SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ સ્વભાવથી જ રહેલી પૃથક્કરણની ક્રિયાને કારણે ઇન્દ્રિયગ્રહણમાંથી ઇન્દ્રિયજ્ઞાનમાં પરિવર્તન થાય છે. ઇન્દ્રિય સામે ઉપસ્થિત થયેલા વિષયની અસ્પષ્ટ સભાનતાને સ્થાને તેના વર્ગનાં લક્ષણોનું નિશ્ચિત જ્ઞાન થાય છે. વિષયને બીજા વિષયોમાંથી ભિન્ન તારવી શકાય છે અને એના દ્વારા જ્ઞાનને વિસ્તાર વધે છે. આ વિશે મતભેદ છે. હેમચંદ્રના મત પ્રમાણે દર્શન એટલે વિષયનું એવું જ્ઞાન જેમાં વિશિષ્ટ નિશ્ચય આવતો નથી. ઇન્દ્રિય અને વિષયનો સંસર્ગ થતાં જ તે અસ્તિત્વમાં આવે છે. તેમના મત પ્રમાણે દર્શનનું જ્ઞાનમાં રૂપાંતર થાય છે. જે અસ્તિત્વ ધરાવતું જ નથી તે ઉત્પન્ન થતું જ નથી અને જે અસ્તિત્વ ધરાવે છે તે સંપૂર્ણપણે નાશ પામતું જ નથી. આમ દર્શનનું એના પછીની અવસ્થા-જ્ઞાનમાં રૂપાંતર થાય છે. દર્શન એ જ્ઞાનની પ્રથમ અવસ્થા છે. તે અવસ્થા કોઈ પણ જાતની વિગતો વગરની હોય, અથવા અનિશ્ચિત બોધની બનેલી હોય. જ્ઞાનમાં વિગતોને બોધ હોય છે. દર્શન ચાર પ્રકારનાં હોય છે: ચક્ષુ, અચલુ, અવધિ અને કેવલ. આનો અર્થ એ થયો કે ચાર પ્રકારના બોધ હોય છે: ચાક્ષુષ, અચાક્ષુષ, અતીન્દ્રિય અને પૂર્ણ. આંખથી થતે બોધ તે ચાક્ષુષ દર્શન કહેવાય છે. મન, કાન, નાક, જીભ અને ત્વચા દ્વારા થતો બેધ તે અચક્ષુ દર્શન. અવધિ દર્શન એટલે જીવ પાસેથી થતે સીધો બોધ. આધુનિક માનસિક સંશોધનોએ દર્શાવ્યું છે કે ઇન્દ્રિય અને મન વગર પણ બોધ થઈ શકે. અતીન્દ્રિય જ્ઞાન (clairvoyance), દૂરસંવેદી જ્ઞાન, અતીન્દ્રિય શ્રવણ વગેરે, અતીન્દ્રિય દર્શન હોવાની યથાર્થતા પુરવાર કરે છે. જે વ્યકિતઓ આ શક્તિ ધરાવતી હોય છે, તેઓ તેમની ઇન્દ્રિયોના વ્યાપાર વગર બીજાના મનના ગુપ્ત વિચાર જાણી શકે છે. તેઓને સ્થળ કે સમયની દષ્ટિએ દૂરની ઘટનાઓને પણ બોધ થાય છે. મેકડુગલ, એચ. એચ. પ્રાઇસ અને બીજા આધુનિક મનોવૈજ્ઞાનિકોએ એવું માન્ય રાખ્યું છે કે દૂરસંવેદી જ્ઞાન, અતીન્દ્રિય જ્ઞાન વગેરે માટેની પ્રાચીન માન્યતાઓ સાચી છે અને મનુષ્ય એક એવી મહાન બેધશક્તિ ધરાવી શકે છે, જેના વડે ઇન્દ્રિયદ્રારા અપ્રાપ્ય એવી ઘણી વિગતો મળી શકે છે. કેવલ દર્શન અથવા તો પૂર્ણ દર્શનમાં વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણે કાળની ઘટનાઓને બોધ થાય છે. જ્ઞાનના આઠ પ્રકાર છે: (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યાયજ્ઞાન (૫) કેવળજ્ઞાન (૬) કુમતિ અથવા અજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy