SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલજ્ઞાન એટલે સર્વજ્ઞત્વ. શુદ્ધ અને મુકત અવસ્થામાં રહેલો જીવ જ સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરી શકે. તે દરેક રીતે, દરેક આકારનાં દ્રવ્યોનું દર્શન કરી શકે છે. ઉમાસ્વામીએ કહ્યું છે કે સર્વજ્ઞત્વ એક સાથે બધાં દ્રવ્યો અને તેમની બધી સ્થતિઓ સુધી વિસ્તરેલું છે. અત્યાર સુધી ગણાવેલાં અને વર્ણવેલાં વિવિધ પ્રકારનાં જ્ઞાને, જ્ઞાનની ઉત્તરોત્તર પ્રગતિ દર્શાવે છે. સર્વજ્ઞત્વ અંતિમ કક્ષાનું જ્ઞાન છે. આ અવસ્થામાં કર્મનાં દરેક પ્રકારનાં આવરણમાંથી જ્ઞાન મુક્ત થયું હોય છે. સર્વજ્ઞ જીવનું દર્શન ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થએલું હોતું નથી તેથી તે ઇન્દ્રિયાતીત વિષયોનું ગ્રહણ કરી શકે છે. તે ઉત્તરોત્તર ઉત્પન્ન થતું નથી પણ એકસાથે ઉત્પન્ન થાય છે તેથી એકસાથે અને એક જ સમયે તે વિશ્વના બધા જ વિષયોનું દર્શન કરી શકે છે કારણ કે તે સ્થળ અને સમયથી પર છે. સર્વજ્ઞ જીવ શુદ્ધ અને પૂર્ણ છે તેથી ઇન્દ્રિયો અને મનની અપૂર્ણતાઓથી તે દૂષિત થતું નથી. સર્વજ્ઞ ભૂતકાળ અને ભવિષ્યકાળનું દર્શન વર્તમાનકાળમાં નહીં પરંતુ ભૂત અને ભવિષ્ય તરીકે કરે છે. આથી ભ્રમને કોઈ પ્રશ્ન ઊભો થતું નથી. સર્વજ્ઞ ભૂતકાળની સત્તાને ભૂતકાળની અને ભવિષ્યકાળની સત્તાને ભવિષ્યકાળમાં અસ્તિત્વ ધરાવતી જાણે છે. કર્મનાં આવરણના સંપૂર્ણ ક્ષયને કારણે સર્વજ્ઞનું દર્શન બાહ્ય ઇન્દ્રિયો કે મનના માધ્યમ વિના, જીવે કરેલું સીધું દર્શન છે. અયથાર્થ અથવા વિકૃત જ્ઞાન ત્રણ પ્રકારનું હોય છે. મતિ, શ્રત અને અવધિનું અજ્ઞાન. ખેટા અભિગમ, ખોટાં વલણ કે બેટા વિવેકને પરિણામે અયથાર્થ જ્ઞાન થાય છે. અયથાર્થ જ્ઞાનનું કારણ અયથાર્થ માન્યતા છે. યથાર્થ જ્ઞાન માટે વિવેકશક્તિ જરૂરી છે. ચિંતનની અસ્પષ્ટતાને કારણે અયથાર્થ જ્ઞાન થાય છે. ખોટી માન્યતાને કારણે વસ્તુઓ પર ખોટા ગુણધર્મો આરોપિત કરવામાં આવે છે. ખોટી માન્યતાને કારણે વ્યક્ત થએલો મત સત્ય કરતાં કાલ્પનિક વધુ હોય છે. આમાંનાં એક કે વધુ કારણોને લીધે ખાટું મતિજ્ઞાન, ખોટું શ્રુતજ્ઞાન કે બેટું અવધિજ્ઞાન થાય છે. બીજા એક દષ્ટિબિંદુ પ્રમાણે જ્ઞાનના બે પ્રકાર છે: પ્રત્યક્ષ અને પરોક્ષ. આ બંને પ્રકારનાં જ્ઞાનને તફાવત તેમના માધ્યમ પર આધાર રાખે છે. ઇન્દ્રિય અને મન દ્વારા પ્રાપ્ત થએલું જ્ઞાન તે પરોક્ષ જ્ઞાન. જૈન ચિંતકોના મત પ્રમાણે મન ઇન્દ્રિય નથી. તે અતીન્દ્રીય છે. ઇન્દ્રિયોનું સ્થાન શરીરના વિવિધ ભાગોમાં છે જ્યારે મનને શરીર સાથે કોઈ સંબંધ નથી. તે બોધને માટેનું આંતરિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy