પાંચ ઇન્દ્રિય ધરાવતા હોય છે, પાંચ ઇન્દ્રિય ધરાવતા જીવોના બે વર્ગો છે : સમનસ્ક અને અમનસ્ક. એક જ ઇન્દ્રિય ધરાવતા જીવો બાદર (ધૂળ) અથવા સૂક્ષ્મ હોય છે. આ બંને પ્રકારના બીજા બે પ્રકારો છે : પર્યાપ્ત—વિકાસ પામી શકે એવા અને અપર્યાપ્ત–વિકાસ ન પામી શકે એવા. વ્યસંઘના બારમા શ્લોકમાં સંક્ષેપમાં જીવના ચૌદ પ્રકારે જણાવ્યા છે. જૈન દર્શનમાં તેને “જીવસમાસ' કહે છે. જોકતાર (નીવવાદ) જેવા ગ્રંથોમાં હજી વધારે વર્ગો જણાવ્યા છે. જંતુના દ્રવ્યકોષથી માંડીને પૂર્ણવિકસિત માનવ સુધી અગણિત જીવો આ વિશ્વમાં રહેલા છે. અત્યારે જાણીતું છે તે પ્રમાણે દ્રવ્યકોષને સાંભળવાને કાન નથી, જોવાને આંખ નથી, સુંઘવાને માટે નાક નથી અને સ્વાદ અનુભવવા માટે જીભ નથી. તેને માત્ર સ્પર્શેન્દ્રિય છે. મનુષ્ય પૂર્ણવિકસિત પાંચ ઇન્દ્રિય ધરાવે છે. તે એક વધારે ઉચ્ચ પ્રકારની, દૃષ્ટિથી અગોચર એવી એક વધુ ઇન્દ્રિય–મન–પણ ધરાવે છે. જૈન ધર્મ પ્રમાણે મન, “મને વર્ગણ’ નામના સૂક્ષ્મ દ્રવ્યનું બનેલું છે. તેનો આકાર, હૃદયની નજીક, આઠ પાંખડીવાળાં કમળ જેવો છે. છે. ટ્રાઉડ અને યુદ્ધ સમયના વિખ્યાત શલ્ય ચિકિત્સકો મન માનસિક ક્રિયા ને આધાર હોવા વિશે શંકાશીલ છે. યુદ્ધ સમયની શલ્યક્રિયા વખતે, મગજને દૂર કરવામાં આવ્યું છતાં માનસિક શકિતઓને કોઈ હાનિ પહોંચી ન હતી. એક જ ઇન્દ્રિય ધરાવતા સ્થાવર જીવો, બાદર (ધૂળ) અથવા સૂક્ષ્મ હોઈ શકે. વળી તે પર્યાપ્ત કે અપર્યાપ્ત પણ હોઈ શકે. આ જીવો પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, તેમજ વનસ્પતિકાય હોઈ શકે. આ જીવોનાં નામ, તેમના નામકર્મના ફળને આધારે પડેલાં હોય છે. તેઓ ચાર જીવનશકિતઓ ધરાવે છે : સ્પર્શેન્દ્રિય, શારીરિક બળ અથવા કાર્યશક્તિ, શ્વસનક્રિયા અને જીવનકાળ. પૃથ્વીકાય જીવોને દેહ પૃથ્વીને બનેલો છે. બીજા શબ્દોમાં, તે જીવ પૃથ્વીદેહમાં જીવે છે. આવું જ જળકાય જીવોનું પણ છે. પૃથ્વીકાયનાં ઉદાહરણ ખાણની કપચી, હીરો કે કેલો, પથ્થરો, ધાતુઓ, સિદૂર, હળદર વગેરે છે. પાણી, ઝાકળ, બરફ, ધુમ્મસ વગેરે જળકાય જીવોનાં ઉદાહરણ છે. જવાળા, વીજળી, ઉલ્કા વગેરે અગ્નિકાય જીવોનાં ઉદાહરણ છે. શ્વાસમાં આવતાં નાનાં જંતુ વાયુકાય જીવો છે. પાંચ વર્ગ વનસ્પતિકાય જીવોને બનેલો છે. તે વ્યકિતગત જીવ ધરાવતા હોય છે અથવા સમૂહ-જી હેય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy