SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ઉંચા પ્રકારના વિકાસ પામેલાં મનુષ્યોને તે પ્રાપ્ત થાય છે (એટલે કે અનગારગૃહવિહીન સાધુને પ્રાપ્ત થાય છે). પૂજ્યપાદ દેવનંદી તેની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે: “મન સાથેના સંયેાગને કારણે, બીજાના મનના વિષય પણ મન કહેવાય છે અને તે વિષયનું પર્યાય એટલે કે જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન.” તે મતિજ્ઞાન નથી કારણ કે મન એક નિષ્ક્રિય ભૂમિકારૂપે હોય છે અને આવાં જ્ઞાનમાં મનના કોઈ રીતને હિસ્સા હોતા નથી. પોતાનાં કે બીજાનાં મન દ્રારા (મન સાથેના સંયોગ દ્વારા ) તે રચાયું હોય છે પણ તે વિનાશ સાથે ઉપશમનની શક્તિ દ્વારા થએલું હોય છે. ‘આકાશમાં ચાંદો જુઓ' એવા રૂઢિપ્રયોગમાં આકાશ દ્વારા ચંદ્ર બતાવ્યા હાય તેવું જ અહીં છે. મન:પર્યાયજ્ઞાન બે પ્રકારનું હોય છે : જુમતિ અને વિપુલમતિ. ઋજુમતિજ્ઞાન પાતાની કે બીજાની લાગણીઓ અને વિચારોના સંદર્ભમાં છે જ્યારે વિપુલમતિજ્ઞાન એટલે વર્તમાનકાળ, ભૂતકાળ કે ભવિષ્યકાળનું બીજાનાં વિચારો અને લાગણીઓનું જ્ઞાન. દૂરસંવેદન ઢાંકતાં કર્મના આવરણના વિનાશ સાથે ઉપશમ થતાં જીવની અવસ્થા શુદ્ધ થાય છે. દૂરસંવેદીપણાની શ્રેષ્ઠતાને આધાર શુદ્ધિ અને પતનના અભાવના વિસ્તાર પર છે. વિષય, સ્થળ, કાળ, સ્વરૂપ અને સ્થિતિના સંદર્ભમાં જુમતિજ્ઞાન કરતાં વિપુલમતિજ્ઞાન વધુ શુદ્ધ છે. શુદ્ધિ, સ્થળ, શાતા અને જ્ઞેયને કારણે અતીંદ્રિય જ્ઞાન ( clairvoyance ) અને દૂરસંવેદીજ્ઞાન (Telepathy) જુદાં પડે છે. દૂરસંવેદીશાન ઉપર કહેલા બધા મુદ્દાઓમાં વધુ શુદ્ધ છે. ઊંચું ચારિત્ર્ય ધરાવતા અને સાતમી પૂર્ણ વ્રતની—અવસ્થામાંથી બારમી—ભ્રમના ક્ષય—ની અવસ્થાએ પહોંચેલા સાધુ ને આવું જ્ઞાન થાય છે. સાધુઓમાં પણ જેની ઉત્તરોત્તર આધ્યાત્મિક પ્રગતિ થતી હોય તેમને જ આ જ્ઞાન મળે છે. દેવા, નારકીઓ, મનુષ્યો અને પશુઓ અર્તીદ્રિય જ્ઞાન મેળવી શકે છે. બે જ્ઞાન વચ્ચેના તફાવતના આધાર, તે જ્ઞાન ધરાવનારાના તફાવત પર છે. પશ્ચિમમાં પણ મેકડુગલ જેવા મનોવૈજ્ઞાનિકોએ અતીદ્રિયજ્ઞાન, દૂરસંવેદીજ્ઞાન, પૂર્વાબાધ અને માધ્યમદ્રારા પ્રાપ્ત થતાં જ્ઞાન જેવાં ઇન્દ્રિયાતીત જ્ઞાનને સાચાં માન્યાં છે તે નોંધતાં આનંદ થાય છે. પ્રૉ. એચ. એચ. પ્રાઈસ કહે છે કે · અહીંદ્રિય જ્ઞાન અને દૂરસંવેદિતા માટેના પુરાવા વિપુલ પ્રમાણમાં મળે છે.’ અતીંદ્રિય ગ્રહણ વિષે ડૉ. હાઈને ઘણું કામ કર્યું છે. તેઓ કહે છે કે અતીંદ્રિય જ્ઞાન અને દૂરસંવેદીજ્ઞાન જેવાં ઇન્દ્રિયાતીત દર્શના સાચાં છે. તેમનાં ઉદાહરણરૂપે ઘણા વૃત્તાન્ત રજુ કરી શકાય. આવાં શાન ઇન્દ્રિયગ્રાહ્ય હોતાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy